SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ આનંદ મંદિર. મુક્ત થવાના સમય જાણી આત્માને કૃતાર્થ માનવા લાગી. ગોત્રદેવીને નમન કરી ધર્મના અતિ આભાર માનવા લાગી, વાંચનાર ! અધીરા થશે નહીં, . એ સ્ત્રી પુરૂષની ઓળખાણુ હવે કરાવીએ છીએ. જે પુરૂષ છે, તે લક્ષ્મીત્ત નામે કુશસ્થલી નગરીને એક ધનાઢય, અને આસ્તિક શ્રાવક છે. જે સ્ત્રી છે, તે તેની લક્ષ્મીવતી નામે રૂપ ગુણવતી રામા છે. આ અંતે દુપતી સ્વધર્મમાં તત્પર અને આર્હત ધર્મનાં ઉપાસક છે, તેમને કાંઇ પણ સ ંતતિ ન હતી. સ ંતતિના લાભને માટે તે અનેક સુકૃતાચરણ કરતાં હતાં, અને ધર્મનાં દૃઢ રાગી ન્યાં હતાં. લક્ષ્મીદત્ત શેઠ નિઃસ ંતાન હેાવાથી કેટલાએક અજ્ઞાની લેાકેા તેને વાંઝીયા શેઠે કહી નિવ્રુતા હતા, અને લક્ષ્મીવતીને વધ્યા સ્ત્રી કહેતા હતા. તેમને આજે ગેાત્રદેવીએ સ્વમામાં પુત્ર પ્રાપ્તિ વિષે જણાવ્યું, તેથી તેને અતિ આનંદ થયા ઢુતે. વ વરૂપ કલકથી મુક્ત થવાના અવસર આવવાથી તેને જે આનદ થયેલ, તે નિઃસીમ આનંદ હતા. આ આનંદને લઈ લક્ષ્મીદત્ત શેઠે પ્રભુની પુષ્પમય આંગી કરાવવા સેવાને પુષ્પ લેવા મેકલ્યા. થાડી વારે તે સેવકા ચેડાં પુષ્પો લઇ પાછા આવ્યા, અને શેઠને જણાવ્યું કે, વિશેષ પુષ્પ મળતાં. નથી, જેટલાં પુષ્પ મળ્યાં, તેટલાં લઇ અમે આવ્યા છીએ. આથી શેઠ પોતાની જાતે જયકુમારની આજ્ઞા લઇ સેવક સહિત રાજાની ગૃહ વાટિકામાં પુષ્પ લેવાં ગયા. ત્યાં પુષ્પના કરડીઆ ભરાવા માંડયા. આ વખતે એવું બન્યું કે, પેલી માલણુ જે પુષ્પ પુજમાં રાજકુમારને રાખી, કાર્યં પ્રસગે ત્યાંથી યેલી હતી, તેજ પુષ્પ પુજ લક્ષ્મીદત્ત શેઠના સેવાએ લેવા માંડયા. તે લેતાં તેમાં એક સુંદર કુમાર રત્નકબલથી વીંટાએલા જોવામાં આવ્યો. સેવકાએ તે વાત રોઢને કહી. ગાત્રદેવીનાં વચન પ્રમાણે લક્ષ્મીદત્ત શેઠે હર્ષથી તે પુત્રને લઇ લીધા. રાજ કુમારનું આનંદજનક સ્વરૂપ જોઇ, શેઠ અત્યંત ખુશી થયા. તત્કાળ ઘેર આવી, લક્ષ્મીવતીને અર્પણ કર્યા. કુમારનું લાવણ્ય જોઇ લક્ષ્મીવતીને અપાર આનદ થયા. પુત્રને ઉત્સંગમાં લઇ લક્ષ્મીવતી તેને નિરખવા લાગી, તેનું અનુપમ સાદર્ય જોઇ જોઇ નેત્રાનંદ લેવા લાગી. તે કહેવા લાગી કે, અહા! મારા ભાગ્યને ઉદય થયા, આવેા રૂપનિધિ કુમાર આવવાથી મારા ઘર ઉપર કલ્પવૃક્ષની છાયા થઇ, રત્નાની અર્તાકૃત ષ્ટિ થઇ, મારી ધર્મ ઉપાસના ગોત્રદેવીએ સફળ કરી. આ પ્રમાણે કહેતી લક્ષ્મીવતી પુત્રને ચુંબન કરતી હૃદયની સાથે ખાવા લાગી. લક્ષ્મીવતીના હૃદયમાં ખરેખર માતૃભાવ જાગ્રત થયા. તે પેાતાના ઉદરમાંથી અવતરેલા હોય, તેમ તે કુરને માનવા લાગી. પેાતાના પૂર્વના પુણ્યની પ્રશ્નળતાને વખાણવા લાગી, અને આત્માને હુવે વ'વ્યરૂપ કલંકથી મુક્ત માનવા લાગી. લક્ષ્મીદત્ત શેઠે શહેરમાં એવી વાત ફેલાવી કે, મારી શ્રી લક્ષ્મીવતીને ગુપ્ત ગર્ભ હતા, તેથી આજે પુત્ર અવતર્યો છે. પ્રત્યેક સ્થળે વધામણીએ કહેવરાવી, અને શહેરના પ્રતિષ્ટિત 'ગૃહસ્થાને ધેર સાકર મેાકલાવી. કુશસ્થલી નગરીમાં લક્ષ્મીદત્ત શેડ પ્રતિષ્ઠિત હતા, તેથી ધણા લેાકા તેને ઘેર વધામણી કરવા આવતા હતા. શેઠે મેટા ઠાઠમાઠથી પુત્રને જન્મ:ત્સવ કર્યો, જિન ચૈત્યમાં પૂજાએ ભાવી, અને આંગીએ રચાવી. પોતે પવિત્ર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy