________________
આનંદ મંદિર, ગરાદિક સાત મુકાઓ પ્રખ્યાત છે. સિદ્ધચક્રમાં નવ પ અંતર્ભુત છે. તે ગુણ અને ગણી ભાવે અદ્દભુત રીતે રહેલા છે. પ્રખ્યાત પંડિત શ્રી સિદ્ધસેન દિવાકરે તેનું તત્વ સારી રીતે નિર્માણ કરી દર્શાવ્યું છે. આ પ્રમાણે એ મહા મંત્ર જાપ ઉભય લેકમાં સુખદાયક છે. તેને આત્મરૂપે ભાવવાથી નિર્મળ અને સર્વોત્તમ આત્મ ગુણ પ્રાપ્ત થાય છે. જk ! એ એ મહા મંત્ર તને સમકિત સાથે આપવાની મારી ઈચ્છા છે. તારા ભાવિક હૃદયમાં ભાવિત કરેલા નવ પદજી અને પંચપરમેષ્ટીના નામથી અંકિત એવા સિહાયથી તારી સર્વ પ્રકારની ઉન્નતિ થશે. તું આહંત ધર્મને પ્રભાવક અને દીપક થઇશ.
મુનિરાજની આવી ધર્મ દેશના સાંભળી શ્રી ચંદ્રકુમારનું હદય ભાવનાથી ભાવિત થઈ ગયું. મૈત્રીભાવના ઉદિત થઈ. અંતરમાં સત્ય ભાવ ઉલ્લાસ પામ્યો. ત્રણ તત્વની વાથી તે ખુશી થઈ ગયો. ગુણચંદ્ર પણ આત્માને કૃતાર્થ માનવા લાગે. પછી શ્રીચ કે તે ગુરૂની સાક્ષીએ સમ્યકત્વ મુળ સામાયિક વ્રત અંગીકાર કર્યું. પછી તે વિનયથી બે
-પ્રભુ ! મારાં મલિવ નેત્રને આપે જ્ઞાનરૂપ અંજનથી નિર્મળાં કર્યાં છે. તમે અને મારે સેવ્ય અને ધ્યેય છે, તેમજ અમારા હિતકારક છે. હિત કહેનારા ગુરૂ વિના ધએને લાભ કયાંથી મળે ? ગુરૂ પ્રવચનના સાક્ષી છે. રસ, ધાતુ, કળા, વિદ્યા, ધર્મ, મંત્ર, તંત્ર અને દેવતા ગુરૂના ઉપદેશ વિના સફળ થતા નથી. જો કે, મણિ બહુ મુલ્યવાળા હેય, તે પણ તેને શતપુટ શોધન કર્યા વિના કોઇ પણ મુગટ વિગેરેમાં જોડતા નથી. તેમ બધા ગુણ ગુરૂની સમક્ષ શેધન કરી, ધારણ કરાય છે. માતા, પિતા, પતિ, બંધુ અને સખા તે આ ભવને વિષે સગાઈ બતાવે છે, તેથી પણ ધર્મની સગાઈ અધિક છે, કે જે ભવભવ સુખદાયક થાય છે. સ્વામી ! મને ધન્ય છે, અને હું પુણ્યવાન છું કે, મને તમારાં દર્શન થયાં. સર્વ જનમાં શ્રેષ્ટ એવા તમારા સમાગમથી મારો અવતાર સફળ થયો છે. આ પ્રમાણે મુનિની સ્તુતિ કરી, ગુરૂના ચરણ કમળમાં નમન કરી, તેની અનુમોદના કરતો અને એ મહોપકારી મુનિરાજતું હૃદયમાં સ્મરણ કરતે, શ્રીચંદ્રકુમાર ઉત્તમ ગુરૂ ભક્તિની ભાવના ભાવવા લાગ્યો. પછી શ્રીચંદ્ર નિશ્ચય કરી, પંચપરમેષ્ઠી પદને ગણવા સાથે સામાયિક વ્રત ગ્રહણ કર્યું. પિતે શ્રદ્ધા સાથે સમકિત શોભાથી વિભૂષિત થયો. આ શંસા રહિત અને ત્રિવર્ગ ( ધર્મ, અર્થ, કામ ) ને બાધ ન આવે તેવી રીતે સાધન કરવા તત્પર થયે. આત્માના મેક્ષ સાધક ગુણ વધારવા ઉક્ત થયો.
આ પ્રમાણે મુનિરાજની દેશનાને સાર્થક કરતો શ્રીચંદ્રકુમાર તે મુનિને વંદના કરી, મિત્ર ગુણચંદ્રની સાથે ત્યાંથી બેઠે થશે. સુવેગ રથ જોડવાને ધનંજય સારથીને આજ્ઞા કરી. રથ સજજ થયો, એટલે તેમાં બેસી શ્રી ચંદ્રકુમાર અનેક વનનાં કેતુનું અવકન કરતે આગળ ચાલ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org