________________
હિતશિક્ષા
-
કામ કરનારા હોશિયાર સોનીઓએ એકઠા થઈને વિચાર કર્યો કે નામ તો જવા દેવું નહિ. એટલે તેઓ જેવો ઘાટ રાજમહેલમાં ઘડે તેવો જ ઘાટ રાત્રે ભેળા મળીને પિત્તળ ઉપર ઘેર ઘડે, છેવટે મૂર્તિ તૈયાર થઈ ગઈ. પછી તેને ધોવાને માટે ચોકી-પહેરા સાથે નદી ઉપર લઈ ગયા, ધોઈ-સાફ કરીને રાજસભામાં લઈ આવ્યા. મૂર્તિ જોઈને રાજા ખુશ થઈ ગયો અને સોનીઓને સારું ઇનામ આપી ખુશ કર્યાં – પણ છેવટે ટીકા કરી કે – ‘આ વખતે તમારું એક કામ ન થયું. તમે આમાંથી જરી પણ સોનું ચોરી શક્યા નહિ.' રાજાનાં આ વચન સાંભળીને કાબેલ કારીગરોનાં મોઢાં મલકી ગયાં. તેઓએ રાજા પાસે માફી માગીને કહ્યું કે મહારાજ! આ મૂર્તિની જરા ચોકસીઓ પાસે પરીક્ષા કરાવો ને પછી અમને કહેજો.' રાજાએ પરીક્ષા કરાવી તો આખી મૂર્તિ ગિલેટ ચડાવેલી પિત્તળની નીકળી. રાજા આશ્ચર્ય પામી ગયો. જ્યારે રાજાએ ખુલાસો માગ્યો ત્યારે સોનીઓ રાજાને નદીને કાંઠે લઈ ગયા ને ત્યાંથી સાચા સોનાની દાટેલી પ્રતિમા કાઢી બતાવી. કેવી ખૂબીથી તેઓએ આ કાર્ય કર્યું હતું તે પણ જણાવ્યું, ત્યારે રાજા ખૂબ ખુશ થયો ને ફરીથી ઇનામ આપ્યું. આ વાતમાં સોનીની પ્રકૃતિનું સ્પષ્ટ દર્શન છે.
૧૮
*
ઉપરના જેવી જ બીજી એક વાત આવે છે. તેમાં એક સોનીને અને કણબીને ગાઢ મૈત્રી હતી. વર્ષો સારાં ગયાં ને કણબી પાસે બે પૈસાનો જીવ થયો, એટલે પોતાના મિત્ર સોની પાસે તે આવ્યો ને એક સોનાનું કડું બનાવવા જણાવ્યું. સોનીએ કહ્યું, ભાઈ! તું બીજા કોઈ પાસે કડું કરાવ. અમારી મથરાવટી મેલી એટલે પાછળથી લોકો કીધા વગર રહેશે નહિ અને પછી તારા મનમાં વહેમ આવશે ને આપણી મૈત્રીમાં ખામી આવશે.' કણબીએ કહ્યું કે ‘ભાઈ! એવી વાત શું કરે છે? લોકો ગમે તે કહે પણ તારે માટે મને સ્વપ્ને પણ શંકા ન આવે. તારે ને મારે આવો મેળ, તને છોડીને હું બીજા કોની પાસે જાઉં!' છેવટે – વાતચીતને અંતે સોનીએ કડું કરી આપવાનું કબૂલ્યું. તેણે એક સોનાનું અને બીજું પિત્તળનું ગિલેટવાળું એકસરખું કડું બનાવ્યું. બન્ને કડાં તૈયાર થઈ ગયાં એટલે કણબીને બોલાવીને સાચું સોનાનું કડું આપીને કહ્યું કે – જા, ગામમાં બીજા સોનીઓને અને ચોકસીઓને આ બતાવી જો. પણ મારું નામ ન લેતો' – કણબીએ એ પ્રમાણે કર્યું. બધાએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org