SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૫ મહા મુનિની ધર્મદેશના. એમ તેમના જાણવામાં આવ્યું. ઉપકારી મુનિએ ધર્મ આશિષ આપી, અને તેમને ધાર્મિક હૃદયના ધણી નીચે પ્રમાણે ધર્મદેશના આપવા માંડી – આ જગતને વિષે મરૂભૂમિમાં કલ્પવૃક્ષની જેમ મનુષ્ય ભવ મળ દુર્લભ છે. કદિ મનુષ્ય ભવ મળે તે, કર્મભૂમિરૂપ આર્ય દેશ અને ઉત્તમ કુળ-જાતિ મળવાં દુર્લભ છે, તેમાં પણ શરીરની આરોગ્યતા દુર્લભ છે. એ સર્વ વસ્તુ પ્રાપ્ત થતાં પણ ઉત્તમ દેવ, ગુરૂ અને ધર્મને વેગ દુર્લભ છે. એ સર્વ સામગ્રીને વેગ થાય, તેમાં આગમનું શ્રવણ, શ્રદ્ધા રૂચી અને તેનું આદરપૂર્વક આચરણ એ દુર્લભ છે. જે પ્રાણી એ સર્વ સામગ્રી પ્રાપ્ત કરી, શ્રી જિનવરના માર્ગને આદર કરતો નથી, તે બકરીના ગળાના સ્તનની જેમ અને ઘાસને મથન કરવાની જેમ પોતાનો માનવભવ વૃથા ગુમાવે છે. આ પ્રમાણે જાણી ભવિ જનોએ શુદ્ધ જૈન ધર્મનો આદર કરે. એ ધર્મ વિના મોક્ષનું ઉત્તમ સુખ પ્રાપ્ત થતું નથી. કુમાર ! તું ધર્મની ધુરાને ધારણ કરવાને યોગ્ય છું, આજે શુદ્ધ સમવને અંગીકાર કર. તારામાં ઉત્તમ લક્ષણો રહેલાં છે, તેથી સૂર્યની જેમ તું પ્રકાશમાન લાગે છે, તું સર્વ રીતે શ્રાવક શિરોમણી થવાને અધીકારી છું, તું રાજકુમાર છે, તારાં ઉત્તમ લક્ષણથી જણાય છે કે, તને ઉત્તમ રાજ્ય પ્રાપ્ત થશે. ઘણું રાજાઓ તારા ચરણમાં આવી નમન કરશે, છત્રના જેવું ઉન્નત તારું મસ્તક છત્રપતિની જેમ છત્રને ધારણ કરશે, તારું વિશાળ વક્ષસ્થળ વંશની ઉન્નતિ સૂચવે છે. જેના શરીરમાં શુભ લક્ષણે હેય, તે ધર્મરત્ન ધારક, સર્વને ઉપકારી અને સમ્યકત્વથી સુશોભિત થાય છે. ' - ભદ્ર ! દેવ, ગુરૂ અને ધર્મનું યથાર્થ સ્પરૂપ જાણવું, અને તેને અનુસરવું, તે સમ્યકત્વ કહેવાય છે. જે સર્વ ભાવને જાણે, રાગાદિ દોષ જેણે જીત્યા હોય, જે ત્રણ જગતના હિતકારી હોય, જે સંસારને શેકી નાખે, જે યથાર્થ સત્ય વચન બેલનારા હોય, અને જે શુદ્ધ આચાર કરનારા હોય, તે દેવ કહેવાય છે. બીજા દેવને પરહરી તેવા દેવને આદર આપવો, તેનું જ ધ્યાન ધરવું, તેનીજ સેવા કરવી, અને તેનું જ શરણ લેવું, એ જ દેવાધીદેવ મોક્ષનાં મૂળ કારણ છે. જે પંચ મહાવ્રતને ધારણ કરે, નિર્દોષ માધુકરી વૃત્તિથી નિર્વાહ કરે, લાભ અને હાનીમાં જે સમાન રહે, જેની મનોવૃત્તિ હીણી ન હોય, આશંસા-જે આશા રહિત થઈ ધર્મને આદર કરે, તેવા જ ધર્મને ઉપદેશ આપે, જેનામાં છળ કપટ હેય નહીં, અને જે ગુણવંત હય, તે ગુરૂ કહેવાય છે. ઉપર કહેલા નિર્દોષ દેવતાએ કહેલો, નિસ્પૃહ ગુએ આદરેલ અને પડતાં એવાં જંતુને ધારણ અવલંબન કર, તે ધર્મ કહેવાય છે. તે ધર્મના ક્ષાંતિ વિગેરે દશ ભેદ છે. સત્તર પ્રકારના સંયમ, નાન દર્શન અને ચારિત્ર-તે ધર્મના આધારરૂપ છે, એવા દેવ, ગુરૂ અને ધર્મને રવીકારવા, તેનું નામ સમેવ કહેવાય છે. તે સમ્યકત્વનાં ત્રણ તત્વ અંગભૂત છે. નિશ્ચયથી સસ્તકનો લય થતાં એ સખ્યત્વ ગુણ કહેવાય છે. આ અનાદિ સંસારમાં જ્યાં સુધી એ સમ્યકત્વ રૂપી રત્ન પ્રાપ્ત થયું નથી, ત્યાં સુધી જીવને પ્રયત્ન જરાપણ સફળ નથી. એ સમ્યકત્વથી હૃદય જ્યારે વાસિત થાય છે, ત્યારે આત્મભાવ પ્રગટ થાય છે. આત્મભાવ પ્રગટ થવાથી સર્વ ગુણ પ્રાપ્ત થાય, અને તેથી છેવટે સિદ્ધ થાય છે.' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy