SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ મંદિર, નિયાણાથી પ્રાણી ચાર ગતિના વમળમાં પડી અથડાય છે, અને શુભ નિયાણુથી પ્રાણ . સ્મસ સંપાદુન કરે છે, સારિકાનું આવું ભાષણ સાંભળી શ્રીચંદ્રકુમાર ખુશી થશે. તેને ઉત્તમ બેધ અને વાક્યાતુર્ય જોઇ તેનું હદય આનંદ સાથે ચમત્કાર પામી ગયું. તેના મનમાં આવ્યું કે, આ પક્ષિણ ખરેખરી ધર્મના રહસ્યને જાણનારી છે. એના હૃદય કમળમાં સ્વાદાદ મતનો ઉત્તમ સિદ્ધાંત ઠસી ગયો છે. આ પક્ષિણીનું પાંડિત્ય પૂર્ણ રીતે પ્રકાશિત છે. ભારતવર્ષમાં આવાં સુબોધી પક્ષીઓ. પ્રત્યેક સ્થાને રહેતાં હોય, તે કેટલે બધે લાભ થાય ? રાણી સૂર્યવતીને પણ ધન્ય છે કે, જેના સહવાસમાં આવાં પક્ષીને સતત રહેવાનું છે. મહારાજા પ્રતાપસિંહે આવી ઉત્તમ ભેટ મોકલી પોતાની પ્રિયાને મેટો ઉપકાર . કરેલ છે. શ્રી ચંદ્રકુમાર આવું ચિંતવ હતો, ત્યાં સૈદ્રીએ આવી ખબર આપ્યા કે, પંડિતા સારિકા ! જુઓ, આ મહારાણી સૂર્યવતી અહીં આવે છે. સારિકાએ પ્રેમથી :"લોકન કર્યું. સુવતી તે સ્થળે આવી પહોંચ્યાં. સારિકાને ઉદેશી મહારાણી બોલ્યાં– ય બેન ! શાતા છે ? કેમ વિલંબ થયો ? તમારા સિવાય મને એક ક્ષણવાર પણ મહેલમાં રાખ્યું નહિ, એટલે રથ જોડાવી તમારી પાછળ હું અહીં આવી છું. ચાલે, સત્વર કરે. તમારું શરીર તપસ્યાથી દુબળ છે; મહેલમાં આવી ક્ષણવાર શાતા મેળવે. સૂર્યવતી એમ કહેતાં હતાં, ત્યાં વચ્ચે સેંદ્રી બેલી ઉઠી–બા સાહેબ ! તમે સાંભળી નાખુશ ન થાઓ, તે એક બીજી વાત નિવેદન કર્યું. આ સારિકાએ પાછું બીજું સાહસ કર્યું છે. તે સાંભળી સૂવિતી ચમકીને બોલી–સખી ! કહે, વળી શું કર્યું છે ? સૈદ્રી. બેલી-જુઓ, જે આ સુંદર કુમાર ઉભા છે, તેમને જોઇ સારિકાને મેહ ઉત્પન્ન થઇ આવ્યું. પ્રભુની ભક્તિ પ્રેમ ભાવથી કર્યા પછી તેઓએ પ્રભુની સન્મુખ અનશન કરી નિયાણું કર્યું કે, જે હું આવતે ભવે રાજકુમારી થાઉં, તો આ સુંદર કુમાર મારા પતિ છે, અને તે ભવમાં અહંત દેવ, સંયમશીળ મુનિ ગુરૂ, અને અહિંસા લક્ષણ ધર્મ મને પ્રાપ્ત થજે. આ સાંભળતાંજ સુવતીને લાગી આવ્યું. તે બોલી–અરે સારિકા ! તે પાછું આવું સાહસ કેમ કર્યું ? અનશનના પચ્ચખાણનું કાર્ય અતિ દુષ્કર છે. બેન ! આ તપસ્યામાં તારા જીવનને છેડે છે. આવું મહા દુષ્કર વ્રત લેવું ન હતું. પક્ષીની જીત સાહસી હોય છે, પ્રથમથી તેં તારું શરીર તપના કષ્ટથી ગાળી નાખ્યું છે. હવે આ વ્રત તારા શરીરને અંત લાવશે. સખી ! તારો વિયોગ મારાથી સહન થઈ શકશે નહિ. તારા વિના મારું જીવન ભારરૂપ થઈ પડશે. અઠ્ઠાઈ તપનું પારણું કરી તારે તો મને આનંદ આપ હતો. હવે કૃપા કરી તે વ્રત છેડી દે. મારા જીવનને ધમર્યા બનાવ, હું તારો ઉપકાર માનીશ. જિન શાસનમાં કહ્યું છે કે, અયુષ્યનું માન જાય વિના અનશન વ્રત કરવું ન જોઈએ. તું તારા આયુષ્યનું માન જાણતી નથી, તે વિષે - કેઈએ તને જ્ઞાત કરી નથી. વળી તું પક્ષીની જાત છું. તને વ્રત છોડવામાં એ મહાન દેષ લાગશે નહિ. બેન ! અમારું વચન માન્ય કર. જે હઠ કે આગ્રહ ન રાખે, તેણે જ જિનમત જાણ્યો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy