________________
આનંદ મંદિર,
કર્યો. આસન પર બેઠા પછી લક્ષ્મીદા શેઠની દ્રષ્ટિ થી ચંદ્રના મુખ ઉપર પડી. પુત્રના મુખ કમળ ઉપર ગ્લાનિ જેવામાં આવી. નેત્રમાંથી નીકળતી અશ્રુની ધારા નજરે ચડી. પિતાએ પુત્રને પુછ્યું–વત્સ ! મુખ ઉપર ગ્લાનિ કેમ દેખાય છે ? નયનમાંશ્રી નીર ધારા કેમ વહે છે ? તને અકસ્માત શું દુઃખ પ્રાપ્ત થયું છે ? તારા શરીરમાં કઈ વ્યથા તે નથી થઇ ? પ્રિય પુત્ર ! જે સત્ય હોય તે કહે. શ્રીચંદ્રકુમાર મંદ સ્વરે બોલ્ય–પુજ્ય પિતાજી! મને કોઈ પણ જાતનું દુઃખ થયું નથી. વિદ્યાગુરૂના પ્રતાપથી શરીર પણ નિરાબાધ છે. આજે મારા વિદ્યાગુરૂ અહીંથી જવાની ઈચ્છા રાખે છે. મારે સર્વ વિદ્યાભ્યાસ સમાપ્ત થયે છે. આવા ઉપકારી અને વિદ્વાન ગુરૂને વિયાગ થશે–એ મારા મનને દુઃખદાયક થઈ પડયું છે. પિતાજી ! એ મહાશયને જરા સમજાવે, છેવટે ઘડા; દિવસ રહે તેવી પ્રાર્થના કરે. શ્રી ચંદ્રનાં આવાં વચન સાંભળી લક્ષ્મીદત્ત શેઠ ખુશી થયા. પુત્રની ગુરૂભક્તિ જોઈ, તેના ધાર્મિક હૃદયમાં આનંદ થયો. તેણે વિચાર્યું કે, ગોત્ર દેવીએ ખરેખર મારે ઉપકાર કર્યો, આ ધાર્મિક પુત્ર આપી, મારા જીવનને કૃતાર્થ કર્યું છે, તેનામાં કૃતજ્ઞતાને ગુણ કે ઉત્તમ છે ? ગુરૂ ભકિતની ઉત્તમ ભાવના કેવી જાગ્રત છે ? વિદ્યા ગુરૂ કેવા ઉપકારી છે ? જેઓ મનુષ્યને જડતા કે મુઢપણામાંથી બચાવે છે, અને માનવ જીવનને ઉચ્ચ વૃત્તિમાં મુકે છે,–આ બધું શ્રી ચંદ્રકુમાર સારી રીતે સમજે છે. આવી ઉત્તમ બુદ્ધિ પુત્રમાં પ્રાપ્ત થાય, એ કેવાં ભાગ્ય? આવા કૃતજ્ઞ અને ડાહ્યા પુત્રોના માતા પિતાને ધન્યવાદ મળે, એમાં શું આશ્ચર્ય ? પિતાના જીવનની સાર્થકતા આવા પુત્રોથીજ થાય છે. જે લાભ મને મારાં પૂર્વનાં પુણ્ય ભેગે પ્રાપ્ત થયો છે. વિદ્યાદાન કરનારા શિક્ષકોને મહોપકારની પ્રશંસા જૈન શાસ્ત્રમાં વર્ણવેલી છે, આહંત વાણી તેવા શિક્ષકોની સૂત્રધાર લાઘા કરે છે, એક અક્ષરને આપનાર પુરૂષને પણ મહોપકારી ગુરૂ જાણ. તેના ઉપકારને શિષ્ય કદિ પણ ભૂલવો નહીં. આવાં વચન જૈન આગમમાં પદેપદે દર્શાવ્યાં છે. વિદ્યા ગુરૂની એવી મહત્તા શ્રીચંદ્ર જાણે છે, એ જાણી મને અતિ આનંદ થાય છે.
આ પ્રમાણે વિચાર કરી, આનંદ પૂર્વક લક્ષ્મીદત્ત ઉપાધ્યાયને વિનયથી કહ્યું. મહાશય ! આપના શિષ્યની વિનતી ધ્યાનમાં લે, અને થોડા દિવસ રહી, શિષ્યને ગુરૂ ભક્તિનું ફલ આપે. હું પણ આપને તે વિષે વિશેષ વિનતી કરું છું. શિષ્યની મનોવૃત્તિ પ્રસન્ન કરવી, એ પણ ગુરૂનું કર્તવ્ય છે, અને ગુરૂએ શિષ્ય ઉપર તેવો અનુગ્રહ કરવો જોઈએ. શેઠની એવી વિનતિથી ગુણધર ઉપાધ્યાયે તે વાત ધ્યાન ઉપર લીધી, અને શિષ્યની ગુરૂ ભક્તિથી પ્રસન્ન થઈ, તેઓએ કેટલાક દિવસ વધારે રહેવાને કબુલ કર્યું. દાક્ષિણ્યતાના ગુણને વશ થયેલા ઉપાધ્યાયજી કેટલાક દિવસ આનંદથી રહ્યા, તેથી શ્રીચંદ્રકુમારને હર્ષ થશે. ગુરૂના મુખચંદ્રને નીરખી, શ્રીચંદ્રનો હસાગર ઉલ્લાસ કરવા લાગે..
છેવટે અવધિ પુરી થતાં ઉપાધ્યાય શ્રીચંદ્રને આશીષ આપી વિદાય થયા. શિક્ષક મણિ ગુણધર ગુરૂએ આપેલી ગુણરૂપ માણેકની મનહર માળા કંઠમાં ધારણ કરી, શ્રીચંદ્રકમાર કુશસ્થલીમાં રહેવા લાગ્યા, અને પોતાના પ્રિય મિત્ર ગુણચંદ્રની સાથે શાન ગણી કરતાં બધો કાળ આનંદમાંજ નિર્ગમન કરવા લાગ્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org