SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ મંદિર. • પ્રકાશિત થઈ, સંપૂર્ણ રીતે શોભ હતો. આ અંગનાઓનાં પ્રતિબિંબ શ્રીચંદ્રના હદય દર્પણમાં પ્રતિબિંબિત થયાં હતાં. તે પતિપ્રાણુ પ્રિયાઓએ 'પ્રિયતમની અપૂર્વ પ્રીત મેળવી હતી. આ વખતે શ્રીચંદ્ર પિતાની આઠ અંગનાઓની સાથે ધર્મ ચર્ચા કરતો હતો. શ્રાવિકા ધર્મની જ્ઞાતા, એવી નવ વધુઓ નવનવા રંગ કરી પતિના, હદયને અપૂર્વ આનંદ આપતી હતી. એ શિક્ષિત સુંદરીઓની સાથે શ્રીચંદ્ર શૃંગાર રસ કરતાં સમ્યકત્વ રસનું વિશેષ સુખ મેળવતા હતા. એવી રીતે શ્રી ચંદ્રકુમારને ગ્રહસ્થાવાસનો આરંભ થતો હતો. પ્રતિદિવસ તેનાં પરિણામ વૃદ્ધિ પામતાં હતાં, સગુણરૂપ રત્નનો તે રોહણગિરિ હ, ઇંદ્રની જેમ વિબુધથી પરિવૃત રહેતો હતો. સુમનસ્ જનને નંદનવન હતો, દીન દુઃખ જનને કલ્પવૃક્ષ હતો, ગાંભીર્ય ગુણથી તે સમુદ્રને અનુસરતા હો, હમેશાં દાન પુણ્યને પ્રવાહ વધારતો હતો, તે સિવાય બીજા અનેક ગુણે તેનામાં રહેલા હતા. તેના મહાન ગુણની પ્રશંસા કરવાને બૃહસ્પતિ પણ સમર્થ નહતા. આવા ઉત્તમ ગુણોથી તે કુશસ્થલીની પ્રજામાં ઘણો પ્રિય થઈ પડયો હતો. એક વખતે શ્રીચંદ્ર પ્રાતઃકાલની આવશ્યક ક્રિયા કરી બેઠો હતો, તેવામાં તેને પ્રિય મિત્ર ગુણચંદ્ર આવ્યો; ગુણચકે આવી શ્રી ચંદ્રને કહ્યું કે, મિત્ર ! જે તમારી ઇચ્છા હેય, તે આપણે આજે નગરીની બાહેર ફરવા જઈએ. મારા સાંભળવામાં આવ્યું છે કે, બહેરના ઉધાન પાસે આવેલા સરોવરના તીર ઉપર જાતિવંત અનું એક વૃંદ આવેલું છે, તે જોવાની જે ઇચ્છા હોય, તે સત્વર તૈયાર થાઓ. ગુણચંદ્રનાં વચન સાંભળી શ્રીચક ખુશી થયો, પિતે શાલિહોત્ર (અશ્વ વિદ્યા) વિદ્યા જાણતો હતો, તેથી તેના મનમાં વિશેષ કેતુક થયું; તત્કાળ પિતાની આજ્ઞા લઈ વાહન ઉપર ચડી તે ગુણચંદ્ર મિત્રની સાથે ચાલ્યો. તેઓ અનેક વાર્તાલાપ કરતા સરોવરના તીર ઉપર પહોંચ્યા, ત્યાં આવી ઉત્તમ સ્થાનમાં મુકામ કર્યો. એ તીરની પાસે અવેનું મોટું ટોળું તેમના જેવામાં આવ્યું. જાણે સૂર્યના રથમાંથી છુટા પડ્યા હોય, તેવા ઉત્તમ જાતના અો તેમની નજરે પડ્યા. તેમને • જોઈ શ્રીચંદ્ર ખુશી થયો. અશ્વ વિદ્યામાં જે જે અશ્વનાં ઉત્તમ લક્ષણે કહેલાં છે, તે બધાં અહીં પ્રત્યક્ષ દ્રષ્ટાંતરૂપે તેના જેવામાં આવ્યાં. તત્કાલ શ્રીચંદ્ર પોતાના મિત્ર ગુણચંદ્રને કહ્યું, મિત્ર ! અશ્વ ઘણું ઉત્તમ છે, આવા અશ્વ ઉપર | કરવાની ઇચ્છા થાય છે, જો કે, પિતાજીની આજ્ઞા મેળવી નથી, તથાપિ ખરીદ કનું સાહસ ઉત્પન્ન થાય છે. આજ સુધી પિતાજીએ મારી ઇચ્છાને કદિ નિરોધ કર્યો ને, મારી મનોવૃત્તિમાં ઉત્પન્ન થયેલી કામના પૂર્ણ કરવામાં તેઓ પ્રથમથી જ કલ્પવૃક્ષ થતા આવ્યા છે, તેથી આ કાર્યમાં તેમની આજ્ઞાની અપેક્ષા હુ જો તે નથી. માટે આ અશ્વવંદના નાયકને અયનું મૂલ્ય પુછી જે. શ્રીચંદ્રનાં વચન સાંભળી ગુણચંદ્ર ત્યાં રહેલા એક વૃદ્ધ પુરૂષને તે વિશે પુછ્યું. તે વૃદ્ધ બો–શેઠજી ! મેં અનેક અશ્વ વેંચ્યા છે; હવે માત્ર આ સેળ ઘેલ ઉત્તમ જાતિના ૧ ઇદ પક્ષે વિમુધ એટલે દેવતા, અને શ્રીચંદ્ર પક્ષે વિદ્વાન. ૨ સુમનસ્ એટલે દેવતા, અને સજજન પુરૂષ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy