SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ ' ' 31 ઉધાનમાં ચમત્કાર પ્રકરણ ૧૮ મું. ઉદ્યાનમાં ચમત્કાર, EM એ ક સુંદર વાટિકા વિવિધ ક્ષેથી વિકાશીત થઈ શોભતી હતી, આંબા, કદલી, ખજૂરી, નારંગી, શ્રીફળ, બદામ, અંજીર, અને દાડિમ વિગેરે વૃક્ષો પૂળના ભારથી નમિત થઈ રહ્યાં હતાં, પોતાની ઉપકારિણી ભૂમિ માતાને જાણે પ્રણામ કરતાં હોય, તેવાં તે દેખાતાં હતાં. આસપાસ વિવિધ જાતનાં પક્ષીઓ મધુર રવ કરી રહ્યાં હતાં, એક તરફ કેફિલના કલરવ થતા હતા. બીજી તરફ મનહર કળા કરી, મયુર પક્ષીઓ નૃત્ય કરતાં હતાં, ક્યારાની શીતળતામાં આવી, વિવિધ પ્રાણીઓ પિતાના પરિવાર સાથે પડયાં હતાં, વટ વૃક્ષની વડવાઈ સાથે ચપળ વાનરાઓ હીંચકા ખાતા હતા, પિતાનાં બચ્ચાંપર અતિ વહાલ ધરતી વાનરીઓ પોતાની ઉદર શયામાં બચ્ચાંને વળગાડી નૃત્ય કરતી હતી, મંદ, શીત અને સુગંધી પવન સુખ સ્પર્શથી સર્વને આનંદ આપતો હતો, વૃક્ષની શાખામાંથી આવી અને પલ્લવનાં છિદ્રમાંથી પસાર થઈ, સૂર્યનાં કારણે છાયારૂપે થઈ પ્રકાશ આપતાં હતાં. આ રમણીય ઉદ્યાનમાં એક આદિનાથ પ્રભુનું ચિત્ય દેવતાઈ વિમાનના જેવું દેદીપ્યમાન દેખાતું હતું. તેની આસપાસ આવેલી ઉંચા વૃક્ષોની ઘટાની બહાર તેનું સુ ભિત શિખર ગગનની સાથે વાતો કરતું હતું, તે ઉંચી અવજારૂપ કરથી આસ્તિક શ્રાવકોને દર્શન કરવાને બેલાવતું હોય, તેમ દેખાતું હતું. મંદિરની દિવાલો ઉપર નમુનાદાર અને ઉત્તમ કારીગીરીનું કામ કરવામાં આવ્યું હતું. તેના ગર્ભ મંડપની અંદર નકશીદાર સ્તંભ શ્રેણી અને પ્રતિમા ગૃહમાં કરેલી સિંહાસનની રચના અલૈકિક અને અતિ ઉત્તમ શિ૯૫ કળાથી પરિપૂર્ણ હતી. આ સુંદર ચિત્યની શોભા જેવાને અને તેમાં વિરાજમાન થયેલા પ્રભુનાં દર્શન કરવાને અનેક યાત્રાળુઓ આવતાં હતાં. સાયંકાળે બહારના પવનનું સુખ લેવા આવનારા ગૃહસ્થોએ ઉદ્યાનમાં ફરી આ મનહર ચૈત્યની ભેટ લઈ પાછા નગરમાં જતા હતા. આરાત્રિક સમયે તે મંદિરમાં ઘણે ઠાઠમાઠ કરવામાં આવતું હતું. નોબત, વિણ, સારંગી, સીતાર અને મૃદંગના નાદ સાથે ત્યાં ઉત્તમ પ્રકારની સંગીત પૂજા થતી હતી. ઝાલર, ઘંટા અને તૂરીના ધ્વનીઓથી એ મનહર ઉદ્યાન તે વખતે ગાજી રહેતું હતું. આ ઉધાનમાં એક વૃદ્ધ ગૃહસ્થ પિતાના એક બાળ પુત્રને લઈ ઉદ્યાનમાં ફરવા આવ્યો હતો. ઉદ્યાનનું વિવિધ સાંદર્ય તેના પ્રેમપાત્ર પુત્રને દર્શાવી પેલા સુંદર જિનાલયની પાસે આવ્યો. ચૈત્યનાં દર્શન કરી ધર્મ બાળક ખુશી થતો હતો. ચતુર બાળક જે જે પ્રશ્ન. કરે, તેને પ્રત્યુત્તર પિતા આપત, અને પુત્રનું ચાતુર્ય જોઈ, હૃદયમાં અતિ આનંદ પામતે હતે. આ સમયે એક મોટા વરઘડા જેવું સરઘસ તે વાટિકામાં દાખલ થયું. તેમાં વિવિધ જાતનાં વાજિ વાગતાં હતાં, સાથે ઘણું ગુણિજો ગીત ગાતા હતા, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy