________________
છત્રીશી: ૬
તેના સ્વજન-સંબંધીઓ આવ્યા; ફક્ત કર્ણને જળ દેનાર કોઈ સગું તેમાં ન હતું, ત્યારે કુંતામાતાએ ભીમને કહ્યું કે “કર્ણને જળ દઈ આવો.” પણ એમ ને એમ માની જાય તો ભીમ શાન! કુંતાએ ફરીથી કહ્યું, ગળગળા થઈને કહ્યું ત્યારે પાંડવોએ પૂછ્યું કે “મા, તમે આટલો બધો આગ્રહ શા માટે કરો છો?” એટલે છેવટે કુંતાએ વાતનો ઘટસ્ફોટ કર્યો કે – “કર્ણ તમારો ભાઈ છે. આ વચન પાંડવોને ઘણું દુઃખદ નીવડ્યું. જો આ વાતની પહેલેથી જ ખબર પડી હોત તો મહાભારત મંડાત નહિ. છેવટે આવેશમાં આવી જઈને યુધિષ્ઠિરે શાપ આપ્યો કે હવે પછી સ્ત્રી ગમે તેવી વાત ટકાવી શકશે નહિ - તરત જ ઉઘાડી કરી દેશે.
આમ યુધિષ્ઠિર-ધર્મરાજના શાપથી કહો કે સ્વભાવથી કહો, પણ સ્ત્રી વાતને તરત જ ખોલી નાખે છે. નીતિશાસ્ત્ર પણ કહે છે –
નખીનાં ચ નદીનાં ચ, ઈંડિગણાં શસ્ત્રપાણિનામુ /
વિશ્વાસો નૈવ કર્તવ્ય, ગ્રીષ રાજકુલે ચ | ૧ | (નખવાળાં પ્રાણીઓ, નદીઓ, શીંગડાંવાળાં પ્રાણીઓ, હાથમાં ખુલ્લા શસ્ત્રવાળા, સ્ત્રીઓ અને રાજકુલ, એટલાનો કદી પણ વિશ્વાસ કરવો નહિ!)
ઘરના સોનીનો વિશ્વાસ કરવો નહિ – સોની એ સોની, એ ગમે તેવો હોય – ભલે પછી તેની પાસે હંમેશ કામ કરાવતાં હોઈએ, ભલેને તે ઘરનો માણસ કહેવાતો હોય, પણ તેના વિશ્વાસે રહો એટલે નુકસાન થયા વગર રહે જ નહિ. સંસ્કૃત ભાષામાં સોનાને “પશ્યતોહર' કહે છે. એટલે દેખતાં હો તો પણ ચોરનાર, એ શબ્દ સોનીના વ્યવસાયને ખુલ્લા શબ્દમાં ખુલ્લો કરી દે છે. તમે ગમે તેટલા સાવધ હો પણ તેને લેવા જેટલું તે ન લે તો સોની નહિ – તેમાં પણ વિશ્વાસે રહો તો બમણું નુકસાન. એક રાજાને ગમે તેટલી દેખરેખ રાખો તો પણ સોની ચોરી કર્યા વગર રહેતો નથી' – તેની પરીક્ષા કરવાનું મન થયું. તેણે સોનીઓને બોલાવ્યા અને એક સુવર્ણમૂર્તિનું કામ સોંપ્યું. રાજાના મહેલમાં આજુબાજુ સખત ચોકીપહેરા નીચે કામ કરવાનું. સતત કામ ચાલવા લાગ્યું, જોખીને સોનું આપ્યું હતું તે પ્રમાણે છેવટે સોનું જોખી આપવાનું હતું. એટલે તેમાં સોનીભાઈઓનું કાંઈ પણ ચાલે તેમ ન હતું. અહીં તો નામનો સવાલ હતો. જો ચોરી ન કરે તો નામ જાય એટલે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org