SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ અંધકારિણું મલકા. અનેક દેખાવે જે જેતે કુમાર, જ્યાં પેલે ભૈરવ યોગી રહેતો હતો, તે સ્થાને આવી ચશે. યોગી પદ્માસન કરી બેઠા હતા, અને કોઈ વિદ્યાની સાધનાની સામગ્રી કરતો હતે. આ તરૂણ કુમારને જોઈ, બરવ ખુશી થયો, અને શ્રી ચંદ્રને પોતાની પાસે બોલાવ્યું. યોગી બે -વત્સ ! તું લઘુ વયનો છું, વસ્ત્રાલંકાર ધારણ કરી, અત્યારે અહીં ક્યાંથી આવે છે ? આ પર્વતની અટવી ભયંકર છે, અહીં એકાકી આવવાનું શું કારણ છે ? શ્રીચંકે કહ્યું. યોગીરાજ ! હુ કેતુકને માટે અહીં રથ લઈ ફરવા આવ્યો છું. તમારા જેવા યોગીઓના પ્રભાવથી આ સ્થળે કોઈ જાતને મને ભય નથી. શ્રીચંદ્રનાં વચન ઉપરથી ભરવ ગીએ વિચાર્યું કે, આ કોઈ સાહસી પુરૂષ લાગે છે. આવા પુરૂષને સાધક કય હેય, તે વિદ્યા સધ સાધી શકાય છે. આવું વિચારી ભૈરવ બોલ્યો-નરવીર ! તારી હીંમત જોઈને મને પૂર્ણ સંતોષ થાય છે. તારા જેવા પુરૂષની સહાય હેય તે, અમારે ઘણો લાભ થાય છે. જો તું સાધક થા તે, આપણે વિધિ પ્રમાણે એક વિદ્યા સાધી લઈએ. આજે મધ્ય રાત્રે તને ઉત્તર સાધક કરી, હું એક વિદ્યા સિદ્ધ કરી લઉં. તેથી તને ઘણજ લાભ થશે. શ્રીચ કે હીંમત કરી તે વાત કબુલ કરી, એટલે રવ ગી બેલે–વત્સ ! હું તને જે મંત્ર આપું,. તે મંથી તું આહૂતિ આપજે. તે વખતે અનેક વીર તથા વૈતાળ આવશે, તેમનાથી તું ભય પામીશ નહિ, તેમજ ચલાયમાન થઈશ. હ, તેઓની ઉપર જરાપણ વિશ્વાસ રાખીશ નહિ. યેગીરાજનાં વચન સાંભળી શ્રીચંદ્ર બેધ્યે– મહાશય ! તમે જરાપણ મારી ચિંતા રાખશો નહિ. તમારે જેવી રીતે સાધના કરવી હોય, તેમ કરજે. હું મારી દઢત્યાથી ડગીશ નહીં. શ્રીચંદ્રની આવી મોટી હિમ્મત જોઇ ભૈરવ યોગી પ્રસન્ન થઈ ગયે.. તે હાસ્ય કરી બે--વત્સ ! તારા સાહસને ધન્ય છે. મેં તારા વિયેની પરીક્ષા કરવાની ખાતરજ આમ કહેલું હતું. તે ખરેખર વીર નર છું, સાહસિક નરેને શિરોમણી છું, હું તારું સત્વ જોઈ સંતુષ્ટ થયેલ . વત્સ ! આ અધકારિણી મૂલિકા ગ્રહણ કર. તે. વિઘાથી સિદ્ધ કરેલ છે. જેની પાસે એ મૂલિકા હોય, તેની આગળ શુદ્ર જીવ બંધ થઈ જય છે, તેના ઉપર શત્રુઓનું જોર ચાલતું નથી. શ્રીચંદકુમારે ગીને નમન કરી વિનયથી તે અંધકારિણી મલકા ગ્રહણ કરી. ભૈરવ યોગીએ પૃષ્ટ ઉપર હાથ મુકી શ્રીચંદ્રને આશીષ આપી. પછી શ્રીચ ૮ ગીરાજની આજ્ઞા લઈ ત્યાંથી ચાલી જયાં પિતાને રથ હતો ત્યાં આવ્યો આ પ્રમાણે પુષવાન શ્રીચંદ્ર અંધકારિણી મૂલિકા લઈ પ્રાતઃકાળે પિતાને ઘેર આવ્યું. જ્યાં લક્ષ્મીદત્ત શેઠ પુત્રની ચિંતા કરતા હતા, ત્યાં શ્રીચંદ્ર રથમાંથી ઉતરી તેમની પાસે આવી ચરણમાં નાખ્યો. પુત્રને જઇ પિતાને અપાર હર્ષ ઉત્પન્ન થયા. શ્રીચંદ્ર કુમારે ભૈરવ ગીને સર્વ વૃત્તાંત અને પિતે પ્રાપ્ત કરેલ અંધકારિણી મૂલિકાના શુભ ખબર લક્ષ્મીદા શેઠને નિવેદન કર્યા. પુત્રની સાહસિકતા જોઇ પિતાને વિશેષ આનંદ થશે. તે પછી લક્ષ્મીવતી માતાને પણ એ વૃત્તાંત કહી શ્રીચ કે ખુશી ક. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy