SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ મંદિર, તે પુરૂષનાં વચન સાંભળી લક્ષ્મીદા શેઠ બોલ્યા, ભાઈ ! તમે આટલું બધું શા માટે કહે છે ? શ્રીચંદ્ર અશ્વવિદ્યામાં પ્રવીણ છે. તેણે જે અશ્વ ખરીદ્યા હશે, તે બરાબર પરીક્ષા કરીને જ લીધા હશે. તેણે જેટલું ધન આપ્યું, તે યે જ હશે. ભદ્ર! તમે વિશેષ બકવાદ શા માટે કરે છે ? તમારે મારા દ્રવ્યની ચિંતા કરવી નહીં. મારા ઘરમાં જે વૈભવ સમૃદ્ધિ છે, તે શ્રી ચંદ્રકુમારના પુણ્યથીજ છે. એ મહાનુભાવ પુત્રના પ્રભાવથી મારી ઝાહોજલાલી ઝળકે છે. શેઠનાં આવાં વચન સાંભળી, તે પિશુન પુરૂષ વિલખો થઈ ગશે. શ્રી ચંદ્રકુમારની ઉપર તેના પિતાની અપૂર્વ પ્રીતિ જોઈ, પોતે કરેલી પિશુનતાને માટે તેને પશ્ચાતાપ થ.. * પિશન પુરૂષ એવાજ હોય છે. બીજાના ગુણને તેઓ દેષરૂપે જુવે છે, કોઇની વચ્ચે દેષ ભાવ થાય, કે કઈને હાનિ થાય, તે જેવાને તેઓ સર્વદા ઈંતેજાર રહે છે. અન્ય પુરૂષની ઉન્નતિ જોઈ, તેઓના હૃદયમાં શૂળ ઉત્પન્ન થાય છે, સુખ વૈભવમાં મગ્ન રહેનારાં મનુષ્યોને તેઓ જોઈ શક્તા નથી. તેમના મલિન હૃદયમાં કુવિચાર, કુતર્ક અને નઠારી ભાવના સર્વદા ઉદભવે છે તેઓ બીજાઓને કલહ જોઈ રાજી થાય છે, બીજાને દુઃખી અવસ્થામાં જોવાથી તેમને સંતોષ થાય છે, તેમનું બધું જીવન ઇર્ષાથી દગ્ધ થયેલું હોય છે. આ વખતે શ્રી ચંદ્રકુમાર ગુણચંદ્ર મિત્રની સાથે પેલા બે જાતિવંત અશ્વ લઈ ઘેર આવ્યા. પુત્રે પિતાના ચરણમાં પ્રણામ કર્યો, અને કહ્યું, પિતાજી ! આપની આજ્ઞા વિના એક લક્ષ સુવર્ણ આપી, હું આ બે અશ્વ ખરીદી લાવ્યો છું. તે ક્ષમા કરશે. લક્ષમીદતે હાસ્ય કરી કહ્યું, વત્સ ! બહુ સારું કર્યું. આ અશ્વ જોઈ હું ઘણો પ્રસન્ન થયો છું. પુત્ર ! તમને એગ્ય લાગે તેવા કાર્યમાં તમારે સ્વેચ્છાથી લક્ષ્મીને વ્યય ક. તેમાં મારી આજ્ઞાની જરૂર નથી. વત્સ ! તમે સર્વ રીતે સુજ્ઞ અને ઉત્તમ પરીક્ષક છે, તમે વિચાર્યા વગર અનુચિત વ્યય કરો નહીં, એમ મને પૂર્ણ ખાત્રી છે. પિતાની સત્તા પુત્રની ઉપર હોવી જોઈએ; પણ તે કયાં સુધી હોવી જોઈએ, તે વિષે નીતિ શાસ્ત્રની મર્યાદા છે. ઉત્તમ પિતાએ પુત્રને પાંચ વર્ષ સુધી લાલન પાલનમાં રાખે. પાંચથી દશ વર્ષ સુધી શિક્ષાથી વશ રાખ, અને દસથી પંદર વર્ષ સુધી તેને વિદ્યા કે કળાના ઉત્તમ જ્ઞાન સાથે જોડવા પ્રયત્ન કરે. જ્યારે સોળમું વર્ષ પ્રાપ્ત થાય, એટલે પિતાએ પુત્રને મિત્રવત ગણે. તેની સર્વ રીતે યોગ્યતા જોવામાં આવે, એટલે તેને પરતંત્રતાના પાશમાંથી મુક્ત કરે. પુત્રની પરતંત્રતા તેની યોગ્યતા ઉપર આધાર રાખે છે. તેમાં પણ જે સદ્ગુણી અને વિનીત પુત્ર હેય છે, તેની તરફ પિતાએ મુક્ત દ્રષ્ટિથી જોવાનું છે. વત્સતું ખરેખર પિતાને આજ્ઞાંકિત પુત્ર છું, તારામાં મૂળથી જ ધાર્મિકતાએ વાસ કરે છે, વિ. નય જેવા ઉત્તમ ગુણથી તું સર્વદા અલંકૃત છું, તેથી તારે તે મારી આજ્ઞાની જરાપણું" અપેક્ષા રાખવી નહીં તારા જેવા પુત્રના પિતાએ થડા હશે, તારી જેવા પુત્રથી પિતાનું. જીવન કૃતાર્થ છે. પિતાને જે પવિત્ર ધર્મ નીતિશાસ્ત્રમાં વર્ણવેલ છે, તે ધર્મ તારા જેવા પુત્રથી જ ચરિતાર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy