SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫ ઉધાનમાં ચમત્કાર, કતાર્થ છે. આ સાથ્વી સારિકાના સમાગમથી મહારાણી પુત્ર વિયેગનું દુઃખ ભુલી ગયાં છે, પુત્રના મહા મોહથી શોક સાગરમાં મગ્ન થયેલાં સૂર્યવતીબાને આ સાધ્વી સારિકાએ ખરેખરો ઉદ્ધાર કરેલો છે. જ્યારથી અમારા રાજમહેલમાં આ પવિત્ર પક્ષિણમાં પ્રવેશ કરે છે, ત્યારથી અમારી રાણી સાહેબના બધા દિવસે મંગળમયજ થાય છે, તેમના મહેલની દિવાલમાં નવકાર મંત્રના પ્રતિધ્વની પડે છે, મહારાણુની મને વૃત્તિ સર્વદા સાય ધ્યાનમાંજ તત્પર રહે છે. જિન પ્રતિમા અને જિન વાણીના પ્રભાવનું જ ધાર્મિક તેજ અમારાં મહારાણીને પ્રકાશિત કરે છે. આ સાધ્વી સારિકાની સાથે રાણી સૂર્યવતી ત્રિકાળ દેવવંદના કરે છે, સ્નેહથી સામાયિક આચરે છે, અને પ્રેમથી પોષહ વ્રત આદરે છે, દરેક પર્વણીએ વ્રત, ઉપવાસ અને જિનભક્તિ વિશેષ કરે છે. પૂર્વે આ સાધ્વી સારિકાએ એક વખતે કે ઉત્તમ જ્ઞાની સાધુના મુખેથી સાંભળેલું હતું કે, “ તું આવતા ભવમાં એક રાજપુત્રી થઈશ.” આથી તેમનામાં ધાર્મિકવૃત્તિ વિશેષ પ્રગટ થઈ છે; એ પવિત્ર પક્ષિણ ઘણી તપસ્યા કરે છે, અને શરીરને મહા કષ્ટ આપે છે. અમારાં મહારાણીને તેમના ઉપર ઘણોજ પ્રેમ છે. અતિ કષ્ટકારી તપસ્યા કરવાને તેઓ તેમને અટકાવે છે. આ સાધ્વીના શરીરને કષ્ટ થતું જોઇ મહારાણી ખેદ પામે છે, તથા પિ તે ધર્માનુરાગિણી સારિકા તપસ્યાને છોડતી નથી. થોડા દિવસ પહેલાં તે પવિત્ર પક્ષિ એ અઠ્ઠાઈ ઉપવાસને તપ કર્યો હતો. એ તપસ્યાથી સંસારમાં પુણ્યને લાવ લેવા તેમણે અઠ્ઠાઈ ઉત્સવ કરે છે, તે ઉત્સવને પ્રસંગે આ વડે કાઢવામાં આવ્યું છે. આ આદિનાથ પ્રભુના ચૈત્યમાં વંદના કરી, પ્રભુની ભાવથી ભક્તિ કરવાને એ સાધ્વી સારિકા ગજે ઉપર ચડી આવેલ છે. અમારાં મહારાણીએ તે મહોત્સવમાં સંપૂર્ણ ભાગ લીધે છે. સંકીએ કહેલી સર્વ હકીકત સાંભળી એ બાળક આશ્ચર્ય પામી ગયે. તેના મનમાં ધાર્મિક ભાવના વિશેષ જાગ્રત થઈ આવી. તેણે મનમાં ચિંતવ્યું કે, આહા ! પુણ્યદયનાં કામ કેવાં ચમત્કારી છે ? આ પક્ષિણ તિર્યંચની જાતિ છે, તે છતાં તેનામાં ધર્મ ભાવના કેવી ઉત્તમ છે ? તે પવિત્ર પક્ષીએ પુણ્યની સામગ્રી કેવી મેળવી છે ? આહા ! આહંત ધર્મને પ્રભાવ કે ઉત્તમ છે? ગમે તે જાતિમાં રહેલ બધિબીજ કેવાં અંકુરિત થાય છે ? ચાલ, હવે આ સારિકાની જિનભક્તિ જેઉં. તે તિર્યંચ જાતિ કેવી ભાવના ભાવે છે ? પ્રભુની આગળ શું બોલે છે ? અને કેવી ધામક લાગણી દર્શાવે છે ? તે જે તમારા આત્માને કૃતાર્થ કરું. આ પ્રમાણે ચિંતવી તે બાળક ચિત્યના ગર્ભ મંડપમાં જઈ એક તરફ ઉભો રહ્યો. સારિકા ભક્તિ ભાવથી પ્રભુની પ્રતિમાના મુખ્ય દ્વારની આગળ ઉભી રહી, પિતાની પાંખો ફફડાવી, ચાંચ નમાવી, તેણીએ અંતરના ભાવથી પ્રભુને વંદના કરી, પિતાની દ્રષ્ટિ પ્રભુની મનોહર મૂર્તિની સામે લગાડી. હૃદયને તલ્લીન કરી, તે પંડિત પક્ષિ ણી માનવ ભાષામાં સ્તુતિ કરવા લાગી; જેને તે ચતુર બાળક એક તરફ રહી સાંભળો હ. વાંચનારને જિજ્ઞાસા થઈ હશે કે, એ બાળક કોણ હશે ? તે પિતા પુત્ર અહીં ક્યાંથી આવ્યા હશે ? એ વૃદ્ધ ગૃહસ્થ તે કુશસ્થલીને પ્રખ્યાત શેઠ લક્ષ્મીદા છે, અને તે બાળક તેને પુત્ર શ્રી ચંદ્રકુમાર છે. આજે પિતા પુત્ર રથમાં બેસીને આ વાટિકામાં ફ• રવા આવ્યા છે. પ્રેમી પિતાની ઇચ્છા તેના બાળકને નવનવાં કૌતુક દેખાડવાની હતી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy