________________
છત્રીશી: ૨૭
૧૦૧
તેના પરિચયવાળાને છોડીને બીજાને તો તે શું કહેવા માગે છે તેની ખબર પણ ન પડે. બોલવાની સાથે હસવાથી શબ્દો ચૂંથાઈ જાય છે ને મોઢામાંથી ઘૂંક ઊડે છે. આવું અસભ્ય વર્તન અન્યને ગમતું નથી. આવું જ બોલાય છે તે બોલવું નથી કહેવાતું પણ બકવાસ-લવરી કહેવાય છે. એવી લવરી સાથે હસવું એ મૂર્ખતાનું લક્ષણ છે. ભોજ અને કાલિદાસના એક પ્રસંગમાં ભોજે જ્યારે કાલિદાસને “પધારો મૂર્ખરાજ!” એમ કહ્યું ત્યારે કાલિદાસે ભોજને કહ્યું કે હે રાજન! ભોજ! હું ખાતાં ખાતાં ચાલતો નથી, હસતાં હસતાં બોલતો નથી, ગયેલાનો શોક કરતો નથી, બેની વચ્ચે ત્રીજા માણસ તરીકે માથું મારતો નથી. તો એવું શું કારણ છે કે તમે મને મૂર્ખરાજ કહો છો? તે શ્લોક આ પ્રમાણે છે –
ખાદત્ર ગચ્છામિ હસત્ર જો ગત ન શોચામિ કૃત ન મળે ! દ્વાભ્યાં તૃતીયો ન ભવામિ રાજન, કિં કારણે ભોજા ભવામિ મૂર્ખ: II
એટલે હસતાં હસતાં બોલવું એ મૂર્ખતાસૂચક છે. બીજા કેટલાએ ગુણો હોવા છતાં આ લવરીને કારણે કુંવારા રહી ગયાના બનાવો પણ બન્યા છે. આ હાસ્યના સંમિશ્રણવાળું સંભાષણ કોઈને પણ ગમતું નથી. વડીલો જ્યારે પુત્રને કે પુત્રીને-પુત્રવધૂને કે બીજા કોઈને આ રવાડે ચડેલાં જોવે છે ત્યારે કહે છે – “આ લવારો શું માંડ્યો છે?” એ કથન દુઃખ ઉપજાવે છે, પણ ખરેખર એ લવારો છોડી દેવા જેવો છે. સમજણ-સહિષ્ણુતા હોય તો લવારો બંધ કરવાનું સૂઝે છે; નહિ તો એ જ લવારામાંથી ભવાડો જન્મે છે.
એવા લવારા બીજા કરતા હોય ત્યારે પોતાને કેવું લાગે છે તેનો ક્ષણભર વિચાર કરીને પોતે તેનાથી વિરમી જવું જોઈએ.
[૨]. જ્ઞાતિ ને સગાંનાં ઘર છોડીને દૂર એકલાં વસવું નહિ – જીવનમાં ક્યાં વસવું એ મહત્ત્વની ચીજ છે. જ્યાં નિવાસ કરવાનો હોય, ઘર માંડવું હોય, ત્યાં આસપાસનું વાતાવરણ કેવું છે તે જોવું જોઈએ. જ્યાં પોતાની જ્ઞાતિનાં લોકો રહેતાં હોય, સગાં-વ્હાલાં આજુબાજુ નજીકમાં હોય ત્યાં વસવું એ હિતકર છે. તેઓથી દૂર એકલાં વસવું એ ગેરલાભ કરનાર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org