________________
૭૮
આનંદ મંદિર,
પિતાને ધર્મ છે. “ગાય અને દુહિતા દરે ત્યાં જાય,” એ કહેવત યથાર્થ છે. પુત્રીને જેવ તેવા પતિને આપી દુઃખી કરવી, એ માતા પિતાને અધમ માને છે. બાળાઓની ઉન્નતિનો સર્વે આધાર જેમાં રહેલો છે, તેના સંસારને શુભાશુભ સમારંભ જેને આશ્રીને થવા નો છે, અને જે તેણીના સુખ દુઃખને સમભાગી અને વ્યવહાર માર્ગને ખરેખર નેતા થવાને છે, તેવા પુરૂષની યોગ્યતા જોયા વિના પુત્રીઓને ભવપાશમાં નાખનારાં માતા પિતાઓને સહસ્ત્રવાર ધિક્કાર છે. પ્રાણનાથ ! તમને થયેલી ચિંતા ઘટિત છે. આ રાજકુમારીને સંબંધ કે યોગ્ય સાજકુમાર સાથે કરવો જોઇએ.
વાંચનાર ! અધીરા થશે નહીં. આ વાર્તા કરનાર દંપતી અને તે બાલિકાની ઓળખાણ તમને અહીં જ આપીએ છીએ. આ ભરતક્ષેત્રની દક્ષિણ દિશામાં રૂપસુંદરીના. તિલક જેવું તિલકપુર નામે નગર છે, તેનો રાજા શ્રીલિક નામે છે, તેને રતિ નામે ગુણવતી સ્ત્રી છે, એ રતિ સમાન રતિના ઉદરમાંથી તિલકમંજરી નામે એક પુત્રી ઉ. ત્પન્ન થઇ છે. રાજમહેલના આંગણામાં સખીઓ તથા દાસીઓની સાથે ક્રીડા કરનારી મુધા તે આ તિલકમંજરી હતી, અને જે દંપતી તેની ક્રીડાને મેહેલ ઉપરથી જોતાં હતાં, તે તેણીનાં માતા પિતા રાજા શ્રાતિલ અને રાણી રતિ હતાં. રાજા શ્રીતિલકને પુત્રીને યોગ્ય વયે પહોંચેલી જોઈ, તેના વિવાહને માટે યોગ્ય વરની ચિંતા થઇ હતી, તે સંબંધી તે દંપતી અહીં વાર્તાલાપ કરતાં હતાં.
રાજા શ્રીતિલકના હૃદયમાં ત્યારથી તિલકમંજરીના વિવાહને માટે વિચાર શ્રેણી ઉત્પન્ન થવા લાગી હતી. પિતાના ચતુર મંત્રીઓની સાથે જ તે વિષેનીજ મસલત ચલાવતો હતો. એક વખતે રાજા પિતાના ધીર નામના મુખ્ય મંત્રીને બોલાવી તે વિષે નિર્ણય કરવા બેઠો. તેણે નિશ્ચય કર્યો, કે હવે પુત્રી સંબંધી નિત્યની ચિતામાંથી મારે મુક્ત થવું. ગમે તે ઉત્તમ પ્રકારનો નિર્ણય કરી, આત્માને ઉપાધિ મુક્ત કરે. મને ખાત્રી છે કે, ધીર મંત્રી ઘણો બુદ્ધિમાન છે, તેથી તેની સલાહ મને શાંતિકારક થઈ પડશે. આવું ચિંતવી શ્રીતિલકે ધીર મંત્રીને બેલાવીને કહ્યું, મંત્રીશ્વર ! તમે મારા પર પરના મંત્રીકુળના મુખ્ય પુરૂષ છે, મારા રાજ્યની ધુરાને વહન કરવામાં પૂર્ણ સહાયભૂત છે, તમારા બુદ્ધિબળના પ્રભાવથી જ મારું રાજ્ય નીતિવાક્ય કહેવાય છે. પિતાની પ્રશંસાનાં આવાં વચન સાંભળી ધીર મંત્રી બે –રાજે ! એ સર્વ અપની કૃપાનું જ ફળ છે. આપના વંશના મૂળ પુરૂષોએ અમારા કુળની પરંપરાથી કદર જાણી છે. સ્વામીમાં. કૃતજ્ઞતા હોય, તે સેવકનું બુદ્ધિબળ, વા તનુબળ જણાઈ આવે છે. આપ કૃતજ્ઞ, અને નીતિમાન છે, તેથી અમે સારી પ્રશંસાને પાત્ર થયા છીએ. કહે શી આજ્ઞા છે ? શ્રીતિલક બે –ત્રિવ ! રાજકુમારી તિલકમંજરી વિલાહને યોગ્ય થઈ છે, તેનામાં વિદ્યા, કળા, અને સદ્ગુણો ઉત્તમ રીતે પ્રાપ્ત થયેલાં છે, તેનામાં ચાતુર્યને એવો ઉત્તમ ગુણ છે, કે જે કોઈજ રાજકન્યા ધારણ કરતી હશે. એ રાજકુમારીને મેગ્ય એ કઈ રાજકુમાર જોવામાં આવતો નથી. ભારતવર્ષમાં અનેક ક્ષત્રિય વીરે હશે, પણ તેઓની શોધ કરવામાં કે ઉત્તમ સાધન જોવામાં આવતું નથી. આથી મારા હૃદયમાં સતત ચિંતારૂપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org