________________
(૧૪) ભરત ખંડની પ્રજા પણ જેને લોકોએ જે ઉપકાર કીધે છે તે ભુલી શકે તેમ નથી. પ્રાચીન ગ્રંથની સાચવણુ કરી મહત્વનું કાર્ય તેઓએ કીધું છે. અને એજ ગ્રંથપરથી મધ્ય કાળના ઈતિહાસનું કંઇક સ્વરૂપ અને રાજાઓના જીવન વૃત્તાંત પ્રજા જાણી ચુકી છે. આ કોનફરન્સના સંબંધમાં એક બાબતનો આ વરસથી વધારે થયો છે અને તે જૈન લાક્ષણિક પ્રદર્શન ઉઘાડવાને લગતો છે. એ પ્રદર્શનમાં જૈન ધર્મને લગતાં કેટલાંક ચિત્રો, તત્વ સુચક ઉપદેશક દેખાવ, પવિત્ર પદાર્થો તથા જેમાં ધર્મ સંબંધી બાધ ન આવે એવા દેશી બનાવટના પદાર્થો મુકવામાં આવેલા છે. તેમજ પ્રાચીન તાડ પત્રો પર તથા સુખડ પત્ર પર લખાયેલા લેખો પણ દાખલ કરવામાં આવેલા છે. જન ભાઈઓએ બહારની પ્રજાને પોતાના આ મેળાવડા તરફ લક્ષ ખેંચવાને આ જે નાનેશે પ્રયત્ન કર્યો છે તે પણ અભિનંદન આપવા જોગ છે. ગયા ગુરૂવારે એ લાક્ષણક પ્રદજૈન યુવરાજ ફતેહસીંહરાવે ઉઘાડયું છે, તે પ્રસંગે તે નામદારે સમયને યોગ્ય એક સુંદર ભાષણ આપ્યું હતું. તેમાં ભરતખંડના ઉદ્યોગ હુન્નરની ચઢતીને માટે તેમજ સંસારીક ધાર્મીક સુધારાના સંબંધમાં કેટલાક અગત્યના વિચારો પણ બતાવ્યા હતા. એ ભાષણમાં તે નામદારે જણાવ્યું હતું કે આ દેશના શોધક પુરૂષોએ અત્યાર સુધીમાં જે કાર્ય બજાવ્યું છે તે એવું છે કે ભવિષ્યના બજાવવાના કાર્ય આગળ નિરજીવ છે, અને તેવું કાર્ય પૂર્ણ કરવા માટે ઉધોગી પુરૂષોએ ખંતથી મંડયા રહેવું જોઈએ, અને જ્યાં સુધારાની જરૂર હોય તે કાર્યમાં પાછળ પડવું જોઈએ નહિ. પ્રિન્સ ફતેહસીંહરાવે છન ધર્મના અહિંસા ધર્મ ની સારી પ્રશંસા કીધી હતી અને જે જીન ધર્મ પ્રત્યેક પદાર્થમાં આત્મતતવ સ્વિકાર્યું છે એવા જીન ધર્મના સિદ્ધાંતને વખાણ્યું હતું. છેવટે સર્વ જન ભાઈઓને બંધ કીધું હતું કે ધર્મીષ્ટ થાઓ પણ ધર્માધ ન થાઓ; કેમકે સર્વ ધર્મ ઈશ્વરનો માર્ગ દેખાડનારા છે તે ભુલી ન જાવ. પ્રત્યેક ધર્મ માને છે કે મારો ધર્મ સાચો છે, તેથી બંધુત્વને ભાવ ભુલી જવા દેશે નહિ-એ વિચાર પર જૈન બંધુઓ સારી રીતે લક્ષ આપશે એવી આપણે આશા રાખીશું. જે ઉત્સાહથી જૈન ભાઈઓ પોતાની કોમને ઉન્નતિના સ્થાનમાં લઈ જવાનો પ્રયત્ન કરે છે, તે જ ઉત્સાહથી સમગ્ર દેશની પ્રજાએ નિર્ધારેલાં ઉન્નતિનાં સ્થાનમાં પ્રવેશવાની જે પેજના કરેલી છે તેમાં પણ એવા જ ઉત્સાહથી સામેલ થશે એવી સંપૂર્ણ આશા સાથે આ ત્રીજી જૈન કાનફરસની અમે ફતેહ ઈચ્છીએ છીએ.
તા. ૪-૧૨-૯૪. ગયા રવિવારથી પ્રારંભ થએલી જૈન કેન્ફરન્સની બેઠકો મંગળવારે સમાપ્ત
થઈ છે. એ કોન્ફરન્સના મહત્વમાં વધારો કરનારી વાત ખાસ જન કેન્ફરન્સની એર છે;
ફરન્સના એજ છે કે મહારાજા ગાયકવાડે પિતાની પ્રજાના એક વિભાસમાપ્તિ.
ગના તોષાર્થ, કોન્ફન્સમાં હાજરી આપી એટલું જ નહી પણ કેન્ફરન્સના કાર્ય સંબંધે પિતાના વિચાર બતલાવી, કેટલીક અગત્યની સુચના કરી છે, ઉપરાંત પાટવી કુંવર ફતેહસિંહરાવે સંસાર સુધારા વ્યવહાર સંબંધી કેટલાક વિચારો દર્શાવી જૈનોને સંતુષ્ટ કીધા છે. મહારાજા ગાયકવાડે જે વિચારો દર્શાવ્યા છે તેમાં ખાસ એક વાત પુરા તવેત્તાઓને લક્ષમાં લેવા જોગ છે. અધાપિપર્યત વિદ્વાન વર્ગમાં અને યુરોપી પડીમાં આવી માન્યતા છે કે બુદ્ધ ધર્મમાંથી જૈન ધર્મને પાદુર્ભાવ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org