SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ છત્રીશી: ૨૮-૩૧ ૧૧૧ રુચતાં નથી. વધારે પડતા મીઠાવાળું ભોજન ખારું લાગે છે ને ઘૂ ઘૂ કરાવે છે, વધારે પડતા મીઠાવાળો માણસ પણ દોઢડાહ્યો ગણાય છે ને તે ખારો લાગે છે – ગમતો નથી. [૧૭] અતિશય ખાટું ખાવું નહિ – વધુ પડતું ખાટું ખાવાથી શરીરમાં અને સ્વભાવમાં ખટાશ આવી જાય છે. ખાટો સ્વભાવ ગમતો નથી તો ખાટું-વધુ પડતું ખાટું ભોજન કેમ ગમે? સ્વભાવમાં અને ભોજનમાં માપસરની ખટાશ હોય તો જ સારી લાગે છે. વધારે પડતી ખાશથી હોજરીમાં-આંતરડામાં ચાંદાં પડી જાય છે, વીર્યશક્તિને ધક્કો પહોંચે છે એટલે અતિ ખાટું ખાવું નહિ. [૧૮] ઘણું શાક ખાવું નહિ- “શાકેન વધતે મલમ્' “શાક વર્ધયતે મલમ શાકથી મળ વધે છે. શાક મળને વધારે છે. ઇત્યાદિ વચનો પ્રાચીન વૈદકમાં મળે છે. શાકને માટે સંસ્કૃતમાં વ્યંજન શબ્દ પ્રચલિત છે. વ્યંજન એટલે વ્યક્ત કરનાર. અત્રનો સ્વાદ વ્યક્ત કરે – પ્રકટ કરે તેટલા પ્રમાણમાં વ્યંજન-શાક ખાવું વાજબી છે. તેને બદલે શાકાહારી-અર્થાતુ અન્ન કરતાં પણ શાકનું પ્રમાણ વધી જાય એટલું શાક ખાનારા. આવા લોકો મળવૃદ્ધિને કારણે રોગોનો ભોગ બને તેમાં નવાઈ શું? કેટલાંક શાક તો ખરેખર રોગનાં ઘર હોય છે. વર્ષાઋતુના આરંભથી લઈને હવા સૂકી ન થાય ત્યાં સુધી શાક કુપથ્ય રહે છે. શાક ઘણું ખાવાની આદત પાડવી નહિ અને આદત હોય તો ધીરે ધીરે ઓછી કરવી. શાક માપસર ખાવાથી નકામો આર્થિક ભાર પણ ઓછો થઈ જાય છે. જેઓ શાકાહારી નથી તેઓને માટે શાક વધુ પડતું ખાવું એ સૂત્ર ભલે પથ્ય હોય, પણ શાકાહારી માટે એ સૂત્ર અહિતકર છે. [૧૯]. જમતાં બોલવું નહિ- ખાતાં ખાતાં બોલવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. બોલવાની ક્રિયામાં વાયુની ગતિ ઊર્ધ્વ થતી હોય છે ને ખાવાની ક્રિયામાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005586
Book TitleHit shiksha Chattrisi
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherShrutprasarak Sabha
Publication Year2005
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy