SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ મંદિર. આ સુંદર ગિરિમાં ભરવ નામે એક મહાન યોગી રહેતો હતો. તે ગીરાજ અનેક વિદ્યાઓની સાધના તે સ્થળે રહી કરતે હતા. તેને ભવ્ય આશ્રમમાં વિદ્યા સાધન નની અનેક સામગ્રી ગોઠવવામાં આવી હતી, તે કેવળ સ્વાથ ન હતું, બીજાનું હિત કરથામાં તત્પર રહેતા હતા, તેનામાં દયા, દાક્ષિણ્ય અને ગાંધી વિગેરે ગીરવતાના ગુણો રહેલા હતા. તે ભૈરવ યોગીની આકૃતિ ભયંકર હતી, તેના દેહનું પ્રમાણ માનવ પ્રમાણથી ઘણું વિશેષ હતું, અલ્પ શક્તિવાળા ભીરૂ લોકો તેની પ્રચંડ આકૃતિ જોઈ ભય પામી જતા હતા, તેનાં વિશાળ લોચનમાં અગ્નિની જવાળા જેવી રતાશ દેખાતી હતી, ભ્રકુટીના દેખાવ દટને ભય આપે તે હતો, તેના પુષ્ટ શરીર ઉપર કૃષ્ણ વર્ણની પ્રભા પ્રસરેલા હતી. જ્યારે તે યોગાસન કરી બેસતે, ત્યારે નીલગીરિ એક ભાગ હોય, તેવો દેખાતો હતું, તેને દૂરથી જોઈ શિકારી પ્રાણીઓ પણ નાશી જતાં હતાં. આ પપાસ રહેલા અનેક તાપસો તેનાથી ભય પામી રહેતા હતા, તેના કંઠનો નાદ ઘણા કઠોર હતો. જ્યારે તે કાંઈ પણ બેલા, ત્યારે તેના નાદના પ્રતિધ્વનિથી ત્રિકૂટ પર્વત ગાજી રહેતા દો. એક વખતે રાત્રિનો સમય હતે. શ્રી ચંદ્રકુમારની એવી ઈચ્છા થઈ કે, આજે રાત્રિમાં રક્રિીડા કરવાને બાહેર જવું. ઘણીવાર દિવસની ક્રિડા કરેલી છે, આ જાતિવત અશ્વને વેગ દિવસમાં જોયો છે, પણ તેઓને વેગ રાત્રે કે હશે ? તે અનુભવવું જોઈએ. રાત્રિના અંધકારમાં માર્ગને ક્રમ ભુલ્યા વગર વેગથી ચાલવાનું ચાતુર્ય આ અશ્વમાં કેવું હશે ? તે અવશ્ય જાણવું જોઈએ. આ વિચાર કરી તે પિતાના પિતાની પાસે આવ્યો. પિતાને પ્રણામ કરી પૂછ્યું, પિતાજી ! આજે રાત્રે રક્રિીડામાં જવાની ઈચ્છા થાય છે, જે આના આપ તો, જવાને સજજ થાઉં. તમારા પુણ્યના પ્રતાપથી હું નિર્વિત પાઠ સત્વર આવીશ. મારા મનમાં રાત્રિની મુસાફરી કરવાની ઘણી હોંશ છે, આપ જરાપણ ભયની શંકા રાખશો નહિ. શ્રીચંદ્રનાં આવાં વચન સાંભળી લક્ષ્મીદા શેઠ બોલ્યા–વત્સ ! આ તારી ઇચ્છા પૂર્ણ કરવાને મારા મનમાં શંકા રહે છે. તારા રથનો વેગ ઘણો છે, ઘડાઓ પણ વેગવાળા છે, વખતે માર્ગની ખલના થાય, તો પછી ઉપાધી થઈ આવે. કુશસ્થલીની આસપાસનો પ્રદેશ પહાડી છે, અનેક જંગલી પ્રાણી રાત્રે ફરવા નીકળે છે, તેથી વત્સ ! તારી આ ઇચ્છાને વિરામ પમાડ. તારી પ્રત્યેક કામના પૂર્ણ કરવાની મારી ધારણું પ્રથમથીજ છે, પણ આ કામના સર્વથી કઠેર અને વિઘભરેલી છે. શ્રીચ કે કહ્યું, પિતાજી ! જરાપણ ભય રાખશે નહિ. આહંત ધર્મથી હું સર્વદા રક્ષિત છું, પંચ પરમેષ્ટીનું સ્મરણ મારી મનોવૃત્તિમાં પ્રવૃત્ત છે. હું આપને આગ્રહથી વિનતિ કરું છું કે, મારી આ ઈછામાં આપ આ તરાયભૂત થશે નહ. કીચંદ્રની પ્રબળ ઇચ્છા જે, લક્ષમીદત્ત શેઠે કચવાતે મને આજ્ઞા આપી, અને પુત્રની રક્ષા માટે શાસન દેવતાની સહાય માગી. પિતાની આજ્ઞા લઈ, શ્રીચંદ્ર એકલા રથમાં બેસી બહાર નીકળ્યો. જાતિવંત અમે તેના રથને ખલના શિવાય વહન કરવા - લાગ્યા, તેનો પવનવેગી રથ ત્રિકૂટ પર્વતની તળેટીમાં આવી પહોંચશે. પિતાને ધનંજય સારથિને રથની પાસે રાખી, પતે એક પર્વતના ગહન પ્રદેશમાં ફરવા લાગ્યા. રાત્રિના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy