________________
૯૪
આનંદ મંદિર.
ફળ બીજા પુરૂષને આપવામાં આવ્યું. તે અને ફળ તેએ ભક્ષણ કરી, પરમ તૃપ્તિને
પ્રાપ્ત થયા.
અહીં વાચકનૃદને અધીરાઇ થઇ હરો કે, એ બને પુરૂષો કાણુ હશે ? તેઓને એ મૂળ કર્યાંથી મળ્યાં હશે ? અને તેમાં એક મેટું અને બીજુ નાનું. બંનેએ જુદું જુદુ ભક્ષણ કર્યું, તેમાં શે હેતુ હશે ? આ રમણીય વનમાં આવેલા અને તરૂણ પુરુષ તે આપણી વાતને નાયક શ્રીચંદ્રકુમાર અને તેના મિત્ર ગુણચંદ્ર હતા. તિલકપુરથી ઘેર આવી તે પાછા સાયંકાળે ક્રીડા કરવાને બહાર પુરવા ગયા હતા. દુર જઈ મધ્ય રાત્રી થતાં શ્રીચંદ્રને નિદ્રા આવવાથી કોઇ વૃક્ષ નીચે રથમાંથી ઉતરી એક વસ્ત્ર પાથરીને તે સુખ ગયા હતા. ગુચંદ્ર મિત્રની રક્ષા માટે જાગ્રત થઇ, તેની પાસે ખેડા હતેા, તેવામાં એક શુ પક્ષીનું જોડું તે નૃક્ષ ઉપર આવ્યું. શુષ્કીએ એ કુમારને જોઇ શુકતે કહ્યું, સ્વામી ! આ ક્રાઇ તેજસ્વી કુમારા રાજપુત્ર છે. તેમનું લલાટ ભાગ્યથી પ્રકાશમાન છે. આપણી પાસે માતુલિંગ ( બીજોરા ) નાં એ ફળ છે, તે આ ધાર્મિક કુમારને આપે તો ઠીક. તે બંને કુમારા આપણા અતિથી છે. આ એ મૂળમાંથી જે કુમાર મેટું ફળ ખાશે, તે રાજા થશે, અને નાનું ફળ ખાશે, તે મ ંત્રી થશે. શુષ્કીના કહેવાથી તે શુક પક્ષી નીચે ઉતર્યો, અને તે બન્ને ફળ તેણે તેમની પાસે મુક્યાં. પછી તે ખતે પક્ષીનું જોડુ ત્યાંથી ઉડીને બીજા વનમાં ચાલ્યું ગયું હતું. જાગ્રત એવા કુમાર ગુ તે પળ હાથમાં લીધાં, જ્યારે શ્રીચંદ્ર જાગૃત થયા, એટલે ચુકે તે શુક પક્ષીને સર્વ વૃત્તાંત જણાવ્યું, જે સાંભળી શ્રીચદ્રને અતિ હર્ષ થયેા. શ્રીદ્રે પોતાના મિત્રને કહ્યું કે, તે પક્ષીઓ જે માર્ગે ગયાં હોય, ત્યાં આપણે જઇ તેના સ્થાનના શેાધ કરીએ. પછી બંને રથમાં એશી આગળ ચાલ્યા. પ્રાતઃકાળને સમય થયે, ત્યારે આ સરાવરવાળા વનમાં આવ્યા હતા. અહીં નિત્ય આવશ્યક ક્રિયા કરી, અને પેલા ચમત્કારી ળનું ભક્ષણ કરતા હતા. જે રાજ્ય આપનાર માઢું ફળ હતું, તે શ્રીચકે ભક્ષણ કર્યું હતું. અને મંત્રીપદને આપનારૂં જે લધુ ફળ હતું, તેનું આસ્વાદન ગુણુદ્રે કર્યું હતું.
આ સુંદર સાવરનાં તીર ઉપર ફળ ભક્ષણ કરી તે ત્યાંથી વનની રમણીયતા શ્વેતા આગળ ચાલ્યા, ત્યાં એક મહા મુનિનાં દર્શન થયાં. એ પવિત્ર મુનિ શાંત અને દાંત હતા, તેમના અ'તર અને બાહેરનાં પરિણામ નિર્મિકાર હતાં, ક્રિયાવત, સયમ ગુણથી વિભૂષિત અને ચરણુ કરણમાં ઉત્તમ હતા, ષટકાય જીવ ઉપર દયાવંત હતા, તેમની કાયા મૈત્રી ભાવનાથી પવિત્ર હતી, વાયુની જેમ તે અપ્રતિબધ વિહાર કરનારા હતા, તેમના નિર્મળ હૃદયમાં માયા-કપટ જરા પણ ન હતાં, ત્રિકરણ શુદ્ધિથી એ મહા મુનિ ધ્યાન કરતા હતા. આવા પરમ પવિત્ર મુનિનાં દર્શન કરી, શ્રીયદ્ર અને ગુણચંદ્ર અતિ હર્ષે પામ્યા. એ પૂષના ચરણમાં જઇ તેઓએ વંદના કરી. શ્રીદ્રે હૃદયમાં ચિંતવ્યું કે, ઉત્તમ સાધુ એ જંગમ તીર્થ છે, તેમનાં દર્શન કરી આજે હું કૃતાર્થ અને ધન્ય થયા છું, પછી તેઓ તેમની આગળ વિનયથી યોગ્ય આસન ઉપર બેઠા. તેમની ગુરૂભક્તિ અને ભદ્રક હૃદય જોઇ મુનિ આનંદ પામ્યા. તે તેના દેતુ જુદા છે, અને જીવ એક છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org