SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ કુમાર વિયોગ. કયો હશે કે, જે કેવળી જાણી શકે. તે વિના મારે કુમાર ક્યાં જાય ? વત્સ ! એકવાર તારું મનહર મુખ બતાવ, તને નેત્રથી નીરખી હું મારા અવતારને સફળ કરે. પુત્ર ! તારા પ્રતાપી પિતા વિજય કરી આવશે, ત્યારે હું તેમને શું કહીશ? પુત્રના મુખ દર્શનની ઇચ્છા કરનારા મહારાજા મને કહેશે, દેવી ! કુમાર ક્યાં ગયે ? મારા રાજ્યને અલંકાર કેમ ગુમાવ્યા ? તે વખતે મારે મરણ વિના બીજું કાંઈ શરણ નહીં થાય. અરે દુષ્ટ જયકુ માર! તને આવું પાપ કર્મ કરતાં ભય કેમ ન થયો? સ્તનપાન કરનારા નાના બાળકને માતાને વિયેગ કરાવી, વિનાશ કરતાં તારા હૃદયમાં દયા કેમ ન ઉપજી? સૂર્યવતીને શોક સાંભળી, રાજ્ય કુળમાં અફસોસ થયો, તેથી વૃદ્ધ રાજ કુટુંબના લેકે દેવીને આશ્વાસન આપવા આવ્યા. તેમણે કહ્યું, રાણી ! શેક કરે નહીં, ભવિતવ્યતા બળવાન છે. કરેલાં કર્મ પ્રાણીને ભેગવવાં પડે છે. દેવી ! તમે તત્વજ્ઞાન જાણે છે, જિન વચનને પ્રમાણ કરે છે. વિલાપ કરવાથી શું વળવાનું છે ? વિલાપ છોડી છે, પ્રભુનું ધ્યાન કરો. મેઘની વૃષ્ટિથી જેમ દાવાનળ શમી જાય, તેમ પ્રભુના ધ્યાનથી શોક શમી જાય છે. આ પ્રમાણે કહી રાજકુટુંબના વૃદ્ધ જને ચાલ્યા ગયા. સૂર્યવતીને જરા આશ્વાસન મળ્યું, પણ તેના હૃદયમાંથી શોકને આઘાત જાતો નથી. ક્ષણે ક્ષણે કુમારની બાળ મૂર્તિ તેના નયનની આગળ ખડી થાય છે, તે વખતે તેનાં સ્તનમાંથી પધારા છુટે છે, ઘણી વાર શોક કરી કરીને સૂર્યવતી શાંત થઈ ગઈ, જીન ભગવંતનું સ્મરણ કરવા લાગી, પ્રભુનું ધ્યાન કરી, તેણુએ શોકને શમાવવા માંડે, પણ શોકરૂપ શંકુ તેના હૃદયમાંથી દૂર થતો નથી, તેમ કરતાં સૂર્યવતીનાં નયન ઉપર નિદ્રા આવી. અતિ શોકાતુર માણસને નિદ્રા સુલભ છે. પુત્રના વિરહથી દહન થતી મહારાણી નિદ્રાનું શીતળ સિંચન અનુભવવા લાગી. જેમ સુધાતુર માણસ અન્નનાં વલખાં મારી પડયું રહે, તેમ સૂર્યવતી વલખાં મારી નિદ્રાના ઘેનમાં પડી રહી. નિદ્રા સુખને અનુભવ કરતી મહારાણને સ્વમ આવ્યું. ભવેત વસ્ત્ર ધરનારી કુળદેવીએ આવી સ્વમામાં કહ્યું, વસે ! બેઠી થા. કેમ પડી છું ? હું તારી કુળદેવી છું. સુવતીએ કહ્યું, માતા ! હું દુખી છું, તમે પધાર્યા, તે મારાં સદ્ભાગ્ય. તમારાં પવિત્ર દર્શન કરી, મારાં નેત્રને આનંદ થયે. માયાળુ માતા ! મને સુખી કરે. મારા એક દિવસના બાળકને મેળાપ કરાવો. ગોત્ર દેવી બેલ્યાં વસે ! શોક કરીશ નહીં. તારી કુમાર વિજયી અને કુશળ છે. મેં પુષ્પના પુંજમાંથી ઉત્તમ સ્થાને પહોંચાડ્યો છે. જે તે કુમાર તારી પાસે હેત તે, તને વિઘ આવત. સૂર્યવતી ! જરા પણ અફસોસ કરીશ નહીં. તારે પુત્ર સુખી છે. બેટી ! જરા પણ અધીરી થઈશ નહીં, એ કુમાર તને બાર વર્ષે મળશે. તેનું નામ શ્રીચંદ્રકુમાર પડશે. ચંદ્રની જેમ શ્રીચંદ્રકુમાર બીજે સ્થાને ઉદિત થયો છે. ગોત્રદેવીનાં આ વચન સાંભળી સૂર્યવતી સંતોષ પામી. શ્રી જીવ ભગવંતના નામનું સ્મરણ કરતી જાગ્રત થઈ. પિતાને બાળ કુમાર નિર્વિઘ અને જીવે છે, એમ જાણે તેના અંતરમાં આનંદ થઈ આવ્યો. સૂર્યવતીએ જાગ્રત થઈ સ્વમાની વાત દાસી જનને જણાવી. તે સાંભળી સર્વ પરિવાર ખુશી થયો. સંદી બેલી–બા સાહેબ ! ગોત્રદેવીએ સાક્ષાત આવી જે કહ્યું, તે સત્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy