SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩ મહા મુનિની ધર્મદેશના, તે વખતે જયકુમારે પિતાના બંધુની સાથે એ વિચાર કપિ છે કે, શ્રીચંદ્રકુમારના નામથી આપણે તિલકમંજરીને કુશસ્થળીમાં લઈ જઈ આપણું અંતઃપુરમાં જ રાખીશું. શ્રીચંદ્રને તે ખબર આપવાજ નહિ. તેને એ વિચાર તે સેવકે મને હમણાં જ જણવ્યો, માટે જયકુમારની સાથે તિલકમંજરીને મોકલવાં, તે મને જરાપણ મેગ્ય લાગતું નથી.. મંત્રીનાં વચન સાંભળી રાજા શ્રીતિલકે તે વાત અંગીકાર કરી, અને મંત્રીને પુછ્યું કે, હવે શું કરવું? ચતુર મંત્રી વિચારીને બોલ્યો- રાજકુમારી તિલકમંજરીને અહીં રાખવાં, અને ચતુરંગ સન્યની સાથે આપણા એક મંત્રીને જયકુમારની સાથે મોકલે, તે શ્રીચંદ્રકુમારને અહીં તેડી લાવે. મંત્રીની આ સલાહ રાજાએ સ્વીકારી અને કહ્યું, મંત્રીરાજ તમે કહે છે તે યથાર્થ છે. રાજકુમારીને સાથે મોકલવાં, તે મને પણ કામ લાગતું નથી; તથાપિ જયકુમારની સાથે ચતુરંગી સભ્ય સહિત જવાને મને તે તમેજ મેગ્ય લાગે છે. શ્રી ચંદ્રકુમાર ચતુર છે, તેને મધુર વચનથી સમજાવી અહી લાવવાને તમારા જેવા બહેશ માણસની જરૂર છે. શ્રીતિલક રાજાનાં વચન સાંભળી પીરમંત્રી કુશસ્થળી નગરીમાં જવાને તૈયાર થશે. રાજસમૃદ્ધિને જણાવના કેટલએક સન્ય તેણે સાથે લીધું. સર્વે કુશસ્થળીને માર્ગે પ્રયાણ કરવાને તૈયાર થયા. અનામે પ્રયાણ કરતા તેઓ કુશસ્થલીમાં આવી પહોંચ્યા. પ્રકરણ ૨૯ મું. મહા મુનિની ધરશના - હા તઃકાળના સમયે એક રમણીય વન ખીલી રહ્યું છે, તેની પાસે એક સ્વચ્છ જળનું સુંદર સરોવર આવેલું છે, જળમાં વૃક્ષનાં પ્રતિબિંબ પડે છે, તેથી જાણે પિતાને જન્મદાત્રી ભુમિની અંદર તેઓ વસી રહ્યા ક હોય, તે દેખાવ થઈ રહ્યા છે, અનેક મુસાફરે ત્યાં વિશ્રાંતિ કરી અતુલ આનંદ અનુભવે છે. વિવિધ જાતનાં સ્વાદિષ્ટ ફળોને અર્પણ કરી, સ્થાવર અને જડ વૃક્ષો પણ પરોપકારનું મહા પુણ્ય ઉપાલન કરે છે. પત્ર, પુખ અને ફળથી તૃપ્ત થયેલાં પશુઓ નૃત્ય કરતાં તે સરોવરનું સ્વાદિષ્ટ જળ પીવાને આવે છે. અા પક્ષીઓ પિતાના પ્રતિધ્વનિને પ્રત્યુત્તરરૂપે સમજી વારંવાર કલકડથી કંજિત કર્યા કરે છે. મકરદમાં મમ થયેલા મધુકર જાણે વનલીલાનું યશોગાન કરતા હોય, તેમ ગુંજારવ કરી રહ્યા છે. આ સમયે બે તાણ પુરૂષો એક વૃક્ષ નીચે બેસી વાર્તા કરે છે, તેમાંથી એક પુરૂષે કહ્યું, મિત્ર ! આ બે ફળનું શું કરવું છે ? બીજાએ કહ્યું, તમને જેમ યોગ્ય લાગે તેમ કરો. પછી તે બે ફળમાં જે મોટું ફળ હતું, તે એક પુરૂષે લીધું, અને બીજાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy