SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીચંદ્રને ધન્યવાદ. ૮૯ "" કહ્યું, શ્રીચદ્રકુમારને શાબાશી ધટે છે, તેના રૂપ, કાંતિ, વિદ્યા અને કળા ગુણુ કૃતાર્થ છે, તેના વિતને ધન્ય છે. હજારો રાજકુમારોમાં તેણે પોતાની ધન્વી કળા દર્શાવી આપી છે. ભારતના ક્ષત્રિય વીરાને પોતાના પ્રભાવિક તેજથી ઝાંખા પાડયા છે. શ્રીચંદ્રનાં માતા પિતાને પણ ધન્યવાદ ધરે છે. પ્રતાપે એમ તેની ઘણી પ્રશંસા કરી, પછી મંત્રીને કહ્યું, મંત્રી ! શ્રીયદ્રે આ ચમત્કારી કાર્ય કરી, આપણા યાને વધાો છે. જેમ જયકુમાર વિગેરે મારા પુત્રા છે, તેમ હું શ્રીચંદ્રકુમારને ગણું છું. આ મહત્ કાર્ય કરી, પ્રતાપી શ્રીચંદ્રે મારી કાર્ત્તિને દિગંતમાં ફેલાવી છે. લેાકા કહેતા હશે કે, કુશસ્થલીના રાજા પ્રતાપસિંહની પ્રજા અને ધનુર્વિદ્યામાં નિપુણ એવા શ્રીદ્રકુમારે તિક્ષકપુરમાં રાધાવેધ કર્યો છે. ” આ પ્રમાણે તેના નામની સાથે મારા નામનું યશોગાન જગતમાં થતું હશે. એ પ્રભાવી વણિક કુમારે મારી નામના વધારી છે. મત્રીશ્વર ! મને આશ્ચર્ષ થાય છે કે, એ શ્રીચદ્રકુમાર આ કળા કયાંથી શીખ્યા હશે ? લધુ છતાં અલ જેવાં પરાક્રમ ગાનારા તે કેવી રીતે થયા ? તેનામાં વિવેક, નીતિ, ગાંભીર્ય, ધૈર્ય અને શમતા એ ગુરુ માંથી આવ્યા ? તે કાષ્ઠ દૈવિક અને ચમત્કારી પ્રભાવવાળા છે. મંત્રી ખલ્યેા—મહારાજ ! આપ કહેા છે, તે બધું આશ્ચર્યકારી છે, પણ મને તે એક ખીજું આશ્ચયૅ થયુ છે. એ પરાક્રમી શ્રીચંદ્રકુમારને હું હુમેશાં અહીંજ જોઉં છું. તે તિલકપુરમાં યારે ગયા હશે ? અને રાધાવેધ કરી પાળે ક્યારે આવ્યા હશે ? એ કાંઈ સમજ પડતી નથી. અહીંથી એંશી યેાજન દુર રહેલા તિલકપુરમાં શ્રીચ ંદ્રનું જવું, અને ત્યાંથી પાછું આવવું એ અકસ્માત્ પ્રેમ બને ? રાજેદ્ર ! આ વાતમાં મને ધણુ ંજ આશ્ચર્ય થાય છે. મારા બંને પુત્ર શુદ્ર તેના મિત્ર છે, તે હંમેશાં તેની સાથે જાય છે, અને આવે છે, તેથી હુ સારી રીતે જાણુ' છું કે, આ વાતમાં કાંઈક ચમત્કાર છે. મંત્રીનાં વચન સાંભળી રાન્ત પ્રતાપસિંહને વિશેષ આશ્રર્ય થયું. તેના હૃદયમાં તે જાણવાની પ્રબળ ઈચ્છા ચક્ર આવી. તત્કાળ તેણે ગુણુચદ્ર, લક્ષ્મીદત્ત શેઠ અને શ્રીચંદ્રને સાથે તેડી લાવવા એક દુતને આજ્ઞા કરી. દુતના કહેવાથી તે સર્વે રાજા પ્રતાપસિંહની આગળ આવ્યા. પ્રતાપે ધણા હર્ષથી શ્રીચંદ્રના સત્કાર કર્યો, પોતે ઉઠીને શ્રીચદ્રને ભેટી પડયા, અને લક્ષ્મીદત્ત શેઠ તથા ગુણચંદ્રને અભિનંદન આપ્યું. પ્રતાપસિંહે મોટી સભા ભરી તેની સમક્ષ ઉભા થઈને નીચે પ્રમાણે ભાષણ કર્યું. શેઠ લક્ષ્મીદત્ત, ગુદ્ર, સામત, તથા મિત્રવર્ગ, અને ગૃહસ્થા ! મને કહેવાને હર્ષ થાય છે કે, મારી પ્રજામાં અગ્રેસર ગણાતા અને આર્હત ધર્મના પૂર્ણ રાગી, શેઢ લક્ષ્મીદત્તના પુત્ર શ્રી કુમારે ભારત વર્ષના ભૂમિતિઓની સમક્ષ તિલકપુરમાં રાધાવેધ કર્યું, તેને માટે હું તેને અ ંત:કરણથી ધન્યવાદ આપુ છું. જે કાર્ય ક્ષાત્ર ધર્મના ધુરંધર એવા ક્ષત્રિય વીરાથી થઇ શકતુ નથી, તે કાર્યં એક વણુક પુત્ર શ્રીચદ્રકુમારે ક્ષણ વારમાં કરી બતાવી, સ્વયંવરના સમાજને, અને આપણુ સર્વતે આશ્ચર્યમાં નાંખી દીધા છે. તે ધર્મવીર, અને કલાવીર કુમારને સસ્રહગણી સાબાશી ઘટે છે. પૂર્વે ભારત ભૂમિ ઉપર રાધાવેધ કરનારા ક્ષત્રીઓએ જે કીર્ત્તિ પ્રાપ્ત કરી હતી, તેવીજ કીર્ત્ત મારા એક પ્રજાગણ માંહેલા વીર પુત્ર પ્રાપ્ત કરી છે, તેથી મને પૂર્ણ સહષ થાય છે, યુદ્ધ કળામાં નિપુ ૧૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy