SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ છે ? સ્વયંવરની તૈયારી. તિલપુર નામે નગર છે, તે નગરને રાજા શ્રીતિલક નામે છે, તેને તિલકમંજરી નામે એક કન્યા છે, એ ભાગ્યવતી રાજકુમારી અત્યારે ભારતવર્ષની સ્ત્રીઓના સંદર્યને નમૂન છે. તિલકમંજરીનાં રૂ૫ તથા મુને એગ્ય એ પતિ મેળવવા તેના પિતા શીતલક એક સ્વયંવર કરે છે, તેમાં રાધાવેધનું પણ રાખવામાં આવ્યું છે. આજથી સારમે દિવસે એ સ્વયંવરનું મુહુર્ત છે. તે રાજાને આમંત્રણથી પ્રતાપસિંહના ચારે કુમાર અને ત્યાં જાય છે. તેની સુંદર સ્વારી તમે હમણાં જ જોઈ હશે. રાજા પ્રતાપસિંહના મનમાં શંકા છે કે, આ રાજકુમાર રાધાવેધ કરી શકશે નહીં. થોડા દિવસમાં તેઓ લજજા ગુમાવી પાછા આવશે. ગુણના પરીક્ષક મહારાજા પોતાના પુત્રને મોકલવા હૃદયમાં ખુશી ન હતા, પણ કુમારોએ જવાને આગ્રહ બતાવ્યું, એટલે તેઓ શાંત થઈ બેસી રહ્યા. સર્વ કુમારોમાં જયકુમારના મનમાં વિશેષ ગર્વ છે. રાધાવેધ કરવામાં તે પિતાને સવથી ચાલાક માને છે, અને પોતે “સર્વ કળાઓમાં નિપુણ છે ” એવું અભિમાન ધરાવે છે. - પંડિતમાની પુરૂષો પોતાના મિથ્યા અહંકારમાં તણાઈ જાય છે, તેઓ પોતાની અહંવૃત્તિમાં તદ્દ અંધ થઈ જાય છે, અહંકારરૂપ ગિરિ ઉપર ચડેલા પુરૂષો પોતાની દષ્ટિ એ ગિરિ તરફ જ રાખે છે, અને છેવટે તે ઉપરથી સવર પાછા પડે છે. અહંકારરૂપ અંધકારમાં ભ્રમણ કરનારા તેઓ ક્ષણે ક્ષણે ખલના પામે છે, તે છતાં તેઓ પોતે ટટાર છે, એમ માની ખેવનાને બીલકુલ ગણતા નથી. અજ્ઞતાને તેઓ સુન્નતા માને છે, મૂઢતાને તેઓ અમૂઢતા ગણે છે, મૂર્ખતાને તેઓ વિદ્વતા માને છે, અવિચારીપણાને સુવિચારીપણું માને છે, ધૃષ્ટતા ઉપર ઉત્તમતા જુવે છે, નિરક્ષરતા અને સાક્ષરતાનો તફાવત જોઈ શકતા નથી, અને અપવિત્રતામાં તેઓ પવિત્રતાની બુદ્ધિ ધારણ કરે છે–અહંકારી૫ણુનું કટુ ફળ અનેક વાર ચાખ્યા છતાં તેઓ દુરાગ્રહને છોડતા નથી. મિત્રવતું ! જયકુમાર પણ તેજ પ્રમાણે રાધાવેધ કરવાનું અભિમાન ધરાવે છે. રાજા પ્રતાપસિંહ હૃદયમાં જાણે છે કે, કુમારોનું આ સાહસ છે. રાધાવેધની કળા જાણુનાર કોઈ વિરલા નર છે, તેથી તેઓ ઉદાસી ભાવે રહ્યા છે. ગુણચંદ્રનાં આવાં વચન સાંભળી લક્ષ્મીદા શેઠ શ્રીચંદ્ર પ્રત્યે બોલ્યા- વત્સ ! રાધાવેધની કળા જોવા જેવી છે. જે એક વાર તારા જે ચતુર પુરૂષ તેને જુએ છે, તે કળાને જ્ઞાતા થઈ જાય. મારી ઇચ્છા એમ થાય છે કે, જે તારી મરજી હોય તે, તું પણ ત્યાં જાય અને રાધાવેધની ઉત્તમ કળા નજરે જોઈ આવ. એ નગર અહીંથી એંશી જન દૂર છે, ત્યાં જવામાં અગાઉથી તૈયાર થવું જોઈશે. પિતાનાં આવાં વચન સાંભળી શ્રી ચંદ્રને ઉત્સાહ આવ્યો, અને ત્યાં જવાની ઉકઠા ઉત્પન્ન થઈ, પણ તેણે મનમાં શમાવી દીધી. બીજા કોઈની આગળ જણાવી નહિ. અનેક રાજકુમારો ત્યાં જવાને તૈયાર થઈ ચાલ્યા. ભારત વર્ષના ભૂમિપતિઓમાં આ વાર્તાની જ ચર્ચા થવા માંડી. આ ચમત્કારી પ્રસંગ જોવાને અનેક કળાવંત પુરૂ, કવિઓ અને વિદ્વાનો જવા લાગ્યા. તિલકપુરમાં લોકોની મેદિની મોટી સંખ્યામાં કારાણી. સર્વ દેશની વિવિધ ભાગા, વિવિધ વેર અને વિવિધ રીતિવાળા પુરૂ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy