________________
આનંદ મંદિર, વય પણ સમાન હતી. શ્રીચંદ્ર ગુણચંદના ચિત્તને, અને ગુણચંદ્ર શ્રીચંદ્રના ચિત્તનો ચોર હત, નખ અને માંસની જેમ તેઓ ક્ષણવાર પણ અળગા રહી શક્તા નહતા. બંનેને * જીવ એક હતામાત્ર દેહજ જુદા હતા. ગુણચંદ્રનો પિતા સુધીરાજ પોતાના પુત્રને શ્રીચંકને સહવાસ થવાથી ઘણેજ ખુસી થતો હતો, તેથી તેણે પોતાના પુત્ર ગુણચંદ્રને શ્રીચંદ્રની સાથે લક્ષ્મીપુરનાં વિદ્યાગ્રહમાં અભ્યાસ કરવાને રાખ્યો હતો. બંને મિત્રે આનંદ પૂર્વક વિદ્યાભ્યાસ કરતા હતા, તેમને જે જે પદાર્થ જોઈએ, તે તે પદાર્થ લીદત્ત શેઠ ત્યાં મોકલાવતો હતો. તે સ્થળે વિદ્યાગ્રહની નજીક પાકશાળા, સ્નાનશાળા, પૂજાગૃત, પુસ્તકાલય, અને વ્યાયામશાળા વિગેરે અર્વ સામગ્રી ગોઠવવામાં આવી હતી. કઈ કઈ વાર લક્ષ્મીદત્ત શેઠ પુત્રને મળવા રથમાં બેથી આવતો, અને કોઈ નિમિત્તે શ્રી ચંદ્રને કુશસ્થળીમાં પણ બોલાવતો હતો. શિક્ષા ગુરૂ ગુણધર જે કહે તેમ લક્ષ્મીદત્ત તત્કાળ કરતો હતો. જ્યારે વિઘા ગૃહ સ્થાપવામાં આવ્યું, ત્યારે શિક્ષક શિરેમ ણ ગુણધરે કહ્યું હતું કે, શેઠજી ! અભ્યાસને માટે યોગ્ય વિદ્યાગ્રહ કરવામાં પાંચ બાહેરનાં અને પાંચ અંતરનાં એમ દશ * સાધનો રાખવાં જોઈએ. ૧ આચાર્ય, ૨ પુસ્તક, ૩ નિવાસ, ૪ સહાય, અને ૫ ભોજન. એ પાંચ બાહેરનાં અને ૧ આરોગ્ય, ૨ બુદ્ધિ, ૩ વિનય, ૪ ઉદ્યમ, અને ૫ શાસ્ત્ર પ્રીતિ એ પાંચ અંતરનાં એ દશ સાધન કહેવાય છે. આવાં સાધનોની પૂર્ણ સામગ્રી હોય તો, * સંપૂર્ણ વિદ્યા પ્રાપ્ત કરાય છે. જ્યારે શ્રીચંદ્રને વિધા ગૃહમાં પ્રવેશ કરાવ્યું, ત્યારે વિદ્યા ગુરૂ ગુણધરના કહેવા પ્રમાણે શુભ મુહુર્ત, શુભ ચંદ્રોગ, અને લગ્ન બળ જોવામાં આ
વ્યાં હતાં. લેખશાળામાં પ્રવેશ કરવાનો મહત્સવ એ શ્રદ્ધાળુ શેઠે મોટા ઠાઠમાઠથી * કર્યો હતો.'
શ્રીચંદ્ર અને ગુણચંદ્ર બંને વિદ્યાગ્રહમાં સાથે રહેતા હતા. ઉપાધ્યાયની આજ્ઞામાં રહી નિત્યના નિયમ પ્રમાણે ચાલતા હતા. ગુણચંદ્રના કરતાં શ્રી ચંદ્રકુમાર બુદ્ધિબળમાં - ઘણો જ ચઢીઆત હતો. કારથી માંડી સર્વ વર્ણ જ્ઞાન મેલવી શ્રી ચંદ્ર અનુક્રમે શાસ્ત્રીય
જ્ઞાનમાં પ્રવેશ કરવા માંડયો. વ્યાકરણ, ન્યાય, કાવ્ય, અલંકાર, જ્યોતિષ, છંદ, ગણિત શાસ્ત્ર, લક્ષણ શાસ્ત્ર, સામુદ્રિક અને વાસ્તુ શાસ્ત્રમાં તે પ્રવીણ થઈ ગયો. ઘણી કળાઓ તેણે સંપાદન કરી લીધી. રસમંજરી, શૃંગાર, શાલિહોત્ર, ( અશ્વ પરીક્ષા ) આર્યવેદ, અને તેના છ અંગમાં તે કુશળ થયે. જ્યોતિષમાં હેરા, લગ્ન, નાડી વિગેરે તથા સ્વદય, કાળજ્ઞાન, શિલ્પવિદ્યા, પિંગળ, નાટય શાસ્ત્ર, અને અક્ષર ગણિત તેણે હાથ કરી લીધાં, લેખન, ગ્રંથન વિગેરે બેતર કળાઓ તેણે પ્રાપ્ત કરી, તે સાથે ગુણચંદ્ર પણ તેની બુદ્ધિની શક્તિ પ્રમાણે શીખી ગયો. શ્રી ચંદ્રકુમારની પૂર્ણ વિના જોઈ શ્રી ગુણધર ઉપાધ્યાયને સંતોષ થતો, અને પોતાની વિદ્યા અને કળા એક ઉત્તમ પાત્રમાં પ્રાપ્ત થઈ તેને
* *તે વિષે આ પ્રમાણે શ્લોક છે – “ ગાવા પુરતા નિવાસ સહાય भोज्यं बाह्याश्च पंच पठनं परिवर्द्धयन्ति । आरोग्य बुद्धि विनयोद्यम રાસરાના રાતા: પટના મવંત” ? . '
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org