SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ હિતશિક્ષા હોય, પોતે પ્રથમની હોય ને શોક્ય પછીથી આવી હોય. એમ શોક્યનો સંબંધ જુદી જુદી રીતે બંધાય છે. એ શોક્ય પ્રત્યેનું ઈર્ષાળુ વલણ જીવનને કલહમય બનાવે છે. એથી જીવનની સુવાસ ઊડી જાય છે. એટલે શોક્ય પ્રત્યે ઈર્ષ્યા કે દ્વેષ ન કરવાં. ને તેમાં પણ શોક્યનાં બાળકો પ્રત્યે દ્વેષ કરવો-રાખવો એ તો ઘણું જ અજુગતું જ્યારે નાનાં નાનાં બાળકોને મૂકીને તે બાળકોની માતા સ્વર્ગવાસ પામી હોય, પાછળથી બીજી સ્ત્રીએ તેની અપર માતા-સાવકી મા તરીકે તે બાળકોને ઉછેરવાનાં-સાચવવાનાં હોય ત્યારે સ્ત્રીએ તેમાં સહેજ પણ ભેદભાવ રાખવો ન જોઈએ. પોતાને બાળકો થયાં હોય તો પણ બધાં પ્રત્યે એવું વર્તન રાખવું જોઈએ કે જાણે બધાં સગાં ભાઈ-બહેન છે. લોકમાં કહેવાય છે કે બાળકમાં ઈશ્વરનો વાસ છે, બાળક બધાંને વહાલો લાગે છે. પછી ભલે ને તે ગમે તેનો ન હોય, બાળક માટે વસ્તુસ્થિતિ આ છે ત્યારે શોક્યનાં બાળકો તે ખરેખર તો પોતાના જ પતિનાં બાળકો છે, તેના પ્રત્યે ઈર્ષ્યા કે ખેદ ધરવો એ કેટલું અનુચિત છે? પોતાને સંતાન ન થતાં હોય તો પતિ બીજી સ્ત્રી કરે, તેને સંતાન થાય ત્યારે તે સંતાનો પ્રત્યે ઈર્ષ્યા-ખેદ ન ધરતાં રાજી થવું. જાણે તે બાળકો પોતાનાં છે, એવું વલણ કેળવવું, એ બાળકોની સુખભરી-શીતલ આશિષથી પોતાનું વાંઝિયાપણું પણ નાશ પામે છે. પુત્રપ્રાપ્તિની અસંભાવના હોય તેને બદલે તે સંભવિત બને છે અને ફળે છે. નાગકેતુનો આત્મા પૂર્વજન્મમાં સાવકી માતાનો ભોગ બન્યો હતો. તેને મૂકીને તેની જન્મદાત્રી માતા મરણ પામી હતી અને પછીથી આવેલી સાવકીમા તેના પ્રત્યે ઘણું જ ખરાબ વર્તન રાખતી હતી. તે બાળકને એક સજ્જન અને ધર્મવૃત્તિવાળો મિત્ર હતો. પોતાની સાવકી માનાં દીધેલાં દુઃખો તેને કહેતો ત્યારે તે તેને આશ્વાસન આપતો અને કહેતો કે તે પૂર્વજન્મમાં કાંઈ તપ નથી કર્યું તેથી આવાં કષ્ટો તારે ભોગવવાં પડે છે, પર્યુષણાપર્વમાં અઠ્ઠમનું તપ કરવાથી કષ્ટમાત્ર ટળી જાય છે. એ પ્રમાણે સાંભળીને આવતા પર્યુષણાપર્વમાં અઠ્ઠમ કરવાનો તેણે નિશ્ચિત સંકલ્પ કર્યો. એક વખત સાવકી માતાના સંતાપથી તે બાજુના ખેતરમાં ઘાસની ઝૂંપડીમાં સૂઈ ગયો. સાવકી મા તેનાથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005586
Book TitleHit shiksha Chattrisi
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherShrutprasarak Sabha
Publication Year2005
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy