________________
નિદાન અથવા નિયાણુ * ૫૯ મેહનીય કર્મની કઈ મહાન પ્રકૃતિએ તેને ભ્રમમાં નાખી દીધી. ક્ષણ વાર પછી શ્રીચંદ્રને બીજે વિચાર આવ્યો. એ સાધ્વી સારિકાને આવું નિયાણું કરવાનું કારણ હું જ થશે. જે આ વખતે તેની સાનિધ્યમાં હું ન હેત છે, તેને આવે વિપરીત વિચાર થાત નહીં. શુભ પરિણામનાં ઉંચા શિખર ઉપર ચડેલી એ પક્ષિણીનું પતન મારે લીધે જ થયું, હવે મારે મારી પવિત્ર ફરજ બજાવવી જોઈએ. એ પક્ષિણ ઘણી પંડિતા છે, તેને મારા જે મુગ્ધ બાળક બોધ આપવાને યોગ્ય નથી પણ મારે તેને યથાશકિત બધં આપે. આવા હલકા નિયાણાથી તેણીએ પોતાનું પાંડિત્ય તે ગુમાવ્યું છે. આવું વિચારી શ્રીચંદ્રકુમાર બોલ્ય– સારિકા ! તમે આ શું કર્યું ? તમારા જેવું કઈ પ્રાણી આવું કાર્ય કરે નહીં. આ કાર્યથી તમે તમારી તિર્યંચ જાતિને જણાવી આપી છે. પંડિત પક્ષિણ ! તમારી ચતુરાઈમાં બે• ટી ખામી આવી. વીતરાગ પ્રભુના શાસનના તમે જ્ઞાતા છે, તમે તેમાં સાંભળ્યું હશે કે,
“ નિદાન–નિવાણા વગર કરેલે ધર્મ મુકિતને આવે છે. ઉત્તમ ધર્મ આચરી, તેમાં નિયાણું કરનાર પ્રાણી પંચામૃત જમીને ઉપર ખારા જળની અંજલિ પીવે છે, એ કહેવત તમે યથાર્થ કરી બતાવી છે. જિન ભગવંતને આ તપસ્યા સહિત અઠ્ઠાઈ ઉત્સવ કર્યો, કે જેને અનુમોદન કરનારા ઘણું જ સમકિતને પ્રાપ્ત કરશે, તે બધું આવા નિયાણુથી તમે વ્યર્થ કરી દીધું છે. સારિકા !' હું બાળક તમને વધારે શું કહું ? પણ તમે મેટી ભુલ કરી છે, અથવા કર્મની ગતિ વિચિત્ર છે. ભાવી ભાવ કદિ પણ બર્થ થતો નથી.
- શ્રીચંદ્રનાં આવાં વચન સાંભળી સારિક બેલી—ભદ્ર ! તમે કહ્યું, તે યથાર્ય છે. ગુણકુમાર ! મેં જરાપણ ભૂલ કરી નથી. મારો હેતુ તમારા જાણવામાં આવ્યો નથી, તેથી તમે મારે વિષે જુદો મત બાંધે છે. સુંદર કુમાર ! કૃપા કરી મારો એક પૂર્વે વૃત્તાંત સાંભળો. પૂર્વે એક સંયમશીળ સાધુની પાસે મેં સમક્તિ પ્રાપ્ત કર્યું હતું, તે જ્ઞાની મુનિએ મને તે વખતે જણાવ્યું હતું કે, પક્ષિણી ! તું આવતે ભવે એક રાજપુત્રી થઈશ, મુનિની તે ભવિષ્યવાણું મારા મનમાં સ્પરણયમાન છે. આ વખતે તમારું હૈદર્ય જોઈ, મને તે વણી પુરી આવી. મેં વિચાર્યું કે, જ્યારે સ્ત્રીને અવતાર તો અવશ્ય થવાનો છે, તો પછી સ્ત્રીએ એગ્ય પતિની સાથે રહેવું, એ તેને પવિત્ર વ્યવહાર છે. મિથ્યાત્વની જેમ સાહસથી વ્યવહાર માર્ગનું ઉલ્લંઘન કરવું, તે એગ્ય નથી; તેથી મેં આવાં શુભ પરિણામમાં પણ નિયાણું કરેલું છે. ભદ્ર ! તમારી આકૃતિ જોઈ, મને મેહનીય કર્મને ઉદય થઈ આવ્યો છે. તે સાથે તમારામાં ધાર્મિક૫ણુના શુભ ચિહા કે જે હું શાસ્ત્ર દષ્ટિએ જોઈ શકું છું, તે મારા જેવામાં આવ્યાં. પરભવમાં પણ ધાર્મિક પતિ સાથે સંગ થાય, તે ધર્મની સંપૂર્ણ સામગ્રી પ્રાપ્ત થાય છે. મિથ્યાત્વના સંસર્ગથી કાષ્ટ ઘંટાની વિડંબના જેવું થાય છે. કુમાર ! આ દીધ વિચાર કરી, આ અ૫ મતિની પક્ષિણીએ નિયાણું કરેલું છે. હું સારી રીતે સમજું છું કે, નિદાન રહિત ધર્મની સાધના મુક્તિનું કારણ છે, પણ મારે તેમ થવાનું નથી, તે પછી જેથી પરભવમાં શ્રી જિન ભક્તિ, જિન મતને રાગ, સદ્દબુદ્ધિ પ્રાપ્ત થાય, તે યોગ શ માટે ન મેળવે ? ભદ્ર! વળી મેં અશુભ નિયાણું કર્યું નથી. જિનવાણીમાં શુભ અને અશુભ એવા નિયાણાના ભેદ દર્શાવ્યા છે. અશુભ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org