________________
શ્રીચંદ્રની બાલ્યાવસ્થા.
૫૩.
ને સાળ સંસ્કારને અધિકારી કરેલા છે. સંસ્કારથી રહિત એવા શ્રાવક્રે સ્વાચાર ભ્રષ્ટ અને શ્રદ્ધાહીન થાય છે. શ્રાવક પ્રજાને જૈન સંસ્કારની પૂર્ણ આવશ્યકતા છે, સંસ્કારને પ્રભાવ જ્યારે પ્રગટ થાય છે, ત્યારે શ્રાવકના બાળક ધાર્મિક અને સાસારિક ઉન્નત્તિમાં રવતઃ આવે છે. એથીજ લક્ષ્મીદત્ત શેઠે શ્રીચંદ્ર કુમારને અનુક્રમે ચેગ્ય સ ંસ્કાર કરેલા હતા, કળાઓથી ચંદ્રની જેમ શ્રીચંદ્ર સંસ્કારરૂપ કળાઓથી શાભાયમાન થતા હતા, તેના તેજસ્વી લલાટમાંથી સંસ્કારનાં કિરણા પ્રસરતાં હતાં, શરીરની ગાર કાંતિમાં અનુપમ લાવણ્ય રમતુ હતું, અંગના પ્રત્યેક અવયવ રમણીય અને લાલિત્ય ભરેલા દેખાતા હતા, તેના સુશાભિત શરીરમાં સ્વાભાવિક શાભાજ રહેલી હતી, તેની મંડન શાભા તે ઉલટી તેનાથીજ શાભા મેળવતી હતી.
શ્રીદ્રકુમારના બાહ્ય વયથીજ આનંદી સ્વભાવ હતા, બાલક્રીડામાં તેની મનેાવૃત્તિ આસક્તિ વગરજ રમતી હતી, કુશસ્થળીના પ્રત્યેક જન શ્રીચંદ્રને જોઇ ખુશી થતા હતા, તેને પ્રેમથી તેડવાને, રમાડવાને અને ખેલાવવાને સર્વે લલચાતા હતા. જે સ્થળે શ્રીચંદ્ર ઉભા હાય કે આવતા હાય, તે સ્થળે લેાકેાનું વૃંદ તેને અવલોકવાને એકઠું થતું હતુ, કાકપક્ષીને સૂર્યની જેમ તે સર્વને પ્રિય થઇ પડયા હતા, સમાન વયના મિત્રની સાથે માર્ગમાં ક્રીડા કરતા શ્રીચંદ્ર મુગ્ધાના મનને હરણુ કરતા હતા, તેની મેાહક મૂત્તિ સ્વયં અવિકારી છતાં પણ્ વનિતાઓના વિકારનુ કારણ થતી હતી, શ્રીચંદ્રનુ સાંદર્ભે જોઇ પ્રત્યેક શિવદના સાન ંદાશ્ચર્ય થઈ જતી હતી, તેની સાથે વાત્તાલાપ કરવાને દરેક દારા લક્ષચાતી હતી. જ્યારે શ્રીચંદ્ર ચત્વરમાં કરવા નીકળતેા, ત્યારે કુશસ્થળીની કામનિ પોતપોતાના પ્રાસાદ ઉપરથી તેને નીરખવાને આવતી હતી. તે વખતે તે વામાએના નીચે પ્રમાણે વાત્તાલાપ થતે! હતા.
સખી ! જો, આ શ્રીદ્રકુમાર કેવા સુંદર છે ? તેના મુખચંદ્ર કેવા સુંદર દેખાય છે ? તેના મૃદુ હાસ્યમાં કેવું લાલિત્ય છે ? તેના વિશાળ નેત્રમાં કેવું ચાંચય રહેલુ છે ? એન ! આ 'કુમારની માતાને ધન્યવાદ ધટે છે કે, જેના ઉદરમાંથી આવું રમણીય રત્ન પ્રગટ થયું છે. ખરેખર લક્ષ્મીવતી પુણ્યવતી છે, જે ભાગ્યવતી આવા ભવ્ય કુમારને સર્વદા લાલન પાલન કરતી હશે. ક્રાપ્ત વિકારી વામા ખેલીમેન ! તેની માતાના ભાગ્યનાં વખાણ કરેા છે, તે તે ઠીક, પણ ખરેખરી પ્રશંસા તે તેણે પાણિગ્નણુ કરેલી પત્નીની કરવામાં આવશે. ભવિષ્યમાં જે ભામિની આ ભવ્ય કુમારની સહચારિણી થશે. તેના પુણ્યની શ્રેણી કેવી ઉત્તમ ? એજ સર્વ સુંદરીઓની શિરામણી છે. સાભાગ્યના શિખર ઉપર એજ ચડેલી છે. શ્રીચંદ્રની અર્ધાંગનાનાં કેવાં ભાગ્ય ! આવા મનેહર કુમારને આલિંગન આપનારી, તેના મેહક મુખને ચુંબન આપનારી અને તેની મધુરી વાણીના વિલાસને અનુભવ કરનારી કઈ સ્ત્રી વિધાતાએ નિર્મિત કરી હશે ?
શ્રીચકુમારનુ બુદ્ધિબળ ખલ્ય વયથીજ ચળકતુ ં હતું. જે કાંપ તેના સાંભળવા માં આવતું, તેને તે કદિ પણુ ભુલતા ન હતેા. જાણે જન્મથીજ શિક્ષિત હાય, ધણા કાળના અભ્યાસી હાય, અને પૂર્વના સંસ્કાર ઉદિત થતા હોય, તેમ તેનામાં ચાતુર્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org