________________
આનદ મંદિર.
અને લક્ષ્યવેધમાં અગ્રણી એવા ક્ષત્રિયેાજ કહેવાતા હતા, તે ક્ષત્રિયે!ને શ્રીચંદ્રરૂપી ચંદ્રે આ ભારત ભૂમિમાં તારાની જેમ નિસ્તેજ કરી દીધા છે. શ્રીદ્રકુમારના આ પરાક્રમથી મને પણ સીત્ત પ્રાપ્ત કરાવનાર, અને વિશ્વમાં વિખ્યાત કરાવનાર એ કુમારના હુ` ઉપકાર માનું છું. આવી ઉત્તમ કળાનું તેનું ચાતુર્યં જોઇ તેની વિદ્યા અને કળાના શિક્ષક ગુરૂને પણ ધન્યવાદ ધટે છે. સુપાત્રમાં આપેલી વિદ્યા અને કળા કેવી ખીલી નીકળે છે ! એ કહેવત શ્રીચદ્રે સિદ્ધ કરી આપેલ છે. મારા રાજ્યમાં આવા એક વિદ્વાન અને કળા કુશળ પુરૂષ હાવાથી હું મારી કુશસ્થળી રાજધાનીને અલંકૃત માનું , છેવટે રાધાવેધ કરનાર શ્રીચદ્રકુમારને અભિન દન સહિત આશિષ આપુ છું કે, તે સર્વદા આવા કીર્ત્તિવત કાર્ચમાં વિજયી થાય, અને લક્ષ્મીદત્ત શેઠની રાજ્ય સમાન સમૃદ્ધિને સુખ સાથે ચિરકાર ભાગવે.
પ્રતાપસિંહના આવા ભાષણથી જયકુમાર શિવાય સર્વે શ્રાતા ખુશી થયા, પછી ગુણચંદ્રે શ્રીદ્રકુમારે કરેલા એ મહત્ કાર્યનું રાજા પ્રતાપની આગળ વર્ણન કહી બતાવ્યું. રાધાવેધ કરનારને રાજકન્યા મળવી જોએ, તે શ્રીચદ્રકુમારને તેના લાભ કેમ ન થયા ? એ રાજાના પ્રશ્નના ગુણચન્દ્રે ખુલ:સા કરી બતાયેા, જે સાંભળી પ્રતાપસિંહે શ્રીચંદ્રની પિતૃભક્તિની પ્રશંસા કરી, તેમ વળી શ્રીચદ્રકુમાર આઠે પહેારમાં ત્યાં પહેાંચ્યા, અને પાછા તેટલાજ સમયમાં આવી પહોંચ્યા. એ સુત્રેગ રથને ચમત્કાર ગુ. ચંદ્રે સર્વની સમક્ષ મહારાજાને જણાવ્યા. આ પ્રસંગે પ્રતાપસિ ંહૈ ગુણચંદ્રની મૈત્રીને પણ ધન્યવાદ આપ્યા.
ત્યાર પછી સભા વિસર્જન કરી પ્રતાપસિ ંહે શ્રીચંદ્રકુમારને પોષાક આપ્યા, અને ગાજતે વાતે સર્વ સામત તથા મંત્રી વર્ગ સાથે તેને ઘેર વિદાય કર્યા. આ પ્રસગે લક્ષ્મીદત્ત શેઠનુ ધર ઉત્સવમય થઇ રહ્યું હતું, તેના સુશોભિત મંદિરમાં નૃત્ય, ગીત અને સંગીત થવા લાગ્યાં, નગરના લેાકેા ઉમંગથી શેઠની આગળ આનદ દર્શાવવા આવવા લાગ્યા, પુત્રના વિજયથી હર્ષ પામેલા શ્રાવક ચણી. શેઠ લક્ષ્મીદત્તે જિનચૈત્યમાં પૂજા, આંગી અને સ્નાત્ર કરાવ્યાં. કુશસ્થલી નગરીના બાળથી તે વૃદ્ધુ સુધી સર્વના મનમાં અત્યંત હર્ષ થયા હતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org