________________
તિલકમ જરી.
૭૬
મહા વાળા પ્રજ્વલિત રહ્યા કરે છે. હુમાં ક્રીડા કરતી. તે રાજકુમારીને નેઇ મને વિશેષ ચિંતા ઉત્પન્ન થઇ છે. મારી ચિંતારૂપ મહા જ્વાળાને શાંત કરવા માટે તમારી સલાહરૂપ સુધાનું સિંચન મેળવવા આજે તમને ખેાલાવ્યા છે, હવે શા ઉપાય કરવા ? તે હૃદયમાં વિચારી મને જણાવશે.
શ્રી તિલક રાજાના આ ધીર મંત્રી ઘણે વિચક્ષણુ હતા. રાજકીય કાર્યમાં તેનું ચાતુર્યં વખણાતુ હતું. જ્યારે જ્યારે રાજા ગુ ંચવણમાં પડતા, ત્યારે ધીર મત્રી તેને ચિંતામુક્ત કરતા હતા, તેનામાં રાજભક્તિ રમી રહી હતી, સ્વામી અને સેવકના ધર્મ તે યથાર્થ નતા હતા, નીતિના ગહન વિષયમાં તેની વિદ્વતા વિશેષ દેખાતી હતી, તે સાથે તેનું હૃદય દયાથી અર્દ્ર હતું, દુ:ખીને સહાય કરવાના તેના મુળ સ્વભાવ હતા, પરોપકાર કરવામાં તે પ્રીતિ દર્શાવતો હતે. આવા આવા ઉત્તમ ગુણાને લઈ ધીર મંત્રી તિલકપુરની પ્રજાના પ્રતિપાત્ર બન્યું હતેા. રાજા અને પ્રજાની પ્રીતિનું તે કેન્દ્ર સ્થાન થઈ પડયા હતા.
ધીર મ`ત્રી વિચાર કરી ખેસ્થેા-મહારાજા ! ભારત વર્ષમાં અનેક રાજકુમારી વિદ્રાન ગુણી અને કલાન હશે, પણ તે સર્વની શોધ પ્રત્યેક સ્થાને આપણાથી થઇ શકશે નહિ, તેથી રાજકુમારી તિલકમાંજરીનો સ્વયંવર કરો. સ્વયંવરમાં આપને યોગ્ય લાગે તેવુ એક પણ કરી, જે પણુની પરીક્ષામાં રાજકુમારની ઉત્તમ કળા અને ગુણ જણાઇ આવે. ધીર મ ંત્રીનાં આવાં વચન સાંભળી રાજા શ્રીતિલક ખુશી થયા, અને આ ઉત્તમ સલાહુને માટે મંત્રીશ્વરને ઘણી સાબાશી આપી. ક્ષણ વાર પછી તિલકપુરના મહારાજાના હૃદયમાં એવા વિચાર ૨પુરી આવ્યો કે, ક્ષત્રીઓન! ગુણની પરીક્ષા લક્ષ્યવેધમાં થાય છે. યુદ્ધ કળાના પૂર્ણ અભ્યાસી અને બુદ્ધિના અતિ ચાતુર્યથી અલંકૃત એવા ક્ષત્રિયકુમાર લક્ષ્યવેધ કરી શકે છે. લક્ષ્યવેધમાં ઉત્તમમાં ઉત્તમ રાધાવેધ કહેવાય છે, તેથી સ્વયંવરમાં રાધાવેધનું પણ રાખવું, કે જેથી ક્ષાત્ર તેજથી વિરાજિત એવા ઉત્તમ રાજકુમારની શેષ તે પ્રસંગે સહેલાઇથી થઇ શકશે. રાન્ત શ્રી તિલકે આ વિચાર ધીર મત્રીને જણાવ્યેા. ધીર મંત્રીએ તેને હર્ષથી અનુમોદન આપ્યું. છેવટે તે નિશ્ચય કરી, વિસર્જિત થયા.
રાજકુમારી તિલકમ જરીએ દાસી દ્વારા પોતાના સ્વયંČવરના શુભ સમાચાર સાં લળ્યા, એટલે તે વિશેષ આનંદ પામી. એ મુગ્ધા છતાં પ્રાઢ વિચાર કરનારી હતી, પોતાના પિતાએ જો કે આ અસાધ્ય મહા પણ કરેલું હતું, પણ તિલકમ જરી તેને પસ ંદ કરતી હતી. તેણીના મુગ્ધ હૃદયમાં એવા વિચાર આવતા કે, સર્વ વનિતાઓની ઉન્નતિ પતિગૃહમાં છે, તેમાં રાજ કન્યાનું સાભાગ્ય સર્વે ગુસપન્ન એવા શુદ્ધ ક્ષત્રિય વીરપતિ ઉપરજ પ્રકાશિત થાય છે, ક્ષત્રિય કન્યાએ ભવિષ્યમાં વીર માતા થવાની છે, તે ક્ષત્રિય વીરાનું વીર્યધારક સમર્થ ક્ષેત્ર છે, ક્ષેત્રની મહત્તાના આધાર વીર્ય ઉપર છે, પ્રબળ વીર્યને પ્રભાવ ઉત્તમ ક્ષેત્રમાંથી વિશેષ દીપી નીકળે છે. પિતાએ જે સ્વયંવરના વિચાર કથા તે ઠીક કર્યું. તેથી કાઇ ઉત્તમ રાજકુમારની શોધ થઈ શકશે, અને રાજ સઔંસાર ગૃદ્ધને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org