SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ અધકારિણી મલિકા. ૭૩ | પિતાનાં આવાં વચન સાંભળી શ્રીચંદ્ર ખુશી થયો. પછી તેણે ખરીદ કરેલા પંચભદ્ર જાતિના અશ્વનાં લક્ષણો પિતાને સમજાવ્યાં, અને પોતે કરેલી અશ્વ પરીઢા તે શાસ્ત્રસિદ્ધ છે, એમ સાબિત કરી બતાવ્યું. પિતાની આજ્ઞા લઇ શ્રીચંદ્ર સુવેગ નામે એક ઉત્તમ કારીગરીવાળો રથ કરાવ્યા. ગરૂડ જાતિનાં રત્નોથી તે રથને દેખાવ દિવ્ય અને અદૂભૂત કરવામાં આવ્યો હતો. પ્રતાપસિંહ રાજાના વશપરંપરાએ ચાલ્યા આવતા સારથિ કુળ ધનંજ્ય નામે એક કુમાર હતા, તેને આ રથને સારથિ નીમવામાં આવ્યું. તે ધનંજય સ્વામિભક્ત, ગંભીર વિનયી અને કાર્યકુશળ હતો. સારથિમાં જે જે ગુણ હોવા જોઈએ, તે બધા ગુણને તે સ્થાનરૂપ હ. શુભ દિવસે અને શુભ મુહૂર્ત તે સુવેગ રાયની સાથે વાયુવેગ અને મહાગ અથ જોડી, ધનંજય સારથિની પાસે રથવાહનનો સમારંભ કરાવ્યો હતો. શ્રી ચંદ્રકુમાર ગુણચંદ્ર મિત્રની સાથે તે સુવેગ રથમાં બેસી જતો હતો, અને તે જઈ પવિત્ર મનનો લપિ પિતા અતિ આનંદ પામતો હ. પ્રકરણ ૨૩ મું. અંધકારિણી મલિકા, વેગ રથમાં બેસી શ્રીચંદ્રકુમાર પ્રતિદિન પ્રત્યેક દિશામાં ફરતો હતો, તો વાયુવેગી અને વહન કરાવી, અનેક આનંદ અનુભવતા હો, કોઈ A gી વાર ગુણચંદ્રની સાથે તે રથમાં બેટરી ઘણેજ દૂર નીકળી જતો હતે. Us પુત્રનો પ્રેમી પિતા તેની રાહ જોઈ ચિંતા કરતે હ; અને પુત્રને વિલબ ન કરવા વિનતિ કરતા હતા. કોઇવાર વનમાં, કોઈવાર ગામડાંમાં અને સરોવરના તીર ઉપર, એમ જુદે જુદે સ્થળે તે મિત્રની જે વિચરતા હતા. તેમના રથને વાયુવેગ જોઈ લેકે આશ્ચર્ય પામતાં હતાં, અને શ્રી ચંદ્રની અશ્વ પરીક્ષાની સારી પ્રશંસા કરતાં હતાં. જે માર્ગમાં શ્રીચંદનો રથ આવતું હોય, તે માર્ગે લેકેની શ્રેણી જેવાને એકઠી થતી, અને ધન્યવાદથી તેને અનુમોદન આપતી હતી. કુશાલી નગરીથી કેટલાએક જન ઉપર ત્રિકુટ નામે એક ઉંચા પર્વત હતો, તેનાં ઉંચાં શિખરે ગગનને સમાગમ કરવા ઇચ્છતાં હોય, તેમ દેખાતાં હતાં, વિવિધ જાતનાં વૃક્ષની ઘટાથી એ ગિરિરાજ અતિ રમણીય લાગતું હતું, સ્વાદિષ્ટ અને તૃપ્તિ કરનારાં અનેક ફળ તેમાં ઉત્પન્ન થતાં હતાં, અનેક સ્થળે શિતળ જળનાં ઝરણુઓ નીકળતાં હતાં, કેશરીસિંહ, વ્યાઘ, વરૂ, અષ્ટાપદ વિગેરે શિકારી પ્રાણીઓ ત્યાં ઘણાં હતાં, પક્ષીઓના વિવિધ શબ્દોના પ્રતિધ્વનાથી તે ગિરિરાજનાં શિખર ગાજી રહેતાં હતાં, ત્યાં તાપસ લેકોનાં અનેક સ્થાન હતાં. તેની ગંભીર ગુફાઓમાં ગી લેક સમાધિસ્થ થઈ બેસતા હતા, સર્વ જાતની વિદ્યાઓના સાધકો આવી, એ ગિરિજ આશ્રય કરતા હતા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy