________________
પર
આનંદ મંદિર.
દેખાતું હતુ', તે સાથે તેનામાં ધાર્મિક સંસ્કાર સારી રીતે દેખાતા હતા. કાઇને દુ:ખી દેખી તેનુ દયાળુ દિલ આર્દ્ર થતું હતું, ઉપકાર વૃત્તિએ તેના હૃદયમાં વાસ કર્યો હતેા, પાતાની શેરીમાં ફરતાં યાચક્રને દેખી, તે તેની પાસે દોડી જતા હતા, અને તેએને પોતાના પિતાની પાસે લઇ જઇ ઈચ્છિત દાન અપાવતા હતા, બાળ ક્રીડાને લઇ અનેક જાતની રમત ગમત કરતાં જો કાઇ સુક્ષ્મ જંતુ જોવામાં આવે તે, તેમને યતનાથી પાળતેા હતેા, અહિંસા ધર્મના પવિત્ર સંસ્કારો તેનામાં સ્વતઃ પ્રાપ્ત થયા હતા. પશુ પક્ષીને પીડિત કે દુ:ખી જોઇ ઘેર લાવતા, અને તેમની અશન પાન વિગેરે માવજત કરવામાં તત્પર થતા હતા. તેની ક્રીડામાં બીજી તોફાની રમતા ન હતી. પોતાના વિશાળ ગૃહના એક ભાગમાં જુદા જુદા ભાગ કરી, ધર્મશાળા, પાષધશાળા, સામાયિકશાળા, પાંજરાપોળ, ઉપાશ્રય અને ચૈત્યનાં સ્થાન કલ્પી આત્માને આનદ આપતા હતા. કાઇ વાર પોતાના એક મિત્રને અધ્યાપક કરી, પાતે અભ્યાસી થઇ આગળ બેસતા અને પાઠશાળાનુ સ્થાન કલ્પી તેમાં બીજા છોકરાને એકઠા કરી જુદાં જુદાં ઇનામેા આપતા હતા. કાઇ વાર સભા કરી પોતે વક્તાનું આસન લઇ બાળ ભાષામાં ભાષણ આપતે, અને સભા વિસર્જન કરી જાતજાતના ખાવાના પદાર્થોની પ્રભાવના કરતા હતા.
,,
આવી પુત્રની બાલ ક્રીડા જોઇ, શેઠ લક્ષ્મીદત્ત અને શેઠાણી લક્ષ્મીવતી અપાર આનંદ પામતાં હતાં, અને પુત્રનાં લક્ષણ પારણામાંથી વતાય એ કહેવતને યાદ કરી, તેઓ પુત્રની ભવિષ્યની ધામિઁક ઉન્નત્તિ વિષે સારા મત બાંધતાં હતાં. શ્રીચંદ્ર કુમાર પેાતાના પિતાની સાથે ચૈત્ય દર્શન કરવા જતા, ત્યાં પણ પ્રભુની પ્રતિમા જોઇ, તેનાં ઉંચાં પરિણામ થતાં હતાં, તેન! મુગ્ધ હૃદયમાં ભક્તિ રસ ઉલ્લાસ પામતા, અને નેત્રમાંથી પ્રેમાશ્રુ આવતાં હતાં. કોઇ વાર તેા અદ્વૈતની પ્રતિમાનું ધ્યાન કરી, આત્મ વૃત્તિને તેમાં તલ્લીન કરી દેતેા હતેા. જ્યારે ચૈત્યમાં પ્રવેશ કરતા ત્યારે નિસ્સહીના શબ્દો બાળ ભાષામાં ઉચ્ચારી પિતાને આનંદ આપતા, અને ઉત્તમ ભાવના ભાવી, પાછે ત્યાંથી પિતાની સાથે વળતા હતા. દેશનાલયમાં પણ પિતાની સાથે નિયમ પ્રમાણે જતા, અને ગુરૂના સોધક ઉપદેશને એક ચિત્તે શ્રવણ કરી, તેનું શ્રદ્ધાપૂર્વક મનન કરતા હતા. આ પ્રમાણે શ્રીચંદ્ર કુમારની બાલ્યાવસ્થા ઉચ્ચ વૃત્તિ સાથે પ્રસાર થતી હતી, અને પ્રતિદિન માતા પિતાના લાલન પાલનના સુખાનુભવને સ ંપાદન કરતી હતી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org