SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ આનંદ મંદિર, હશે. જીનાગમની વાણી વ્યર્થ થતી નથી. નિમિત્ત શાસ્ત્ર અન્યથા થાય જ નહીં. શ્રીચંદ્રકુમાર કુશળ રહી, બાર વર્ષે પાછા પ્રગટ થશે. કુશસ્થલી રાજધાનીમાં પ્રતાપસિંહ જેવા પિતા તરફથી તે યુવરાજ પદ પ્રાપ્ત કરશે. પાપી જયકુમારના મનોરથ વ્યર્થ થશે. મહારાણી ! છેવટે ધર્મને જય થાય છે, અને પાપીને પ્રલય થાય છે. રાણી સુવતી ગોત્ર દેવીનાં વચન ઉપર આધાર રાખી, ધર્મ આરાધના કરવા લાગી, પ્રભુની પૂજામાં પ્રવૃત્ત થવા લાગી, પ્રતિદિન દાન, પુણ્ય, તપ, અને વ્રત ઉપાસના કરવા લાગી. પંચપરમેષ્ટીની પ્રાર્થના કરવામાં, ભક્તિથી ભાવના ભાવવામાં અને એકનિષ્ઠાથી ધર્મ આચરવામાં તે સર્વદા તત્પર રહેવા લાગી. • પ્રકરણ ૧૬ મું. પ્રતાપસિંહનો બીજો વિજ્ય, | [ રા ! જા પ્રતાપસિંહ ત્રણ કુમાર સાથે લઈ કોટ અને રત્નપુરના ' , રાજા મલ્લ અને મહામહલ ઉપર ચડી આવ્યા. કુશસ્થલીના બહા દુર સૈનિકે સિંહનાદ કરી નૃત્ય કરવા લાગ્યા. પ્રયાણ કરતાં જ શુભ શુકનોએ પ્રતાપને વિજયનાં ચિહ સુચવ્યાં હતાં. સૈન્યના રજથી દશે દિશાઓ છવાઈ રહી હતી. પ્રતાપના પ્રતાપ આગળ સૂર્યને પ્રતાપ પણ ઝાંખો થઈ ગયો હતો. પ્રતિદિવસ પ્રયાણ કરતો પ્રતાપસિંહ નૈઋત દિશાના સમુદ્રને કાંઠે આવી પહોંચ્યા. તેના સૈન્યને મહાન કલાહલ કર્ણકોટ અને રત્નપુરના કિલ્લામાં પ્રતિધ્વનિરૂપે થવા લાગ્યા. આસપાસ ફરતા બાતમીદારોએ મલ અને મહામહલને આ ખબર આપ્યા. અચાનક થડાઈ સાંભળી, તે બંને વિરે સજજ થઈ ગયા. તેમણે પોતપોતાના વીર સૈનિકને તૈયાર થવા ભેરીના નાદ કરાવ્યા. સ્વામીની આજ્ઞાથી બંને સૈન્ય બીજા સમુદ્રની જેમ ઉછળવા લાગ્યાં, વીરરસમાં રમણ કરનારા સુભટો સાગરના તીર ઉપર હર્ષના નૃત્ય કરવા લાગ્યા, કર્ણકોટના રાજા મલ્લની સેના પ્રતાપસિંહના સૈન્યની સામે આવી ઉભી રહી. સેનાપતિની આજ્ઞાથી મલલના સૈનિકેએ એકદમ ભયંકર ધસારે કરી, પ્રતાપસિંહની સેનાને મહાત કરી દીધી, તે જોઈ પ્રતાપસિંહના ત્રણે કુમારે શત્રુ સન્ય ઉપર ચડી આવ્યા. વિષ્ણુએ જેમ સાગરનું મથન કર્યું હતું, તેમ પ્રતાપસિંહના પરાક્રમી પુએ મલ્લની મહા સેનાનું મથન કરવા માંડયું. સેનાને પરાભવ થતે જોઈ રણમાં મલ્લ જે મલ્લરાજા પ્રતાપસિંહના કુમારની સામે આવ્યા. મલે પ્રચંડ પરાક્રમ કરી, ત્રણે કુમારની સામે તુમુલ યુદ્ધ કરવા માંડ્યું. કેધથી નેત્રને રક્ત કરતે, અને હેઠ હસતે મલ્લ પ્રતાપના કુમારે ઉપર તુટી પડે. શસ્ત્રના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy