SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ મંદિર પ્રતાપસિંહનું પવિત્ર નામ ભારતની પ્રજામાં પ્રખ્યાત હતું, તેની રાજનીતિને જૈન ગૃહસ્થ, વિદ્વાને, કવિઓ અને જન મુનિએ પણ વખાણતા હતા. પ્રત્યેક પ્રસંગે રાજનીતિના ગુણમાં પ્રતાપસિંહનું જ દષ્ટાંત અપાતું હતું. પ્રતાપસિંહ જે નીતિમાન હતું, તેવો જ તે રાજ્યકાર્યમાં કુશળ હતા. તેની પાસે ઘણાં બુદ્ધિમાન મંત્રીઓ રહેતા હતા, પ્રતાપની મંત્રી સભા સર્વ રાજેમાં પ્રથમ પદ ધરાવતી હતી, તેણે પિતાની રાજ્ય કાર્યની કુશળતાથી કુશસ્થલીનું મહાનું રાજ્ય નિષ્કટક કર્યું હતું. છેવટે આ મલ્લ અને મહામા શત્રુઓને પણ પરાભવ કરી, પ્રજાની સર્વ જાતની પીડા દૂર કરી હતી. તે પ્રદેશના રાજ્યમાં શાંતિકારક વ્યવસ્થા કરવા માટે તે ઘણુ વખત સુધી રત્નપુરની નજીક સમુદ્રના તીર ઉપર પડાવ કરી રહ્યા હતા. પ્રકરણ ૧૭ મું. શ્રીચંદ્રની બાલ્યાવસ્થા. 1 લી મદત્ત શેઠને ઘેર શ્રીચંદકુમાર શુકલપક્ષના ચંદ્રની જેમ વધતો હતે. અનુક્રમે તે શિશુ વય અને કિશોર વયની સંધિમાં આવ્યો હતો, લ ક્ષ્મીદત્ત અને લક્ષ્મીવતી પુત્રને લાલન કરાવી, સંસારને લાવ લેતાં ક હતાં, બાળકનું કોમળ ભાષણ સાંભળી, કર્ણમાં અનુપમ સેંદર્ય નીરખી -નયનમાં આલિંગન કરી, સ્પર્શ શું દ્રયમાં સુધા સિંચન મેળવતાં હતાં, શ્રીચંદ્રના પ્રભાવથી “લક્ષ્મીદા શેઠને તેના વ્યાપારમાં વિશેષ લાભ થવા માંડે. પ્રભાવિક પુરૂષના આગમનથી -શું ન થાય ? પુણ્યવંત પ્રાણીઓને અવતાર ઉન્નતિનું જ કારણ થાય છે. તેનું જીવન તેના પ્રત્યેક પ્રસંગમાં આવનારને લાભપ્રદ થાય છે, તેવી રીતે શ્રીચંદ્રકુમારના આવવાથી લક્ષ્મીદા શેઠને અપાર સમૃદ્ધિ થવા લાગી. તે અલ્પ સમયમાં કેટિધ્વજ સાહુકાર બની ગ, કુશસ્થળીના શ્રેષ્ટિ વર્ગમાં તેણે મહાન પ્રતિષ્ઠા સંપાદન કરી, તેની સકીર્તિ સર્વ સ્થળે પ્રસરી રહી હતી. જો કે, પ્રથમથી જ તે કુશસ્થળીમાં પ્રતિષ્ઠિત હતા, તથાપિ શ્રીચંદ્રના પ્રભાવથી તેને સર્વ સ્થળે પ્રથમથી વિશેષ માન મળતું હતું. શ્રી ચંદ્રકુમારને તેના પાલક પિતાએ શ્રાવકના જે જે સંસ્કાર અનુક્રમે કરવા જોઈએ, તે તે કર્યા હતા. પછી જાગરણથી તેને આરંભ થયો હતો. નામકરણ, કર્ણવેધ, ચાલ, અન્નપ્રાશન વિગેરે જૈન સંસ્કારએ ચંદ્રકુમારની મનોવૃત્તિને સંસ્કૃત કરેલી હતી. સંસ્કારોના પ્રભાવથી એ ચપળ કુમારનું બુદ્ધિબળ વિશેષ ચળકતું હતું, તેનામાં સ્વાભા વિક ધર્મ શ્રદ્ધા સંસ્કારની સાથે જ ઉત્પન્ન થઈ હતી, ગૃહસ્થ ધર્મના પવિત્ર આચારરૂપ અંકુર સંસ્કારના સિંચનથી નવપલ્લવિત થાય છે, એથીજ શ્રી અહંત પ્રભુએ શ્રાવક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy