________________
૧૦૨
હિતશિક્ષા
દુઃખના પ્રસંગે જે લાગણી જ્ઞાતિવાળાને અને સગાં-હ્યલાંને થાય છે તે લાગણી બીજાને થતી નથી. એટલે એકબીજાને અરસપરસ મદદની લેવડદેવડ નજીકમાં રહેવાથી થઈ શકે છે.
જે શરમ સગાંઓની અને જ્ઞાતિજનોની રહે છે તે શરમ બીજઓની રહેતી નથી; એટલે જ્ઞાતિજન અને સગાંઓની વચ્ચે રહેવાથી બેશરમ વર્તન કરી શકાતું નથી. દૂર એકલાં વસનાર ગમે તેવું નિર્લજ્જ આચરણ કરે તો તેને કોણ નિવારી શકે છે? તેથી પણ ગેરલાભ જ થાય છે. જ્ઞાતિ અને સગાંના આચારો મોટે ભાગે સરખા હોય છે એટલે તે આચારોનું પાલન તે પ્રકારના વસવાટથી ગમી જાય છે. ગમી ગયેલા આચારના પાલનમાં મુસીબત પડતી નથી. જ્યારે જુદે સ્થળે રહેવાથી તેમાં હાનિ પહોંચે છે અને ભળતા જ સંસ્કારો. આવી જાય છે.
જો આજુબાજુ સગાં-વ્હાલાં રહેતાં હશે, કે જ્ઞાતિનાં માણસો રહેતાં હશે, તો આપણે ઘસાવું પડશે, એવા ભયથી કેટલાક શક્તિસંપન્ન માણસો પણ એકલા જઈને વસવાનું પસંદ કરે છે, પણ તે તેમની મોટી ભૂલ છે. એક તો ઘસાવું પડશે તેમાં જ સંકુચિતતા રહેલી છે; બીજું બીજા અનેક લાભોથી વંચિત રહેવું પડે છે. વ્યવહારમાં રહેવું એટલે જ્ઞાતિજનો દૂરથી પોતાને ત્યાં મળવા આવે, પોતાને તેઓને ત્યાં દૂર દૂર મળવા જવું પડે તેમાં ઘસારો તો પહોંચે જ છે. એક નહિ ને બીજી રીતે સરવાળો તો સરખો જ થાય છે: એટલે સંકુચિત વિચારો છોડી દઈને જ્ઞાતિ અને સગાંઓની વચ્ચે રહેવું તેમાં અનેક લાભો સમાયા છે.
શ્રી હરિભદ્રસુરિજી મહારાજે ધર્મબિન્દુમાં ક્યાં વસવું તેનું વ્યવસ્થતિ વર્ણન કર્યું છે. તેમાં કેટલાક નિવાસો તો સર્વથા છોડી દેવા યોગ્ય જણાવ્યા છે. મન ઉપર બધો આધાર છે. જ્યાં મનોવૃત્તિ મલિન થતી હોય ત્યાં બહારની ઘણી અનુકૂળતાઓ અને સગવડો હોય તો પણ તે શા કામની! જેને સમજણ નથી તે બહારની સગવડોમાં લલચાઈ જાય, એટલે બહારની સગવડો ઓછીવત્તી હોય તો પણ મન અને આત્માની ઉન્નતિનો વિચાર કરીને તેને અનુરૂપ નિવાસમાં વસવું એ શ્રેયસ્કર છે.
માનવજીવનમાં ભોજન અને ભોજન કરવાની રીતો ઘણો મહત્ત્વનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org