________________
આનંદ મંદિર, તને પાછી સતેજ કરે. લક્ષ્મીદત્ત શેઠની યશ સમૃદ્ધિમાં વધારો કરે, અને તમારા અંતઃપુરમાં એક રાજ કન્યાનું સ્થાપન કરો. આવી રીતે ગુણચંદ્રના આગ્રહથી, અને તેની પ્રબળ પ્રેરણાથી શ્રી ચંદ્રકુમાર પિતાના સામાન્ય આસનમાંથી બેઠે થઈ રાધાવેધના સ્થાન પાસે આવ્યો. સર્વ સમાજ તેની સામે જોઈ રહ્યા. રાજા શ્રીતિલક અને તિલકમજરીના હૃદયમાં પાછી આશારૂપ લતા પુનઃ સજીવન થઈ, શ્રીચંદ્રની મનોહર મૂર્તિ, અને તેનું અનુપમ સૌંદર્ય જોઈ, તિલકમંજરી મોહ પામી ગઈ. તેણીએ ચિંતવ્યું કે, આ મ. નેહર કુમાર પિતાશ્રીના કઠિન પણને પૂર્ણ કરજે, તેના પુણ્યની પ્રબળ લતા તેને અનુળ થજો, અને શાસન દેવી તથા ગોત્ર દેવી મારા મનોરથને સફળ કરજે. તિલકમજરી આમ ચિંતવતી હતી, ત્યાં શ્રી ચંદ્રકુમાર રાધાવેધના સ્થાન આગળ આવી ઉછે રહ્યા. પ્રેક્ષકોની સહસ્ત્ર દ્રષ્ટિએ એકી સાથે તેની ઉપર પડી. “ આ કુમાર શું પરાક્રમ કરશે ? ” તે કૌતુકથી સર્વે જેવા લાગ્યા. શ્રીંચકે પ્રથમ ઈષ્ટનું સ્મરણ કરી, પોતાના વિઘા ગુરુને નમન કરી, ધનુષ બાણ તૈયાર કર્યા. સમુદ્રની જેમ તેણે ધનુષ્યને ટંકારવ કવો, જેના પ્રતિધ્વનિથી સ્વયંવર મંડપ ગાજી ઉઠયો. ચતુર શ્રીચ કે અદ્રષ્ટિ કરી તંભ ઉપર અષ્ટ ચક્રમાં ફરતી રાધાના વામ ચક્ષુને તીર મારી વીંધી નાંખી. રાધાવેધ થતાંજ સર્વ જન સમાજે જય નાદ કર્યો, તે સાથે વાજિત્રોને મહા ધ્વનિ કરવામાં આવ્યો. રાજકુમારી તિલકમ જરીનું હદય હથિી પ્રyલત થઈ ગયું. રાજા શ્રીતિલક, તેને સર્વ પરિવાર આનંદ સાગરમાં ઉછળવા લાગ્યો. “ આ કેન કુમાર છે ? ” તેનાં ભાગ્ય, રૂપ, બળ, વિદ્યા, અને ધન્વીપણાને ધન્ય છે, એમ રાજાઓ પરસ્પર હતા, તેને જોવા ઉઠયા. રજકુમારી તિલકમંજરી હાથમાં વરમાળ લઈ, સુખાસન ઉપરથી ઉતરી તેની પાસે આવવા તૈયાર થઈ. લોકોની ભીડ રાધાવેધને ૨થાન આગળ થઈ પડી. તે વખતે શ્રીચંદ્ર - કુમાર પોતાના મિત્ર ગુણચંદ્રને લઈ લોકોના સંમર્દ માં વચ્ચે પડી ગુપ્ત રીતે આગળ ની કળી ગયો, અને જ્યાં પવનવેગી સુવેગ રથ રાખ્યો હતો, ત્યાં આવી સત્વર તે તૈયાર કરાવી, તિલકપુરમાંથી ચાલ્યો ગયે. સવેગ રથને ઉગ્ર સાધનથી તે ઘણે દૂર નીકળી ગયો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org