________________
(૩૨) દેશના ઇતિહાસમાં શીલા લેખે એ તવારીખ જાણવાનું સબળ સાધન છે, અને શીલા લેખે આપણા જીર્ણ દહેરાસરો દ્વારા મળી આવે છે. આપણાં દેલવાડાનાં વસ્તુપાળ તેજપાળનાં ભવ્ય દેરાસરો સુધારવા તથા તેને તેની જાહોજલાલીમાં રાખવાની ના. લોર્ડ કર્ઝન જેવા હાકેમ જરૂર જોઈ છે ને તેમાં દેરાસરોને કાયમ રાખવાની આપણી આ કોન્ફરન્સ જરૂર સ્વીકારી છે તે કાંઈ ઓછી ખુશીની વાત નથી. શીલા લેખો એ આપણા ધર્મની છુપી ધજાઓ છે જે દેશના દરેક સ્થળમાં ફરકી રહી છે, તે શોધી કાઢી તેને અજવાળામાં લાવવાનું કેન્ફન્સનું આ પગલું ઘણાજ ધન્યવાદને પાત્ર છે. શીલા લેખે જે ભાષામાં લખાયેલા છે તે ભાષાનો પણ આથી ઉદ્ધાર થશે અને આપણું ધર્મ પુસ્તકોના ભંડારની ઉન્નતિ પણ થશે. શીલા લેખોના સંબંધમાં જુદા જુદા વક્તાઓએ આપેલી બાતમી આપણને હરખાવનારીજ છે. હવેથી શીલા લેખો શોધવાનું તથા તેને અજવાળામાં મુકવાનું કામ શરૂ થશે એ ખુશી થવા જેવું છે. માત્ર સરકાર પણ આવું એક ખાતું નભાવે છે ને આપણા તરફથી પણ આવો ઠરાવ પસાર થયો છે જેના એકત્ર પ્રયાસથી જૈન દહેરાસરો અને પ્રાચીન ખંડીયની શોધ થતાં દેશના એકત્ર ઉદયમાં મદદગાર થઇ પડશે આ પત્રના માલેક અને અધિપતિ તરથી જન ડાયરેકટરી બનાવવાની દરખાસ્ત રજુ થઈ હતી જેના સમર્થનમાં તેમણે તેનાં કારણે બતાવ્યાં હતાં. જે દરખાસ્ત સર્વાનુમતે પસાર થઈ ઠરાવ કરવામાં આવ્યો હતો કે એવી એક ડાયરેકટરી બનાવવી કે જેથી આખા જૈન સમુદાયની સઘળી માહિતી મળી શકે. આવા સાધન વગર જનોની સ્થિતિ તથા તેની વસ્તી કયાં અને કેવી હાલતમાં છે ને તેઓને સુધારવા, મદદ કરવા, તથા ઉત્તેજન આપવા કેવાં સાધનો હાથ ધરી શકાય તેની ખબર પડે નહીં.
આ પુસ્તક તૈયાર થયા વગર તેની કીમત થઈ શકે તેમ નથી કેમ કે એ એટલું . ઉપયોગી થઈ પડશે કે હાલતાં ચાલતાં તેની મદદ મળી શકશે. સાચું કહીએ તો
એ પુસ્તક એક ગાઇડ કે ભોમીયા તરીકે થઈ પડશે, અને તેથીજ કોન્ફરંસે જન કોમના લાભને નજરમાં રાખી આ પુસ્તક તૈયાર કરાવવાની અગત્ય સ્વીકારી છે. નિફરંસનો મુખ્ય હેતુ જન કોમમાં સંપની વૃદ્ધિ કરી સઘળાના અક્ય બળવડે જૈનકોમની તથા જૈન શાસ્ત્રની ઉન્નતિ કરવાનો છે. તે તપાસતાં અમારે આની સાથે કહેવું જોઈએ કે કોન્ફરન્સ જેમ જેમ મોટી થતી જાય છે તેમ તેમ એ હેતું પણ થોડે થોડે અંશે સધાતો જાય છે. એજ તેની અંતીમ ફતેહની અચુક નિશાની છે. પંજાબી, બંગાળી, દખણ, ગુજરાતી, મારવાડી અને સીધી જેન ભાઈઓ એક પ્લેટફોર્મ ઉપર એકજ વિચાર ચલાવતા થયા છે, અને છાશ તજીને એકજ ભાણે જમવા લાગ્યા છે, જે પ્રતાપ કોન્ફરન્સનો જ છે. એક ધર્મ એક નાતને એકજ ભાષા એ એક્યનાં સબળ અંગે છે જે અંગે જેનોમાં પ્રબળ રૂપે પ્રવર્તી છે તેથી જ અમને ખાત્રી છે કે ભવિષ્યમાં જૈન કોમન ઉદ્યરૂપ સૂર્ય શિરોબિંદુએ આવતાં વાર લાગશે નહીં અમે આ સ્થળે એક સૂચના અમારા જૈન બંધુઓને કરવી એગ્ય માનીયે છીએ કે તેઓએ મંડળ મંડળના વાંધા વચકા જૈન સમુદાયરૂપ મહા મંડળમાં લાવવા નહીં, અને
જ્યાં મહા મંડળની વાત આવી ત્યાં તો આપણે સઘળા વીર પરમાત્માનાજ તનુજે છઈએ એ વિચાર અગ્રે કરી કામ લેવું જોઈએ ને તેને રસ્તે કામ લેવામાં આવશે તે આપણે ઉદય સમીપમાં થવાની અમે તે ઝાંખી કરી શકીએ છીએ કોન્ફરન્સનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org