SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ મંદિર, અવસરે સામાયિક વ્રતનું ગ્રહણ કરવું, તેમાં પંચપરમેષ્ટીમય નવકાર મંત્રનો જપ કરે. સામાયિકને અર્થ એ છે કે, જેમાં સમ એટલે રાગ દેવમાં સમાન રહી, સવે પ્રાણી ઉપર મિત્રી ભાવ રાખે, તે સામાયિક કહેવાય છે. શુદ્ધ સામાયિક આચરવાથી વૈમાનિક દેવતનું આયુષ્ય બંધાય છે. દેવતાના એકાવન સુવર્ણગિરિ એકઠા કરી આપે, અને એક સામાયિક કરે, તથાપિ તે સામાયિકની બરાબર થતું નથી. પ્રતિદિન એક લાખ સુવ ની ખાડી આપે, અને સામાયિક આચરે, તે સરખું પુણ્ય છે. ત્રસ અને સ્થાવર પ્રાણ ઉપર સમતા ભાવ કરે, તે પણ સામાયિક કહેવાય છે. શ્રી ભગવતી સૂત્રમાં કહ્યું છે કે, સામાયિકવાળે આત્મા નિરાવરણુ, અને માયા રહિત છે. સમ એટલે આત્માના ગુણ જ્ઞાન, દર્શન અને ચારિત્ર, તેને આય એટલે લાભ તે સામાયિક કહેવાય છે. સામાયિ માં દ્રય, ભાવ, લિંગ, પરિપણિ, નિશ્ચય, અને વ્યવહારથી ભેદભેદ રહેલા છે, તેમાં પં. ચપરમેહીને કાર્ય કારણ ભાવ સંબંધ છે; ગુણ, અને ગુણી અળગાં નથી, તેઓ આધાર ને આધેય ભાવે છે. ગુણથી અલંકૃત, અઢાર દેવથી રહિત, અને ઉજ્વળ એવા શ્રી અરિહંત પ્રણનું ધ્યાન ધરવું. નામ, સ્થાપના, દ્રવ્ય, અને ભાવ, એ ચાર નિક્ષેપરૂપે તેમાં સાર રહે છે. આઠ કર્મને ક્ષય કરી, આઠ અનંત ગુણે પુક્ત એવા સિહને પધરાગ મણિની જેમ રક્ત વર્ણના ધ્યાન કરવા, ત્રીશ ગુણવાળા, પ્રવચનના ગુણવાળા, અને પીળો વણવાળા આચાર્યજીને પાવા, પચીસ ગુણરૂપ મણિથી વિભૂષિત, અને અધ્યયનના ઉ૫કારી એવા ઉપાધ્યાયને પ્રિયંગુ વર્ષના બાવા, સત્યાવીસ ગુણવાળા, અને લબ્ધિના ક્ષેત્ર ૫ એવા અનગાર ગુરૂને અંજન વર્ણના બાવા. એ પંચપરમેષ્ટીને દ્રવ્ય, અને ભાવથી જે નમન કરે, અને તેમના મંગળરૂપ નામને જપે, તેનાં સર્વ પાપ નાશ પામી જાય છે. તો, સંધ, અને પ્રવચન, એ ત્રણ લેકમાં શાશ્વત છે, અને તે ત્રિકાળ નિરાબાધ છે, એ ૫ણુ પંચ પરમેષ્ટી પદના મિત્ર છે, જન્મ સમયે તેમનું સ્મરણ કરવાથી ભવિષ્યમાં ધર્મ પ્રાપ્ત થાય છે, અને અંત સમયે સ્મરણ કરવાથી સંસારનાં કર્મ છુટી જાય છે, બાપત્તિમાં સ્મરણ કરવાથી આપત્તિને નાશ થાય છે, અને સંપત્તિમાં સ્મરણ કરવાથી સંપત્તિને સ્થિર વાસ થાય છે. જેમ ગરૂડના મંત્રને અર્થ ભાવ જાયા વિના કેવળ પ્રલ રાખવાથી તે વડે સપના વિષને નાશ થઈ જાય છે, તેમ એ પંચ પરમેષ્ટી મંત્ર કે. વળ શ્રેહાથી ફળદાયક થાય છે. કામકુંભ, ચિંતામણિ, અને કલ્પવૃક્ષ તે એકજ ભવે વાં. છિત ફળ આપે છે, અને એ મહા મંત્ર તે ભવ વાંછિત ફળ આપે છે, યેગી, ભોગી, અને અનુભવી લે છે પણ એ નવકાર મંત્રનું ધ્યાન કરે છે. એ મહામંત્ર પરમ પદની પ્રાપ્તિને હેતું છે, તે પવિત્ર મંત્રમાં કાર વગેરે ઘણું બીજે છે, તે તેનાં સાહા યે કરનારાં છે. દ્ર ! બી જિન ભગવંતની પૂજા કરી, પવિત્ર મનથી એક લાખ નવકાર મંત્રને ગણે, તે તે માનવ અવતારમાં તીર્થંકર પદ પ્રાપ્ત કરે છે. સાધુ કે પ્રતિમા સમીપ કરાવ (કરમાલા ) થી જે નવકાર ગણે છે, તેને ભૂત, પ્રેત, પ્રમુખ શત્રુઓ છળી શકતા નથી. નંદાવર્ત અને શંખાવવડે જે ગણે છે, તેને ડાકડ, રાક્ષસ, તાલ, અને મરકી કદી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy