________________
૫૪
આનદ મંદિર.
ધવલ મંગળનાં મધુર ગીત પણ ગવાતાં હતાં, આગળ અનેક જાતના નટ લેકે નૃત્ય કરતા હતા, જયધ્વનિ સાથે હર્ષના કાલાહલ થતા હતા. આ મહા સમાજની પાછળ એક પર્વતના જેવા શ્રૃંગારયુક્ત ગજેંદ્ર મંદ મંદ ગતિએ આવતા હતે, તેની ઉપર પૂર્ણ ચંદ્રના જેવું છત્ર ધરવામાં આવ્યું હતું, તેની પડખે રત્નજડિત દડવાળા ચામરી વીંજાતા હતા, ગજેંદ્રની આગળ સામત અને મ`ત્રીઓના મોટા પરિવાર ચાલતા હતા, પછવાડે ગજેંદ્રાની અને અશ્વાની શ્રેણી ચાલી આવતી હતી. આ સુશેભિત વારી વાટિકામાં થઇ, તે ચૈત્યની આગળ આવી. બીજો સમાજ દૂર ઉભા રહ્યા. ચૈત્યથી થાડે દૂર ગજેંદ્ર ઉભા રાખી, તે ઉપરથી એક સારિકા પક્ષિણી ઉતરી, તે વખતે સર્વે લોકોએ મોટા જયધ્વનિ કર્યેા. એક મહારાણીને જેવું માન મળે, તેવું એ સારિકાને માન આપવામાં આવ્યું. સારિકા ચૈત્ય દ્વારમાં થઇ, અ ંદર આવી. તેની સાથે બીજો પરિવાર જયનાદ કરતા અ ંદર પેઠા. ક્ષણ વારે તેની પાછળ સુખાસનમાંથી ઉતરી એક બીજી સ્ત્રી આવી, તે સ્ત્રીનું ઉત્તમ સૌંદર્ય હતું.
આ દેખાવ જોઇ, પેલા વૃદ્ધ ગૃહસ્થ અને તેને પુત્ર આશ્ચર્ય પામી ગયા. ચતુર બાળકે પિતાને પૂછ્યું, પિતાજી ! જો આજ્ઞા આપે, તે આ ચમત્કારી વૃત્તાંત જાણી મારા જૈતુને શાંત કરૂ'. પ્રિય પુત્રની ઇચ્છા પૂર્ણ કરવાને પિતા પ્રસન્ન થયા, અને તેણે પુત્રને આલિંગન કરી આજ્ઞા આપી. ચપળ કુમાર ચૈત્યમાં ગયા. જ્યાં સારિકા અને પેલી સ્ત્રી ઉભાં હતાં, ત્યાં આવ્યા. પ્રેમી અને જિનભક્ત શ્રાવક કુમારે પેલી સ્ત્રીને વિનયથી કહ્યું, ભદ્રે ! આ સારિકા ક્રાણુ છે ? અને તમે કાણુ છે? આ મહેસ્રવ શેને ? આ જિન પ્રાસાદમાં તમે આવા મેટા આડંબરથી ક્રમ આવ્યાં છે ? મનહર બાળકના પ્રશ્ન સાંભળી એ સ્ત્રી ખુશી થઇ. એ બાળકની સુંદર આકૃતિ અને ચાલાકી જોઇ, એ રમણી હૃદયમાં આનંદ પામી મધુર સ્વરે ખાલી—વત્સ ! આ કુશસ્થલીના પ્રતાપસિહુ રાજા છે. તે હાલ રત્નપુર ઉપર વિજય કરવા ગયા છે. તેમને સૂર્યવતી નામે એક રાણી છે, તેની સેદ્રી નામે હું દાસી છું. હું દાસી છતાં તે મહારાણી મને પોતાની સખી સમાન ગણે છે. આ સારિકા તે મહારાણીને અતિ વહાલી છે. તેના માનસરૂપ માનસ સરેાવરની તે રાજસીરૂપ છે. એ સારિકાની જન્મભૂમિ કંઢેટક નામના બેટમાં છે. એક ધનવાન વ્યાપારી તેને તે એટમાંથી લાવેલ હતે. તે વ્યાપારી રત્નપુરને નિવાસી હોવાથી તેણે પા તાના રાજાને તે ભેટ કરી હતી. હમણાં મહારાજા પ્રતાપસિંહે રત્નપુર તાબે કર્યું, ત્યારે તેના રાજાએ આ સારિકા મહારાજા પ્રતાપસિ ંહજીને ભેટ કરી હતી. થેડા સમય ઉપર અમારાં મહારાણી સૂયૅવતીને તેમના પુત્રને વિયેાગ થયા છે, એ સમાચાર પત્ર દ્વાસ મહારાજાના જાણવામાં આવ્યા. પોતાનાં પ્રિય મહારાણીને દુ:ખ થયેલું જોઇ, એ દયાળુ મહારાજાએ આ પવિત્ર અને ચતુર સારિકા મહારાણીના આન ંદને માટે મોકલાવ્યાં છે.
આ સારિકા પક્ષિણી છે, તે છતાં મનુષ્ય ભાષા મેાલી શકે છે. તે કાવ્ય સાહિત્યની જ્ઞાતા છે, શ્રી જિન ભગવંતે કહેલા ઉપદેશને જાણે છે, વૈરાગ્યને પુષ્ટિ કરનારી વાતાઓ, ગીતા અને સુભાષિતનું ઉંચું જ્ઞાન તે ધરાવે છે. તે પત્રિત્ર પક્ષિણીના હૃદયમાં આર્હત ધર્મની આસ્તા ઉત્તમ પ્રકારની છે. તેમના સહવાસથી રાણી સૂયૅવતીનેા બધા સમય ધર્મગાશીમાંજ પ્રસાર થાય છે, સત્સંગના મહિમા મોટો છે, માનવ જીવનનું સાલ્થ સત્ત ગતિમાંજ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org