________________
છત્રીશી: ૫
પડે છે. કુટુંબ-ક્લેશથી શ્રી-સંપત્તિ નાશે છે. કુટુંબફ્લેશનું ઘેરું વાતાવરણ દુઃખનો વરસાદ વરસાવ્યા વગર શમતું નથી. એવા વાતાવરણથી કુટુંબને મુક્ત રાખવું એ સુજ્ઞની ફરજ છે. ક્લેશના વિષમ પંજામાં સપડાયેલાને બીજું કાંઈ સૂઝતું નથી. કરવાનાં કાર્યો છતી શક્તિએ તે કરી શકતો નથી. વ્યક્તિ, કુટુંબ, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વ એ સર્વની એકસરખી સ્થિતિ છે. ક્લેશમુક્ત એ પાંચે ઉન્નત બને છે અને ક્લેશવિવશ એ પાંચે અવનત બને છે. માટે જેથી અહિત થતું હોય તેથી દૂર રહેવું જોઈએ. જ્યારે વસ્તુસ્થિતિ આ છે, ત્યારે કુટુંબ-ક્લેશ કરવો એ તો ક્યાંથી સારો હોય? ન જ હોય. કેટલીક વખત સ્વાર્થની ખાતર માણસ ક્લેશ કરવા તત્પર બનતો હોય છે, પણ તેથી તો નથી તેનો સ્વાર્થ સધાતો કે નથી બીજાનો. માટે સ્વાર્થસિદ્ધિ પણ કલેશ ન કરવામાં જ સમાઈ છે, એ વાત દઢપણે મનમાં ઠસાવીને કુટુંબ-ક્લેશ કરવો નહિ, તેથી દૂર રહેવું.
સ્વાર્થ અને ચારિત્ર્યને સુરક્ષિત રાખવાને સમર્થ એવી ચાર શિખામણો છત્રીશીકાર પાંચમી કડીમાં કહે છે.
દુશ્મન શું પરનારી સાથે, તજીએ વાત એકાંતેજી; માત બહેન શું મારગ જાતાં, વાત ન કરીએ અને ૨
સુણજો સજ્જન રે. (૧) દુશમનની સાથે એકાંતમાં વાત કરવી નહિ. (૨) પરસ્ત્રી સાથે એકાંતમાં વાત કરવી નહિ. (૩) માતા અને બહેન સાથે માર્ગે ચાલતાં વાત કરવી નહિ. (જી માતા અને બહેન સાથે રાતે વાત કરવી નહિ – એ ચાર શિખામણો
[૧૮]. દુશમનની સાથે એકાંતમાં વાત કરવી નહિ – શત્રુની સાથે એકાંતમાં કોઈ સાક્ષી રાખ્યા વગર વાત કરવાથી સ્વાર્થને નુકસાન પહોંચે છે. વાત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org