SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ આનંદ મંદિર, શીઓ તેને આધીન થઈ જતા હતા. જે તે ગાયન કળામાં નિપુણ હતો, તેવો જ તે રાજકાર્યમાં પણ હતું. રાજ્યની ખટપટ કરવાનું સામર્થ્ય તેની બુદ્ધિમાં રહેલું હતું, તે છતાં તે કોઈને અપકાર કરતા નહીં હમેશાં ઉપકાર કરવાની તેની ટેવ હતી, કાંઈ પણ મુશ્કેલી ભરેલું કાર્ય જે પરોપકારી હોય, તે તે સિદ્ધ કરવાને વીણારવ આગળ પડતું હતો. ભારત વર્ષના પ્રખ્યાત રાજ્યકર્તાઓને અને રાજકુમારોને તે ઓળખતા હતે. કોઈ રાજ્યમાં કાંઈ પણ નવીન બનાવ બને તે તરતજ વીણાવના જાણવામાં આવતો હતે. જયારે શ્રીચંદ્ર રાધાવેધ કરવા ઉઠશે, ત્યારે તરતજ વિણાર તેને ઓળખી લીધે હતું. તેણે જાણી લીધું કે, આ શ્રી ચંદ્રકુમાર કુશસ્થલી નગરીના લક્ષ્મીદા શેઠને પુત્ર છે, તે આઠ વણિક કન્યાઓને એકી સાથે પરણ્ય છે, ગુણધર નામના ઉપાધ્યાયની પાસે તે સર્વ કળા શીખે છે, તેની પાસે સુવેગ નામે એક સુંદર રથ છે, તેને વાયુવેગ અને મહાગ નામે બે અશ્વ છે. પ્રતાપસિંહ રાજાએ સંતુષ્ટ થઈ, તેને કર્ણાટ નગર ઈનામમાં આપ્યું છે, તે આ શ્રીચંદ્ર રાધાવેધ કરવા આવે છે. શ્રીચંદ્ર રાધાવેધ કરી પલાયન કરી ગયા, તે પણ તે વીણરવ ગાયકના જોવામાં આવ્યું હતું. રાજા શ્રીતિલકે શ્રીચંદ્રની પછવાડે શોધ કરવા અનેક સ્વારો અને દિલ સૈનિક મોકલ્યા હતા, તેઓ જ્યારે પાછા આવ્યા, એટલે શ્રી તિલકને ઘણી ગ્લાનિ થઈ ગઈ. આ સમયે જય વિગેરે કુમારોએ ઈર્ષાથી વિચાર્યું કે, શ્રીચંદ્ર રાધાવેધ કરી નાશી ગયે, તેને લાભ આપણે લઇએ. રાજા શ્રીતિલકને શ્રીચંદ્રની ઓળખાણ આપી, આપણે એ રાજકન્યા લઈ જઈએ. આવા વિચારથી જય વિગેરે કુમારે શ્રીતિલક રાજાની પાસે આવ્યા. જેના મુખ ઉપર શેકની છાયા પ્રસરેલી છે, એવા શ્રી તિલકને જયકુમારે કહ્યું, રાજે ! ચિંતા કરો નહિ, રાધાવેધ કરી નાશી જનારનું નામ શ્રી ચંદ્રકુમાર છે, તે અમારા નગરના નિવાસી લક્ષ્મીદા શેઠને પુત્ર છે. અમારા પિતા પ્રતાપસિ હે પ્રસન્ન થઈ, તેને કણકેટ નગર આપેલું છે, તે કુમાર અમારી પ્રજા છે. રાજકન્યા તિલકમંજરીને અમારી સાથે બોલે. અમે કુશસ્થલીમાં જઈ એ કુમારને સ્વાધીન કરી સુખી કરીશું. જયકુમારે આ ખબર આપ્યા, તે સાંભળી શ્રીતિલક અને તેને પરિવાર ખુશી છે. તેના મનમાં જે જ્ઞાની હતી, તે દૂર થઈ ગઈ. જયકુમારે આપેલા આ ખબર પડતાં માણસને જેમ હાથને ટેકે મળે, તેમ રાજાને તેમને ટેકે મળે. રાજાએ શેક કરતી તિલકમંજરીને આશ્વાસન આપી કહ્યું, બેટા ! શેક કરીશ નહિ, તારો સ્વયંવર સાર્થક થયું છે. તને રાધાવેધ કરી વરનાર પુરૂષ કુશસ્થલી નગરીમાં છે, ત્યાં તને મેટા પરિવાર સાથે મોકલાવું છું, જરાપણ ચિંતા કરીશ નહિ. આમ કહી તિલકમંજરીને શાંત કરી, પછી રાજાએ તિલકમંજરીને જયકુમારની સાથે મોકલવા તૈયારી કરવા માંડી. સ્વયંવરમાં આવેલા સર્વ રાજાઓને મેગ્યતા પ્રમાણે પોષાક આપી, વિદાય કરવામાં આવ્યા. આ સમયે ધીર નામના મંત્રીએ આવી શ્રીતિલકને જણાવ્યું, સ્વામી ! સાહસ કરે નહિ. જયકુમાર શ્રી ચંદ્રકુમારને દેવી છે, તે જયકુમારની સાથે તિલકમંજરીને મેકલશે નહિ. જે મેલશે તે વિપરીત થશે. મારો એક સેવક જયકુમારની પાસે હવે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy