________________
ઉદ્યાનમાં ચમત્કાર
૫૭ , અનંતા જે સમકાળે, ભક્તિ કરે જે બેહી “ તોપણ પ્રભુ ગુણ સમતા ના, તો હું તારિણી કહી. પ્રભુ. ૯ : ' “ સારિકા એણપરે આદિ દેવની. ગુણ થઈ કરવા લાગી; “સહુ પ્રશંસે જુઓ એ અચરિજ, નાન વિમળ મત જાગી. પ્રભુ. ૧૦
આ પ્રમાણે મધુર કંઠથી સારિકાએ પ્રભુની સ્તુતિ કરી, તેના મધુર ધ્વનિથી ગર્ભ મંડપ ગાજી ઉઠશે, સર્વ શ્રેતાઓના હૃદયમાં તેણીએ ભક્તિ ભાવના જાગ્રત કરી દીધી, અહંતના સ્તવનમય સંગીતથી સર્વ જન સમાજ સ્તબ્ધ થઈ ગયે, વાટિકાની રમણીય ભુમિમાં તેના પ્રતિધ્વનિ પયા, વૃક્ષોની ઘટામાં પક્ષીઓ શાંત થઈ, તેને સાંભળવા લાગ્યાં, પોતાની જાતિનું તેમને અભિમાન થયું હોય, તેમ તેઓ પરમ આનંદને પ્રા પ્ત થઈ ગયાં, સારિકાના સુંદર સુરથી આકષી મૃગલાઓનાં વૃંદ ચૈત્ય ભુમિની આગળ એકઠાં થઈ ગયાં, ઉદ્યાનમાં સર્વ સ્થળે શાંત રસને આપનારી શાંતિ પ્રસરી ગઈ. લક્ષ્મીદત્ત શેઠ અને તેને પુત્ર શ્રી ચંદ્રકુમાર ભક્તિ રસમાં મગ્ન થઈ ગયા, સારિકાના સ્તવનથી તેઓ સાનંદાશ્ચર્ય થઈ, પરમાત્માની સાથે એકતાન થઈ ગયા, તેમની નિર્મળ મનોવૃત્તિ શુભ પરિણામના શિખર ઉપર આરૂઢ થઈ.
સ્તવન કર્યા પછી સારિકા એક વાપિકામાં સ્નાન કરી આવી, પછી પોતાની ચંચુ શુદ્ધ કરી, મુક્તાફળનાં આઠ મંગળ તેણે પુરી દીધાં, તે પુષ્પના પગર ભરવા લાગી, ધુપ દીપનાં પાત્ર સજજ કરી દીધાં, સાધ્વી સારિકાએ અંબર અને કસ્તુરી મિશ્ર પવિત્ર જળથી પ્રભુને સ્નાત્ર કરાવ્યું, પ્રભુની પવિત્ર પ્રતિમાને નિર્મળ કરી, પોતે કર્મમળથી નિર્મળ થઈ, જન્મ, જરા અને મરણરૂ૫ રજ દુર કરવામાં આવી. અર્થમાં પ્રવીણ એ પણિીએ પૂજા ભણી, ચડતા પરિણામ પ્રગટ કર્યા, પૂજા અર્ચા કરી, પ્રભુના મનહર મુખ સામું જોઈ, તેણે ઘણા પ્રણામ કર્યા. સારિકાની આવી અદભુત પ્રવૃત્તિ જોઈ, શ્રીચંદ્રકુમાર ચકિત થઈ ગયો. તે માનવ જીવનની કેટીમાં તિર્યંચના જીવનને ગણવા લાગ્યો, માનવીનો જન્મ તિર્યંચથી ઉતરતો કહેવામાં તેને શંકા પડી. આ સારિકા જેવી તિર્યંચની જાતિ કે લાભ મેળવે છે ? અને અભવી મનુબેથી તે કેવા ચડીઆતા છે ? એમ મનની સાથે તર્ક વિતર્ક કરવા લાગે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org