SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતાપસિહુના બીજો વિજય. ૪ પ્રહારથી વિજયકુમારને મૂર્છાગત કરી દીધા; તે જોતાંજ પ્રતાપસિ ંહને ક્રોધ ચડયો. તત્કાળ કેશરીસિંહની જેમ કુદી મલ ઉપર ધસી આવ્યા, અને ખના પ્રહારથી મલ્લના મસ્તકને છૂંદી નાખ્યું. મશ્કરાજાની રણભૂમિમાં મરણશય્યા થઇ. મલ્લને મૃત્યુશરણ થયેલા જોઇ મહામલ જીવ લઇને રત્નપુરમાં નાશી ગયેા. મલ્લની સેના દશે દેિશાએામાં વીખરાઇ ગઇ. પ્રતાપના સૈન્યમાં જયધ્વનિ પ્રવો. સેનાપતિએ રણુસ્ત ભ ઉપર વિજયધ્વજ ચડાવી દીધા. શત્રુ અને અંગારી અવશેષ ન રાખવા જોઇએ, આવું ધારી પ્રતાપી પ્રતાપસિંહ કેટલાએક સૈનિકેાને લઇ મહામલ્લની પાછળ પડયા. રત્નપુરને ઘેરી તેણે અંદર જઇ મહામલ્લને રૂધ્યેા. પ્રતાપના શૈાર્ય આ ગળ મહામલ્લ ટકી શકયા નહિ. તે દિન થઇ પ્રતાપસિંહની શરણે થયા. દયાળુ પ્રતાપસિ હે દીન થઇ આવેલા શત્રુને ક્ષમા આપી છોડી મુકયા. પછી કણકાટ અને રત્નપુરના કબજો પેાતાને સ્વાધીન લીધા. મલ્લ તથા મહામલ્લના વિજય કર્યા પછી કુશસ્થલીપતિ સમુદ્રના રમણીય તીર ઉપર નિવાસ કરી રહ્યા હતા. ત્યાં રહી તે વિચક્ષણૢ રાજાએ પેાતાના રાજ્યની હદ ઉપર જે અવ્યવસ્થા હતી, તે સુધારી અને વિદેશી પ્રજાને સુખશાંતિ આપી. પ્રતાપસિંહ પ્રજારક્ષણ કરવામાં અતિ ઉત્સુક હતા. પ્રજા પ્રત્યે રાજાને શે। ધર્મ છે ? તે સારી રીતે સમજતા હતા, અહંન્નીતિ શાસ્ત્રને તેણે પૂર્ણ અભ્યાસ કર્યો હતેા, રાજનીતિનું મહાત્મ્ય તેના નિર્મળ હૃદયમાં રમી રહ્યું હતું, તે વિદ્વાન મહારાજા સમજતા કે, “ પ્રજાતે ર ́જન કરે, તે રાજા કહેવાય છે, પ્રજાનેા દુ:ખભંજન અને રંજન કરનાર જે હોય, તેજ રાજ પદવીને યાગ્ય છે. રાજા, પ્રજાને પાળક પિતા છે, પ્રજાનાં સુખે સુખી અને દુ:ખે દુ:ખી થવું, એ ખરા રાજધર્મ છે, ક્ષત્રીયાનું ખરૂં કર્ત્તન્ય પ્રજાપાલન છે. જેના ન્યાયી રાજ્યમાં પ્રજા નિર્વિઘ્ને સુખ ભોગવે, એજ રાજાનું રાજ્ય કૃતાર્થ છે. ક્ષાત્ર ધર્મની ધુરાને ધારણ કરનાર નરેશ્વર ગમે તેવા પરાક્રમી, ઉદાર કે નિપુણ હાય, પણ તેની સત્કીર્તનું બીજ પ્રજાપાલન શિવાય અંકુરિત થતું નથી. જેનું યશોગાન પ્રજા સતત કર્ય કરે છે, જેના રાજ્યની શિતળ છાંયા નીચે પ્રજા સુખશાંતિ ભગવે છે, અને જેના પ્રતાપથી પ્રજાના ઉપદ્રવ દૂર થઇ જાય છે, તેવા રાજાનું જીવન ચરિતાર્થ છે. વળી પ્રતાપસિંહ જાણતા હતા કે, જે રાજા દુષ્ટ ભાવથી પ્રજાને દમે છે, અનીતિને માન આપે છે, અને પ્રજાને પીડા થાય, તેવાં કાર્ય તરફ ઉપેક્ષા રાખે છે, તેવે રાજા નરકના અધિકારી થાય છે, તેવા રાજાનું જીવન તે માનુષી જીવન નથી, પણ રાક્ષસી જીવન છે. પ્રજાને દુઃખ થતું જોઇ જે શસ્ત્ર લઈ દોડી જતા નથી, તે રાજાની જાતિ શોંકા કરવા યેાગ્ય છે, તેની ઉત્પત્તિ શુદ્ધ ક્ષત્રિય પિતાથી નથી, એમ અવસ્ય જાણવું. તેવા અધમ રાજા પ્રજાના રક્ષક નથી, પણ પ્રજાના ભક્ષક છે. તેવા નીચ નૃપતિઓને સહસ્રવાર ધિક્કાર છે. કુશસ્થલીના મહારાજા પ્રતાપસિંહની મનેવૃત્તિમાં ઉપરના વિચારો સર્વદા સ્ફુરાયમાન થતા હતા. આવા વિચારોથી તેની કર્ત્ત ભારતમાં સર્વ સ્થળે પ્રસરેલી હતી. 19 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy