SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ કામ હાર પાડી તેને વિજયી બનાવવા વડેદરાના નાના સંઘે જે મહાન પરાક્રમ કરી બતાવ્યું છે તે ખાતે તેને ધન્યવાદ આપતાં અમે ગામો ગામના સંધને તેનું અનુકરણ કરવા આગ્રહ કરીએ છીએ. વડોદરાના સંધને જેમ ડભોઈ, પાદરા વગેરેના આજુબાજુના સંઘે મદદ આપેલી છે તેવીજ મદદ આપવા સકળ જન સમાજ વખત મળે તત્પર થશે તો જેનો શું નહી કરી શકે. અશય શબ્દ હીમતે બહાદુરના શબ્દકોષમાં ન હોવો જોઈએ, અને આપણે પણ મહાવીરનાં સંતાનો હોવાથી વી. રવ એ તો આપણું ખમીરજ છે. માટે આવાં કામોમાં ઐકયથી જોડાઈ સકળ જન સમાજને આપણા દાખલાથી ઉત્તેજીત કરવાની આપણે પહેલ કાઢી છે તે તેને સાંગ પાંગ વિજયી બનાવવા વડોદરાના સંઘે જે શ્રમ ઉઠાવ્યો છે તેવો ઉઠાવવા અમારા ઠામે ઠામના જૈન બંધુઓ હમેશાં તત્પર રહેશે એવી અમે આશા રાખીએ છીએ. ગુજરાતી. મુંબઈ તા. ૨૭-૧૧-૯૪. હિંદુસ્તાનની જુદી જુદી પ્રજામાં પોત પિતાની કોમનું હિત આગળ વધારવાનો છે. ઉત્સાહ કેટલોક સમય થયાં પ્રવર્તી છે તેના ફળરૂપ જૈનો તરફથી જન કેનફરન્સ મેળવવામાં આવતી તેમની કોનફરન્સ છે. આગલે વર્ષે એ કોનફ રન્સ મુંબઈમાં ભરવામાં આવી હતી. આ વર્ષે તેનું સદર સ્ટેશન વડોદરામાં નંખાયું છે. ના. ગાયકવાડે આ કોનફરન્સને જોઇતી મદદ આપી છે, અને વડોદરા રાજ્યના જન ગૃહસ્થાએ કોનફરન્સનું કાર્ય નિવિંદને પૂર્ણ થાય તેને માટે જોઈને શ્રમ લીધો છે કોનફરન્સનું કાર્ય આજથી ત્રણ દીવસ ચાલનારૂં છે, અને તેના પ્રમુખ બુદ્ધસિંહજી દુધોડીયા બહાદુરને નિમવામાં આવ્યા છે. પ્રમુખનું મૂળ વતન બંગાળામાં આવેલા મુશિરાબાદ તાબે આછમગજ છે અને તેઓની ઉમર લગભગ ૫૬-૫૭ વરસની છે. જીન ધર્મની તેઓએ ઘણી સારી સેવાઓ બજાવી છે; જુના દેવળાને જણાદ્ધાર કરાવ્યો છે, કેટલાક સ્થળેમાં મૂર્તિઓ પધરાવી છે; ધર્મશાળાઓ બંધાવી છે, અને સદાવત પણ ઉઘાડ્યાં છે. જૈન ધર્મના જે જુના વિચારના પુરૂષો છે તેમાં ના. રાય બુદ્ધસિંહજી એક છે, તે અંગે વળી તેઓ વિધાના ઉપાસક છે અને વિદ્યાના કાર્યમાં સહાય આપનારા પણ કહેવાય છે. એ ગૃહસ્થ વડેદરાની જેમ કોનફરન્સના પ્રમુખાસન પર બિરાજી જૈન ધર્મની અભિરદ્ધી માટે જે કાંઈ ખાસ વિચાર બતાવશે તે જૈન ધર્મીઓને મનન કરવા જોગ તો થઈ પડશેજ. આ કોનફરન્સમાં જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તે કાર્યક્રમમાં જુના પુસ્તકોના રક્ષણ માટે એક ઠરાવ મુકવામાં આવનાર છે, ને તેના સંબંધમાં અમારે ખાસ સુચના એટલીજ કરવાની છે કે જે જે જૈન ભંડારોમાં જુના પુસ્તકોનો સંગ્રહ છે તે સઘળાઓની એક સંપૂર્ણ સુચી તૈયાર કરાવી. પ્રજાની જાણને માટે મૂકવી. તે કાર્ય સામાન્ય પ્રજાને એટલું બધું ઉપયોગી થઈ પડશે કે હાલની જૈન કોનફરન્સ, જે માત્ર એક દેશી છે તે સર્વ દેશી થઈ પડશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005585
Book TitleTriji Jain Shwetambar Conferenceno Report
Original Sutra AuthorN/A
AuthorMaganlal Chunilal Vaidya
PublisherReception Committee
Publication Year1906
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy