________________
૧૦
[૧૫]
કોઈને ગાળ દેવી નહિ ગાળ એ સારી વસ્તુ નથી, એમ તો ગાળ દેનાર પણ માનતો હોય છે. કોઈને કાંઈ દઈએ તો સારી વસ્તુ દઈએ. ખરાબ વસ્તુ દેવી એ સારા માણસનું લક્ષણ નથી. આપણે બીજાને ખરાબ વસ્તુ દઈએ અને પછી આપણે સારી વસ્તુ મેળવવાની ઇચ્છા રાખીએ તો તે ઇચ્છા પૂરી ન પડે એ સ્પષ્ટ છે. ગાળ દેનારને સામા તરફથી જો તે સમર્થ હોય તો - તમાચો જ મળે એ નિર્વિવાદ છે. નીતિકાર તો ગાળ દેનારાઓને કહે
-
-
છે કે તમે ગાળો આપો એમાં અમને કાંઈ વાંધો નથી કારણ કે તમે ગાળોવાળા છો. તમારી પાસે એ જ સંપત્તિ છે. અમારી પાસે એવી સંપત્તિ નથી, માટે અમે તમને ગાળો આપી શકીશું નહિ.’ વિશ્વમાં એ પ્રસિદ્ધ છે કે જેની પાસે જે હોય તે આપે, *ન હોય તે ક્યાંથી આપે? સસલાનું શીંગડું કોઈ કોઈને આપતું નથી. માટે કોઈને પણ ગાળ આપવી એ સારું નથી.
હિતશિક્ષા
[૧૬]
બળવાન સાથે બાઝવું નહિ – પોતાનાથી સામો બળવાન હોય ને તેની સાથે લડીએ તો છેવટે હારીએ અને માર ખાઈએ, માટે બળવાન સાથે બાઝવું નહિ. એક તો પોતાનાથી નિર્બળ હોય તેની સાથે પણ લડવું એ વાજબી. નથી; તો પછી બળવાન સાથે લડવું એ તો ક્યાંથી વાજબી હોય? મોટા મોટા રાજાઓ પણ પોતાનાથી બળિયા રાજાઓ સાથે લડવામાં ખલાસ થઈ જાય છે, તો બીજાને માટે કહેવું જ શું? એટલે બળવાન સાથે બાઝવું નહિ એ હિતકર છે.
[૧૭]
કુટુંબ-ક્લેશ કરવો નહિ – કુટુંબમાં જ્યારે ક્લેશ પેસે છે ત્યારે તે કુટુંબ ધીરે ધીરે નામશેષ થઈ જાય છે. ક્લેશનાં કડવાં ફળ કુટુંબના દરેકને ચાખવાં
* દતુ દતુ ગાલીલિમન્તો ભવન્તો,
વયમપિ તદભાવાત્ ગાલિદાનેસમર્થાઃ । જગતિ વિદિતમેતદ્દીયતે વિદ્યમાનં,
નહિ શશકવિષાણું કોડપિ કૌં દદાતિ || ૧ ||
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org