SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ મંદિર. સામું જોયું. પર હૃદય જાણનાર ગુણ લક્ષ્મીદા શેઠને કહ્યું, શેઠજી ! તમારા પુત્ર શ્રીચંદ્ર ભારત વર્ષના રાજ મંડળની સમીપ રાધાવેધ કર્યો છે. પ્રથમ અનેક ધવી અને બળવાન રાજાઓ તે મહાન કાર્ય કરવા ઉઠયા હતા, પણ કઈ ક્ષત્રિય પુત્રથી એ કાર્ય થઈ શક્યું નહીં. શ્રી તિલક રાજા ચિંતામાં પડી ગયો, સ્વયંવરની રચના થી થવાનો સમય આવ્યો, તે વખતે મારા આગ્રહથી બાણાવલી શ્રી દે સર્વની સમક્ષ એ સવંતમ કળા દર્શાવી હતી. સર્વ જન સમાજે ઉંચા અવનથી જ્યનાદ ક, વાજિત્રોના શબ્દથી ગગન મંડળ ગાજી ઉઠયું, આ સાંભળતાં જ લક્ષ્મીદા શેઠને અતિ આનંદ થઈ અને પુનઃ નહર્ષના આવેશથી બેઠા થઈ લક્ષ્મીદ પુત્રને આલિંગન આપ્યું, અને પ્રેમાશ્રી ધારથી તેના મસ્તકને આર્ટ કરી દીધું. લક્ષ્મીવતીને પગ તે સાંભળી અંત આનંદ . ગુણચંદ્ર પ્રયાણથી માંડીને રાધાવેધ સુધી બધે વૃત્તાંત સંભળાવ્યું. તે સાંભળી શ્રીચદ્રનાં માતાપિતા સાનંદાશ્ચર્ય થઈ ગયાં. લક્ષ્મીદા શેઠે ગુણચંદ્રને પુછયું, રાધાવેધ કરી પ્રાપ્ત થએલી તે રાજકન્યા કયાં છે ? ગુગ કે દ્ર બે, શેઠજી ! તમારી આજ્ઞા વિના રાજપુત્રીનું પાણિગ્રહણ કરવું, તે શ્રીચંદ્રને એ ય લાગ્યું નહીં, રાધાવેધ કરી તત્કાળ ગુપ્ત રીતે અમે અહીં નાશી આવ્યા છીએ. તિલપુરમાં પછવાડે શું થયું હશે ? તે જ્ઞાની જાણે. શ્રીચંદ્રસુમાર પિતાને આજ્ઞાંકિત પુત્ર છે, એવું જાણી લક્ષ્મીદા શેઠને વિશેષ આનંદ થશે. તેણે ચિંતવ્યું કે, પિતાની આજ્ઞામાં રહેવું, અને પિતાની સેવા કરવી, એ પુત્રને પવિત્ર ધર્મ છે, એ ધર્મને યથાર્થ રીતે જાણનારા શ્રીચંદ્રના જેવા થેડા પુત્રો હશે. તિલકમંજરી જેવી સુંદર રાજકન્યા પ્રાપ્ત થયા છતાં જેણે પિતાની આજ્ઞા વિના તેને અંગીકાર કરી નહીં, એ કેવી આજ્ઞાંકિતતા ? શ્રીચદ્ર ખરેખર પુત્ર ધર્મને નમુનો છે. પુત્રએ પિતાની આગળ કેમ વર્તવું જોઈએ ? પિતૃ ભક્તિ કેવી રીતે કરવી જોઈએ ? અને પુત્રની પુત્રતા શેમાં રહેલી છે ? એ સઘળું જાણનાર શ્રીચંદ્ર એકજ પુત્ર છે. પિતાનાં વચનને અનુસરી વર્તનારા પુત્ર સુપુત્ર છે, તેઓ ખરેખરા પિતૃભક્ત છે, કદ પિતા અd, મૂઢ, ક્રોધી, કરી અને દુરાચારી હેય, તથાપિ તેવા પિતા તરફ પૂજ્ય બુદ્ધિ રાખવી, એ પુત્ર ધર્મ છે. પુત્ર માવજીવિત પિતાના ઉત્પાદક અને પિષક પિતાને આભારી છે. ઉન્નતિમાં આવવાનાં સાધને પુત્રને પિતાથીજ સંપાદન થાય છે. બાલ્યવયમાંથી વિદ્યા કળા અને ગૃહધર્મનું ઉત્તમ શિક્ષણ સંપાદન કરવામાં પુત્રનેપિતાનીજ સહાય મળે છે, સમુણી અને પિત ધર્મને જાણનારા પિતાઓ જે સહાય પુત્રને આપી શકે છે, તે અમૂલ્ય છે, તે સહાયને લઈ પુત્ર ભવિષ્યમાં પોતાની સર્વ પ્રકારની સુખ સામગ્રી સંપાદન કરી શકે છે. એ અરસામાં જયકુમાર વિગેરે પ્રતાપસિંહના કુમારે તિલકપુરથી કુશસ્થલીમાં આવ્યા હતા. શ્રી ચંદ્રકુમારે કરેલા રાધાવેધથી તેમના હૃદયમાં ઉત્પન્ન થઈ હતી. ઈ. ને લઇ તેઓએ નિશ્ચય કર્યો હતો કે, જે તિલકમંજરી કુશસ્થલીમાં આવે, તે આ પણે તે રાજ્યકન્યાને તાબે કરવી. શ્રી ચંદ્રકુમાર આપણે પ્રજા છે. આપણું સેવકને પણ સેવક છે. વણિક જાતિને ઘેર રાજકુમારી કેમ શોભે ? આ કુવિચાર કરી, તેઓ કુશસ્થલીમાં આવ્યા હતા. શ્રીચંદ્રકુમારે કરેલ રાધાવેધને સર્વ વૃત્તાંત તેમણે પ્રતાપસિંહને જ. ણાવ્યું. તે સંભળી રાજા ચિત્તમાં ચમકાર પામી છે. નિર્મળ હદયના પ્રતાપે હર્ષ પામી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy