SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ છત્રીશી : ૨૫-૨૬ કવિવર્ષે પોતે પણ આ વાત અંતરાયકર્મ નિવારણાર્થ પૂજાકમાં સુંદર ગૂંથી છે. કરપી ભૂંડો સંસારમાં રે, જેમ કપિલા નાર; દાન ન દીધું મુનિરાજને રે, શ્રેણિકને દરબાર. જો જીવનને વિકસિત અને ઉજ્જ્વલ કરવું હોય તો સુપાત્રે દાનનો ગુણ જરૂ૨ કેળવવો જોઈએ. ૯૫ * પચ્ચીસમી અને છવ્વીસમી કડીમાં સ્રીજીવનમાં જરૂરી શિખામણો આપીને સ્ત્રીને યોગ્ય શિખામણોનો અધિકાર શિક્ષાકાર પૂર્ણ કરે છે. Jain Education International ૨૫-૨૬ શોક્યતણાં લઘુ બાળક દેખી મ ધરો ખેદ હિયામેં જી; તેહની સુખ શીતલ આશિષ, પુત્રતણાં ફળ પામે. સુણજો સજજન રે. ૨૫ ૨૬ બાર વરસ બાળક સુરપડિયા, એ બે સરખાં કહિએ જી; ભક્તિ કરે સુખ લીલા પામે, ખેદ કરે દુઃખ લહીએ. સુણજો સજ્જન રે. ૧. શોક્યના નાના બાળકને જોઈને ખેદ કરવો નહિ, ૨. બાર વરસ સુધીની ઉંમરના બાળકની દેવપ્રતિમાની જેમ ભક્તિ ક૨વી. [૧૮] શોકયનાં નાનાં બાળકોને જોઈને ખેદ કરવો નહિ – સ્ત્રીજીવનમાં શોક્યના બાળકને ઉછેરવાનો પ્રસંગ કેટલીક સ્ત્રીઓને સાંપડે છે. સ્વાભાવિક રીતે પતિ એ જ પોતાનું સર્વસ્વ છે એમ માનતી સ્ત્રી પણ પતિની બીજી પત્ની પ્રત્યે સારો વર્તાવ રાખતી નથી. શોક્ય જીવતી હોય, ઘણી શોક્ય હોય, શોક્યનો સ્વર્ગવાસ થયો હોય ને પાછળ તેનાં સંતાન હોય. શોક્ય પોતાની પહેલાંની હોય અર્થાત્ પતિની તે પ્રથમ પત્ની હોય ને પોતે પછીથી આવી For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005586
Book TitleHit shiksha Chattrisi
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherShrutprasarak Sabha
Publication Year2005
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy