SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ મહા મુનિની ધર્મદેશના. ૯૭ પણ હોતાં નથી, તેનાથી દુરિત દૂર થઈ જાય છે. પવિત્ર મને ચિતવેલે નવકાર મંત્ર ભય અને સ ંકટને ચૂર્ણ કરી નાખે છે, અને જેમ પુત્રને માતા રાખે, તેમ તે જાપકને વાંછિત આપી સુખી રાખે છે. જેના હૃદય કમળમાં નવ ૧૬જીરૂપ કેશરી સિંહ વસે, તે કર્મરૂપી ગજેદ્રા ત્યાં રહી શકેંતા નથી. નવકારના મૈં અક્ષરથી સાત સાગરોપમનુ પાપ દૂર થાય છે, એક પદ વડે પચાશ સાગરેાપમનાં પાપ જાય છે, અને સર્વ પદવડે સર્વ અસંખ્ય પાપને પ્રાય ચાય છે. શ્રી જીન શાસનમાં ચાદ પૂર્વને સાર એવા છે કે, જે પ્રાણીના મનમાં એ મહા મંત્રની આસ્તા હોય, તેને સંસાર શુ કરી શકે ? એ નવકાર મંત્રને શુદ્ધ સ્વામી તે થાય છે, કે જે ગ્રંથિભેદ કરી વિધિવડે તપસ્યા કરી નવ તત્ત્વને જ્ઞાતા હોય, કુળ ધર્મથી, અભ્યાસથી, કષાયની મંદતાથી અને માયા—કપટના ત્યાગથી પુણ્ય પ્રકૃતિવાળા પુરૂષને એ મંત્રના ગુણ સત્વર થાય છે. કર્મરૂપી સુભટને નાશ કરવામાં યાદ્દા જેવા આશ્રવના રાધ જેમ જેમ કરવામાં આવે, તેમ તેમ એ મહા મંત્ર ગુણકારી થાય છે. અડસઠ, પાંત્રીશ; સોળ, આઠ, ચાર, એ અને એક અક્ષર એવા વિધિથી જે એ મહા મત્રને મહુવા, જેમાં ગુરૂની આમ્નાય-મર્યાદાના વિવેક રહેલા છે. જે શાંત, દાંત, ઇંદ્રિયાને વશ કરનાર, જીન તથા ગુરૂના ભક્ત, શ્રદ્ધાવાળા, ઉદાર મનવાળા, ઉપકાર કરનાર, કૃતજ્ઞ, દયાળુ, અને એ ભણવાથી જેનુ મન ઉલ્લાસ પામે, તેવા માણુસ એ પવિત્ર મંત્ર ભણુવાને, ગણુાને અને સાંભળવાને યાગ્ય છે. એ મહા મત્ર યોગ્યતા જોરેજ આપવામાં આવે છે. મેગ્યતા વિના તે કદિ પણ આપવામાં આવતા નથી. ભદ્ર ! તેથી તારી યેાગ્યતા જોઇ એ મત્ર તને આપવાની હું`પૃચ્છા કરૂ છું. હૃદયમાં ઉત્તમ ભાવ રાખી તે નવપદજીના મનને ધારણ કરજે, સમકિત રત્નને સંપાદન કરજે, અને શંકા, આકાંક્ષા વિગેરે પ ટાળવાને યત્ન કરજે. વત્સ ! શખ, પ્રવાળા, સ્ફટિક, મણી, રત્ન, રૂપું, સુવર્ણ, રતાંજલી, દ્રાક્ષ, ચંદન અને ઉત્તમ વર્ણનાં મૂળની માળાએ કરવી એમ કહેલું છે, તે પાંચ વર્ણની તથા ઉત્તમ સૂત્રની પણ થાય છે. રહસ્ય, ઉપાંશુ અને ભાષ્ય એવા જપના ત્રણ પ્રકાર છે. જપ કરતી વખતે મેરૂ પારાનુ ઉલ્લંધન કરવું નહીં, નખના અગ્ર ભાગે માળા રાખવી, અવિધિ અને આશાતના દૂર કરવી, પવિત્ર થઇને મંત્ર ગણવા. શૂન્ય અનાડુત નાદથી, કાંઇ પણ કામના ધાયા વગર અંગેહાદિવડે જે જપ કરવામાં આવે, તે જપ મેક્ષ સુખને પ્રાસ કરાવે છે. રક્ત વહુની માળાવડે જપ કરવાથી મેહન, અને લક્ષ્મી સાધ્ય થાય છે, તેમજ શત્રુનું ઉચ્ચાટન થાય છે. પીત વર્ણની માળાવડે જપવાથી, યશ, શાભા અને પરિવારની વૃદ્ધિ થાય છે, નીલ વર્ણની માળાના જપથી રાગાદિક શમી જાય છે, તર્જની, મધ્યમા, અનામિકા અને કનિષ્ટા આંગળીવડે ગણવાથી શત્રુને નાશ, સુખ અને યશની વૃદ્ધિ થાય છે. ઇત્યાદિ તેના સકામિક ભેદ ધણા છે. ભદ્ર ! તે શિવાય માસ, તિથિ, નક્ષત્ર, રાશિ, અને વણના ભેદથી તે જપના પ્રકાર તે તે કાર્ય પરત્વે જુદા જુદા કહેલા છે. વળી તેની અડતાલીશ મુદ્રાઓ છે, તેમાં ૧૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy