________________
(૧૧૧)
થયા છે. મહારાજા શિયાળરાવ જણાવે છે કે તેમ નથી-જીન ધર્મ એથી પણ પુરાતન છે. મહારાજાએ જે વિચાર દર્શાવ્યા છે તેઉપરથી એમ સિદ્ધ કરી શકાતું નથી કે જીત ધર્મની જે વ્યવસ્થા સાંપ્રતમાં પ્રવર્તેલી છે તે અધર્મ પૂર્વેની છે કે જીનધર્મના સિદ્ધાંતા પૂર્વેના છે. જો સિદ્ધાંતે સબધે મહારાજાને નિર્દેશ હાય તા તે ઉપર આપણે સાબીતી માંગીશું નહિ; કારણ કે, વાલ્મિકી રામાયણના અયેાધ્યા કાંડમાંથી તે સિદ્ધાંતાના સુત્રા મળો આવે છે પરતુ સાંપ્રતજીન ધર્મ ની વ્યવસ્થાના નિર્દેશ કીધા હોય,તેા તેને માટે ધણી મજબુત માન્ય રહે તેવી સાબીતીએ જોઇશે પોતાના ભાષણમાં મહારાજશ્રીએ જૈન બ એના કાર્યની પ્રશંસા કરી સાહાનુભુતિ દર્શાવી છે, અને સુચન કીધું છે કે જીનધર્મીઓએ ધર્મના ઉદય સાથે સંસાર વ્યવહાર અને રાજ્ય કાર્યના ઉદયમાં પણ તત્પર રહેવુ જોઇએ. મહારાજાનું ભાષણ સક્ષિપ્તમાં પણ સુચક હતું, ને તેપર જીનધર્મીએ લક્ષ આપશે એવી આશા આપણે રાખીશું. મહારાજાનું ભાષણૢ સ માપ્ત થયા પછી રાય બા, બુદ્ધસિંહજી દુધારીયાએ પ્રમુખ પદપરથી સુંદર ભાષણુ આપ્યુ હતું. ભાષણ ઉત્તમ, ખેાધક, તત્વમય, સારભૂત, અને સંક્ષિપ્ત હતું. જે મુદ્દા પ્રમુખે જીનધર્મીના ઉદય માટે દર્શાવ્યા છે, તે બહુ અંશે માન્ય રાખવા જોગ અને સર્વ દેશી છે; અને કાઇપણુ વર્ગે પોતાના વ્યવહારીક કાર્યમાં કેવી પદ્ધતિથી કામ લેવુ તેના એક ઉત્તમ માર્ગદર્શક જેવું છે. ભાણુ સાર્વજનિક છતાં જીનધર્મના આગમા નેમૂળ સિદ્ધાંતાને અનુસર્ તું હતું. એક ખાસ બાબત એ ભાષણમાં લક્ષ દેવા જોગ છે; અને એજ બાબત કાઇ પ્રસ”મહત્વના કાર્યનું નાશ કરનારી થઇ પડે છે. દરેક વ્યક્તિ એમ સમજે છે કે જનમંડ ળના કલ્યાણના કાર્યમાં કે જ્ઞાતિ સમસ્તના હિતના કાર્યમાં જે વિચાર હું દર્શાવું છું, તેજ વિચાર જનસમાજે માન્ય રાખવા જોઇએ અને તેને સાહનુભૂતિ આપવી જોઇએ. આવા વિચારના મમત્વથી ઘેરાએલી વ્યકિતના વિચાર અમાન્ય થવાથી તે આખા વર્ગને નિદી કાઢી, તેનાથી પ્રતિકુળ થઇ એસે છે, આખા વર્ગના કોઇ પણ કાર્યપર દોષારોપ ધરે છે, આખા વર્ગે આરંભેલું કાર્ય પૂણૅ થવાતું નથી એમ ધારી તેની સામા કમર કસે છે; એટલુ જ નહિ પણ તે કાર્યને તેાડી પાડવાને પણ પ્રયત્નશીળ થાય છે. આ એક બહુ મેટા દોષ છે, પણ્ તે `જત પ્રકૃતિ છે. એ જન પ્રકૃતિને અમલ જૈન સમાજમાં ન થવા પામે તેવા ઉચ્ચ ઉદ્દેશથી રા; બા. દુધારીયાએ બીજા જે જે વિચારે દર્શાવ્યા છે તે તે મતા વયને, અનુભવને, ડાહુપણને અનુકુળ હતા એમ કહેવામાં હરકત નથી. વડેદરા જૈનસમાજે પ્રમુખની જે પસંદગી ક઼ીધી હતી તે યેાગ્ય હતી, ને તેને માટે ખરેખર તેને અભિનંદન જ માપવુ' જોઇએ.
દરખાસ્તા.
જૈન સમાજમાં જે ઠરાવેા જૈન વર્ગના અભ્યુદયાથૈ મુકવામાં આવ્યા હતા તે બહુ અંશે પસંદ કરેલાજ હતા. જૈનેામાં કેળવણીને ફેલાવા કરવા; રડવા ફુટવાની બધી કરવી; ગ્રંથાના પુનરાહાર કરવા, દેવાલયાના જીર્ણોદ્ધાર કરવા, પરદેશ ગમનના વિચાર કરવા અને પાલીટાણુાના દેવાલયેાના સબંધમાં ત્યાંના સત્તાવાળા સાથે જે ભિન્ન મત ચાલે છે તે સબધે એ આદી ઘણા અગત્યના ઠરાવા સભાજનની સાહનુભુતીથી પસાર થયા હતા. આ ઠરાવેામાંના કેટલાકા સબધે હમે। ગયે વર્ષે એટલી ગયા છીએ, અને તેના સંબધમાં હજુ સુધી જોઇએ તેવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org