SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ અશ્વ પરીક્ષા. ' હ૧. બાકી રહેલા છે, તમારે લેવાની ઈચ્છા હોય તે જોઈ લે. પછી શ્રીચંદ્ર તે અની આગળ ગયે. ગુણચંદે કહ્યું. મિત્ર ! તમે અશ્વવિદ્યા જાણે છે, આ જાતિવંત અવોમાં કયા કયા અશ્વ ઉત્તમ છે ? અને તેઓની શી શી જાતિ છે ? તે કૃપા કરી જણાવશો. શ્રીચંદ્રકુમાર બો –મિત્ર ! આ અશ્વ ચરણ અને મુખમાં ઉજવલ છે, તે અશ્વ ગંગાજળની જાતિ કહેવાય છે. જે પેલા અશ્વની ઉપર આઠ મંગળ રેખા છે, તે તાર્ચ જાતિને અશ્વ છે. પેલો જે રકત વણનો અશ્વ છે, તે કીયાહ જાતિને છે, જે શ્યામળે અશ્વ છે, તે ખુશાહ જાતિને છે. આ ચિત્ર વર્ણને અશ્વ હારાહ જાતિને કહેવાય છે. ઘીના જેવી કાંતિવાળો જે આ નિર્મળ અશ્વ છે, તે સરાહ જાતિને છે, કાંઈક કૃષ્ણ અને કાંઈક વેત જે અશ્વ છે, તે ઉરાહ જાતિને છે. જે પેલો જાનુના ભાગમાં કૃષ્ણ અને કાંઈક પીળો છે, તે રેકનાહ જાતિનો છે, જે આ નીલ વર્ણન છે, તે હરિક જાતિને છે, જે વેત અને પિંગળ વર્ણનો છે, તે હલક જાતિને અશ્વ છે. આ બે અશ્વ પંચભદ્રની જાતિના છે, તેઓ વેગમાં અતિ ઉત્તમ છે, તેમની છાતી, પૃષ્ટ મુખ અને પડખામાં શુભ લક્ષણો વિકાશિત દેખાય છે, તેઓ પંચધારા ગતિના ચાલનારા. છે, તે સાથે તેમનામાં બીજાં એવાં સૂમ લક્ષણ છે, કે જે અશ્વ વિદ્યામાં પ્રવીણ હોય, તેજ જાણી શકે. જેના ઘરમાં અથવા અશ્વ હેય, તે ઉન્નતિને પામે છે. મિત્ર ! આ અશ્વની જોડ ખરીદવા લાયક છે.. કદિ એક લાખ સુવર્ણ બેસે, તે પણ તે ગ્રાહ્ય છે. ધારિત, વલ્લિત અને તૃત- એવી ગતિથી ચાલનારા આ અમે તેના આરોહકને આનંદ આપનારા છે. આ પ્રમાણે શ્રીચંદ્ર અને ગુણચંદ્ર વાત કરતા હતા, ત્યાં રાજવંશના કેટલાએક પુરૂષો સાથે રાજકુમાર આવ્યા. તેઓ અશ્વના સ્થળ પરીક્ષા જાણતા હતા, સૂમ પરીક્ષામાં તેઓ તદ્દન અજ્ઞાત હતા. તેમણે પૈઢ શરીરવાળા જે અબ્ધ હતા, તેઓને પણ લાખ તથા અધલાખ દ્રવ્ય આપી ખરીદી લીધા. પેલા પંચભદ્ર જાતિના અવે બાકી પડયા મુક્યા. કારણ કે તે અશ્વો દેખાવે અતિ ઉંચાઇમાં ન હતા. તેમનાં સૂમ લક્ષણો પિલા અા ક્રેતાના જાણવામાં આવ્યાં નહિ. જે વાયુવેગ અને મહાવેગ નામે પંચભદ્ર જાતિના બે અશ્વ બાકી રહ્યા હતા, તેઓને રથ સાથે જોડવામાં યોગ્ય જાણું, શ્રી ચંદ્રકુમારે બંનેનું લાખ સુવર્ણ વ્યનું મૂલ્ય આપી ખરીદી લીધા. પિલા રાજકીય પુરૂષોમાંથી કોઈ પુરૂષ પછવાડે રહેલ, તેણે આ બે અશ્વ એક લાખ સુવર્ણ દ્રવ્ય આપી શ્રીચઢે ખરીદ કર્યા, તે વાત આવીને તેના પિતા લક્ષ્મીદત્ત શેઠને જણાવી. સંસારમાં મિત્ર, શત્રુ અને મધ્યસ્થ પુરૂષો રહેલા છે, તેણે આવી કહ્યું, શેઠજી ! તમારા પુત્રનું ડહાપણ જુઓ. તેણે બે અશ્વ પરીક્ષા કર્યા વગર એક લાખ સુવણનું મૂલ્ય આપી ખરીદ કર્યા.. અશ્વના શરીરની ઉંચાઈ બીલકુલ જોઈ નહીં; તે સાથે ' તેઓ નબળા દેખાય છે. આ સાહસ કાર્ય તેણે તમારી સલાહ વગર કરેલું છે. રાજકુમારે પણ અશ્વ ખરીદ્યા છે, તે મૂલ્યમાં ઓછા અને શરીરે પ્રઢ છે. આવું અકાર્ય કરનારા પુત્રને તમારે શિક્ષા કરવી જોઈએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy