________________
છત્રીશી: ૨૮-૩૧
૧૨
ભાગ ભજવે છે. દુનિયાની બધી ધમાલ મોટે ભાગે પેટને માટે છે. વિશ્વની પ્રવૃત્તિઓનું લક્ષ્ય ઉદર છે. ખાવું, ગમે ત્યારે અને ગમે તેવી રીતે ખાવું એવી માન્યતા તદ્દન ખોટી છે. ભોજનમાં ખાવાના પદાર્થો સાત્ત્વિક અને તુષ્ટિપુષ્ટિકારક હોય છતાં જો ભોજનની રીતો યથાર્થ ન હોય તો પરિણામે હાનિ થાય છે. એટલે જો ભોજન કરવાની રીત બરાબર જળવાતી હોય તો ખાદ્યપદાર્થો ઓછા-વત્તા ગુણવાળા હોય તો પણ લાભ કરે છે. એટલે શિક્ષાકાર ચાર કડીમાં ખાવાને યોગ્ય કેટલીક શિખામણોને વિસ્તારથી આપે
૨૮
વમન કરીને ચિંતાજાળે, નબળે આસન બેસીજી; વિદિશે દક્ષિણદિશિ અંધારે, બોઢું પશુએ પેસી.
સુણજો સજ્જન રે.
૨૮
૨૯
અણજાયે ઋતુવતી પાત્રે, પેટ અજીરણ વેળાજી; આકાશે ભોજન નહિ કરીએ, બે જણ બેસી ભેળા. ૨૯
સુણજો સજ્જન રે.
૩૦
અતિશય ઊનું ખારું ખાટું, શાક ઘણું નહિ ખાવું જી; મૌન પણે ઊઠીંગણ વરજી, જમવા પહેલાં નાવું.
સુણજો સજ્જન રે.
૩૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org