SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ આનંદ મદિર. . -વિચારતી કે, રાણી સૂયૅવતીને સર્વદા આનંદના ખબર આપનારી, હું આજે કૈવી સ્થિતિમાં આવી ? અરે દેવ ! આજે મારા દાસી ધર્મ કલ ંકિત થયા, રાજ કુમારના વિપરીત ખબર આપી, રાણી સૂયૅવતીના શાકનું કારણ હુંજ થઈશ, આમ વિચારતી પાછી ઉભી રહે છે. મહેલમાં દાદર આગળ આવી, ચડવાની શક્તિ રહી નહિ. હમણુાંજ મહારાણી, મને પુઅશે; દાસી ! મારા કુમાર ક્યાં છે ? ત્યારે હું શું કહીશ ? આમ વિચારતી શને શનૈઃ દાદર ઉપર ચડી. અહીં સૂર્યવતી કુમારની રાહ જોઇ એડી હતી, ક્ષણે ક્ષણે ગાખમાંથી દાસીને અવલાકતી હતી, તે સાથે મનેારથ કરતી કે, મારા સુંદર કુમાર શું કરતા હશે ? ધણી વાર થઇ છે, તેથી તેને સ્તનપાનની પૃચ્છા થઇ હશે, તે પોતાની માતાને રૂદન કરી ખેાલાવતા હશે, હવે હું એ સુંદર કુમારને કયારે જોઇશ ? દાસીને વાર થઇ, એટલે તેણીના હૃદયમાં શંકા થવા લાગી—દાસી કેમ રોકાણી હશે ? માસ નેત્રમણિ કુમારને કાંઇ વિશ્ર્વ તા નહીં આવ્યું. હાય ! આ યુક્તિના ખબર જયકુમારને તે। નહીં પડયા હાય ? કુશસ્થલી રાજધાની ભવિષ્યના રાજા એક હલકી માલણુને સોંપી દીધા, એ પણ મેં સાહસ કર્યું છે. એ માલણુની પવિત્રતામાં તા કાંઇ ખામી આવી નહીં હાય ? tr "" આટલું કહી સૂર્યવતીએ પ્રભુની પ્રાર્થના કરી. જગ ચિંતામણી જિનેદ્ર ! મારા કુમારની રક્ષા કરજો, વિશ્વમાં કલ્પવૃક્ષરૂપ જૈન ધર્મ મારા બાળ કુમારને સહાય ક× રજો, આર્હુત ધર્મના અધિાયક દેવતા કુમારની સર્વે સ્થળે રક્ષા કરો. આટલું કહી. સૂર્યવતી દાદર આગળ આવી, ત્યાં દાસી એકલી આવતી જોવામાં આવી. દાસી ! કુમાર માં છે ? મારા બીજો ઋણુ કયાં મુકી આવી? દાસીનાં નેત્રમાંથી અશ્રુની ધારા ચાલી,— ગદ્ગદ્ કરું . ખેલી—બા સાહેબ ! પુષ્પના પુ ંજમાં કુમાર નથી, આસપાસ વાટિકામાં તપાસ કરી, ષષ્ણુ કાઇ સ્થળે કુમાર જોવામાં આવ્યા નહીં; માલણના પ્રમાદ થયેા છે, તે જાતે નિર્દોષ છે. આટલું સાંભળતાંજ વિદ્યુત્પાત થવાથી જેમ વૃક્ષની શાખા પડે, તેમ સૂર્યવતી મૂ પામી દાદરની પાસે પડી. તેના મુખ ઉપર કેશ વાઇ ગયા, વસ્ત્ર વિપરીત થઇ ગયાં, પસીનાથી શરીર વ્યાપ્ત થઇ ગયું, રૂદન કરતી દાસીએ શીતેાપચાર કરાવ્યા. ક્ષણવાર પછી મૂત્ર વિરામ પામી, એટલે સુર્યવતી જરા સાવધાન થઇ એડી થઇ, કણુ સ્વરે વિલાપ કરવા લાગી. અરે કુમાર ! તને ક્રાણુ હરી ગયું ? હે જીવન ! હે પ્રાણાધાર ! દુષ્ટ દૈવે આ શું કર્યું ? મારા લાડકવાયા ! તું ક્યાં ગયા ? તને રતનપાન કાણુ કરાવશે ? દૈવ ! આ શું કર્યું ? બને! ભંડાર બતાવી પાછા લઇ લીધા, થાળમાં ભાજન પીરસી ચાળ લઇ લીધા, મેરૂગિરના શિખર ઉપર ચડાવી મને નીચે પાડી, મારા મનેરથરૂપ વૃક્ષાને કુવાડાથી છેદી નાંખ્યાં, મારા મેનેજ દોષ, બીજા કાઇના દોષ નથી. પૂર્વે મેં મહા પાપ આ હશે, તે આજે ઉદય આવ્યાં; મેં પાંચ માચાર વિરાધ્યા હશે, ગુણીજનની ઉપર આળ ચડાવી હશે, શીલનું ખંડન કર્યું હશે, કર્માદાન આવા હશે, જી, માકડ, અને લીંખની હિંસા કરી રો, કાઇની ભીખમાં વિધ કર્યું હશે, જ્ઞાન દ્રવ્ય, દેવ દ્રવ્ય, અને સાધારણ્ દ્રવ્યના નાશ કર્યો હશે, રોકયના બાળકને વિખૂટાં પાડયાં હશે, કામણુ, વશીકરણ, અને મેાહન વિગેરે કરી, અન્યને દુઃખ આપ્યાં હશે, કાષ્ટને ધણા શાપ આપ્યા હશે, વૃદ્ધ જનને વિનય કર્યું। નહીં હાય, ચેરીનાં પાપ કર્યા હશે, એ સિવાય ભવે ભવ એવાં દુષ્ટ કર્મ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy